CHECK OUR OTHER SITE LAUNCHED TODAY
આજનો દિવસ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહિ પરંતુ ઘણા બધા હિન્દુઓ માટે ઉત્સવનો દિવસ બની રહ્યો છે બધા જ જે ઉત્સવ ની રાહ જોઈ રહ્યા હતા તે ઉત્સવ એટલે અક્ષરધામ મહોત્સવનું અંતિમ ચરણ જેમાં ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન ગુણાતીતાનંદ સ્વામી મહારાજની મૂર્તિ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ વિધિ.સહુ પ્રથમ ભવ્ય મહાપૂજા દુનીયાના બધા ખંડોમાં રહેલા હરિભક્તોએ ઘરે બેસીને કરી જયારે ત્યાં અક્ષરધામ મંદિરમાં પૂજ્ય સદગુરુ સંતો અને મોટેરા સંતો મહાપૂજા કરી રહ્યા હતા.
સંપૂર્ણ પ્રસંગના ચરમસીમારૂપ મહંતસ્વામી મહારાજ અહીંયા પધાર્યા અને વૈદિક મંત્રો સાથે ભગવાન સ્વામીનારાયણની મૂર્તિમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અને ગુણાતિતાનંદ સ્વામીમાં પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પ્રતિષ્ઠા કરી હતી.સ્વામીશ્રી પોતે હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા છેક ઉપર ગયા અને મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ કરી.
મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામીનારાયણની મૂર્તિએ કેવી રીતે બનાવડાવી તેનો પણ વીડિઓ બતાવામાં આવ્યો અને અંતમાં ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની મૂર્તિને ચંદનથી અર્ચા કરી.
CHECK OUR OTHER SITE LAUNCHED TODAY
મહંતસ્વામી મહારાજે એક પ્રાર્થના પત્ર લખો હતો જેનું સ્વામીએ સભા દરમ્યાન પઠન કર્યું હતું.
પ્રમુખસ્વામી મહારાજે દિલ્હીઅક્ષરધામના નિર્માણમાં કરનારને માથે પુષ્પ ચડાવ્યા હતા તેવી જ રીતે મહંત સ્વામી મહારાજે મંદિર નિર્માણમાં શિલ્પનું કામ કરનાર તમામ વિશ્વકર્માભાઈઓને સામેથી બોલાવ્યા અને તેમને આર્શીવાદ આપ્યા.
CHECK OUR OTHER SITE LAUNCHED TODAY


0 comments