Thal — Test
ગુજરાતી
हिन्दी
English
Grain is essential for human life.
Grain grows only with sunlight and water given by God.
Everything we use belongs to God
and should first be offered to Him.
Food must be offered to God before eating.
Sadguru Bhumanand Swami, after fasting,
received food by God’s will.
He offered it with deep devotion through a Thal.
God appeared, accepted the offering, and blessed him.
That Thal is now practiced in satsang.
Food belongs to God.
Offering before eating is essential.
जीवन के लिए अन्न आवश्यक है।
अन्न सूर्य, जल और भगवान की कृपा से उत्पन्न होता है।
जो भी वस्तु हमें मिले,
उसे पहले भगवान को अर्पित करना चाहिए।
भोजन भगवान को भोग लगाकर ही ग्रहण करना चाहिए।
सद्गुरु भुमानंद स्वामी ने भाव से थाल गाया।
भगवान ने उनका भाव देखकर दर्शन दिए।
आज वही थाल सत्संग में प्रचलित है।
अन्न भगवान की देन है।
भोग बिना भोजन नहीं करना चाहिए।
भाव से किया गया भोग स्वीकार होता है।
આપણને જીવવા માટે અનાજની ખાસ જરૂર પડે છે.
અનાજ ન મળે તો આપણે ભૂખથી મરી જઈએ.
ભગવાન સૂર્યનો પ્રકાશ અને પાણી પૂરાં પાડે છે ત્યારે અનાજ ઊગે છે.
એના વિના ખેડૂત મજૂરી કરીને મરી જાય તો પણ અનાજ ન ઊગે.
આપણું અનાજ આપણે રસોઈ બનાવીને જમીએ છીએ,
પણ તે રસોઈ આપણે ભગવાનને ધરાવવી જ જોઈએ.
આ દુનિયામાં જે કાંઈ વસ્તુ દેખાય છે તે બધાના માલિક ભગવાન છે.
એટલે આપણે જે કાંઈ વસ્તુ લઈએ તે પહેલાં ભગવાનને અર્પણ કરવી જોઈએ.
દરેક વસ્તુ ભગવાનને ધરાવીને પછી જ આપણે લઈએ.
આપણાથી દરેક વસ્તુ પ્રસાદીની કરીને જ વપરાય.
ભગવાને આપણને અનાજ પકવી આપ્યું છે,
માટે એ અનાજ ભગવાનને ધરાવ્યા વિના કેમ જમાય?
જે વાનગીઓ આપણને ભાવતી હોય,
તે વાનગીઓ આપણે થાળમાં મૂકી ભગવાનને ધરાવવી જોઈએ.
સુંદર વાનગીઓનો થાળ સદ્દગુરુ ભૂમાનંદ સ્વામીએ બનાવ્યો છે.
એ થાળ કેવી રીતે બન્યો તેની એક સુંદર કથા છે.
એક વખત સદ્દગુરુ ભૂમાનંદ સ્વામીને ચાર દિવસના એકસાથે ઉપવાસ થયા.
તેમને કંઈ જમવા ન મળ્યું.
પાંચમે દિવસે તેઓ એક ગામમાં પધાર્યા.
ત્યાં એક સંતે તેમની સ્થિતિ જોઈ દયા કરીને ઘઉનો પોંક આપ્યો.
ભગવાનની ઇચ્છાથી અચાનક ભોજન મળતાં
ભૂમાનંદ સ્વામી ગદગદ થઈ ગયા.
તેમણે તે પોંક મહારાજને ધરાવ્યો.
તેઓ કવિ હતા, તેથી સહજ રીતે
“જમો થાળ જીવન જાઉં વારી…” એવો થાળ બોલ્યા.
મહારાજે તેમનો ભાવ જોઈને દર્શન આપ્યાં
અને થાળમાં કહેલી વાનગીઓ તેમના દેખતાં જમ્યા.
પછી મહારાજ ભૂમાનંદ સ્વામીને આશીર્વાદ આપી અદશ્ય થઈ ગયા.
ત્યારપછી એ જ થાળ સત્સંગમાં પ્રચલિત થયો.
આપણે પણ ભગવાનને સ્મરીને એ જ થાળ બોલીએ છીએ.
જો સદ્દગુરુ ભૂમાનંદ સ્વામી જેવો આપણો પણ સાચો પ્રેમ હશે,
તો શ્રીજીમહારાજ જરૂર જમવા પધારશે.
અનાજ ભગવાનની કૃપાથી ઊગે છે.
દરેક વસ્તુ ભગવાનને ધરાવીને પછી જ વાપરવી જોઈએ.
રસોઈ ભગવાનને ધરાવ્યા વિના જમવી નહીં.
સદ્દગુરુ ભૂમાનંદ સ્વામીના ઉપવાસ પછી થાળની રચના થઈ.
ભાવપૂર્વક બોલેલા થાળમાં મહારાજે દર્શન આપી જમ્યા.
સાચા પ્રેમથી બોલાયેલો થાળ ભગવાનને આકર્ષે છે.
Thal — Test Thal — Test ગુજરાતી हिन्दी English Chapter 12
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates