Shastriji Maharaj Pravesh 46-50 — Test
ગુજરાતી
हिन्दी
English
In the beautiful village of Chhapaiya near Ayodhya, filled with trees and birds, a divine event took place.
On Chaitra Sud Navmi, Samvat 1837, at night, Dharmadev and Bhaktimata were blessed with a son. The entire village celebrated with joy, chanting, and donations.
This child was not ordinary but the incarnation of Parabrahma Purushottam Narayan as Ghanshyam.
A divine light radiated from the child, astonishing everyone. Gods arrived in celestial vehicles and showered flowers, celebrating the divine birth.
• Birthplace → Chhapaiya
• Parents → Dharmadev, Bhaktimata
• Date → Chaitra Sud Navmi
• Samvat → 1837
• Time → Night
• Celebration in village
• Donations and rituals
• Divine incarnation
• Divine light from child
• Gods came for darshan
• Flower shower
• Joy everywhere
A demon named Kalidatt sent fierce demonesses (krutyaas) to kill the divine child. They kidnapped the child and took him to a mango grove.
Hanumanji saw this and immediately rescued the child. He punished the demonesses, who begged for mercy and fled.
Later, Kalidatt sent a powerful demoness named Kotara. But when she tried to attack, the divine child destroyed her instantly with just a glance.
Thus, the child displayed divine power by protecting himself and destroying evil forces.
• Demon Kalidatt
• Demonesses sent
• Child kidnapped
• Mango grove
• Hanumanji rescued
• Demonesses punished
• Demonesses fled
• Child returned safely
• Kotara demoness
• Destroyed by divine glance
• Evil defeated
• Divine power shown
At the age of two and a half months, the divine child showed extraordinary behavior. One day, when Bhaktimata left him in the cradle, he got down, picked up his pacifier, and returned to the cradle.
Ramdayal witnessed this and was amazed. Soon, divine light radiated from the child, filling the entire room.
Seeing this, Ramdayal became convinced that the child was truly God.
• Age → 2.5 months
• Left in cradle
• Child got down himself
• Picked pacifier
• Ramdayal saw
• Felt amazed
• Divine light appeared
• Room filled with light
• Confirmed child is God
When the child turned three months old, Markandeya Muni visited Dharmadev’s home. Dharmadev requested him to name the child and predict his future.
The Muni said that due to his zodiac (Cancer), he would be called “Hari,” and due to his dark complexion, “Krishna.” Together, he would be named “Harikrishna.” He would also be known as “Ghanshyam” and later “Nilkanth.”
He predicted that the child would establish dharma, remove suffering, grant samadhi, and guide people towards devotion.
Dharmadev was pleased and offered gifts to the Muni.
• Age → 3 months
• Markandeya Muni visit
• Naming ceremony
• Zodiac → Cancer
• Names → Hari, Krishna
• Combined → Harikrishna
• Also called Ghanshyam
• Future name Nilkanth
• Will establish dharma
• Will grant samadhi
• Will uplift people
• Dharmadev pleased
Dharmadev once decided to test his son. He placed three items on a decorated seat — a gold coin, a book, and a small sword — to see what the child would choose.
The child immediately came and picked up the book.
Seeing this, Dharmadev and Bhaktimata understood that their son would become highly knowledgeable and wise.
• Test by Dharmadev
• Three items → gold coin, book, sword
• Child chose → book
• Conclusion → will become learned\
When Ghanshyam was seven months old, Bhaktimata decided to pierce his ears. As the person tried to touch his ear, divine light radiated from Ghanshyam’s body, frightening him.
Ghanshyam disappeared and appeared on a tree, while also being seen near his mother at the same time. Everyone witnessed his two forms.
Finally, Ghanshyam agreed to get his ears pierced after being given jaggery.
• Age → 7 months
• Divine light appeared
• Disappeared → seen on tree
• Two forms visible
• Condition → asked for jaggery
Once Bhaktimata felt very hungry as Lakshmibai was taking time to cook. Seeing this, the child Ghanshyam mentally ordered the eight divine siddhis to bring food.
Instantly, they appeared and brought plates filled with many delicacies. Ghanshyam first ate a little and then asked his mother to eat.
Later, Lakshmibai arrived with food and was surprised to see this divine scene. Ghanshyam instructed the siddhis to come only when needed, and they disappeared.
• Lakshmibai delayed cooking
• Bhaktimata felt hungry
• 8 siddhis appeared
• Brought many dishes
• Ghanshyam ate first
• Called only when needed
One afternoon, Ghanshyam asked for food. Bhaktimata gave him cold khichdi and went to milk the cow Gomati, but no milk came out.
When Ghanshyam arrived and placed a vessel under the cow, milk started flowing continuously and filled many containers. Later, Ghanshyam stopped the flow.
Seeing this miracle, Bhaktimata happily prepared milk pudding (doodhpak) and puri instead of khichdi.
• Khichdi given
• Cow gave no milk
• Ghanshyam started milk flow
• Many vessels filled
• Milk stopped by him
• Made doodhpak
In his third year, Ghanshyam’s father decided to shave his hair and called a barber named Amayi. During the process, Ghanshyam suddenly became invisible to the barber, though others could still see him.
The barber got frightened. Upon Bhaktimata’s request, Ghanshyam appeared again, and the barber completed the shaving.
The barber realized that the child was divine and left with faith.
• Age → 3rd year
• Barber → Amayi
• Became invisible
• Seen by mother, not barber
• Appeared again
• Barber believed he is divine
અયોધ્યા પાસે આવેલું છપૈયા ગામ ખૂબ સુંદર અને હરિયાળું હતું, જ્યાં વૃક્ષો અને પંખીઓથી પરિપૂર્ણ વાતાવરણ હતું.
સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીના દિવસે, રાત્રે ધર્મદેવ અને ભક્તિમાતાના ઘરે પુત્રનો જન્મ થયો. આ અવસર પર ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો. સ્ત્રીઓ ગીતો ગાતી હતી, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હતા અને ધર્મદેવ દાન આપી રહ્યા હતા.
આ બાળક કોઈ સામાન્ય ન હતું, પરંતુ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે જ ઘનશ્યામ રૂપે જન્મ્યા હતા.
બાળકના શરીરમાંથી દિવ્ય તેજ પ્રસરી ગયું, જેને જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. દેવતાઓ પણ વિમાનમાં આવી દર્શન કરવા આવ્યા અને આકાશમાંથી ફૂલો વરસાવ્યા.
આ રીતે ભગવાનના જન્મથી સમગ્ર જગતમાં આનંદ અને જયજયકાર થયો.
• જન્મસ્થળ → છપૈયા ગામ
• ધર્મદેવ + ભક્તિમાતા
• તિથિ → ચૈત્ર સુદ નવમી
• સંવત → ૧૮૩૭
• સમય → રાત્રિ
• ગામમાં આનંદ ઉત્સવ
• દાન અને મંત્રોચ્ચાર
• ભગવાનનો અવતાર
• બાળકમાંથી દિવ્ય તેજ
• દેવો દર્શન કરવા આવ્યા
• ફૂલોનો વરસાદ
• જયજયકાર
કાલિદત્ત નામનો રાક્ષસ બાળપ્રભુનો નાશ કરવા કૃત્યાઓને મોકલે છે. ભયાનક કૃત્યાઓ ધર્મદેવના ઘરે આવી બાળપ્રભુને ઉઠાવી આંબાના વનમાં લઈ જાય છે.
પરંતુ પવનપુત્ર હનુમાનજી આ જોઈ તરત જ પહોંચે છે અને બાળપ્રભુને બચાવે છે. તેઓ કૃત્યાઓને પકડીને કડક રીતે દંડ આપે છે. ડરીને કૃત્યાઓ માફી માંગે છે અને ભાગી જાય છે.
બાળપ્રભુને હનુમાનજી સુરક્ષિત રીતે ભક્તિમાતાને પરત આપે છે.
આ પછી કાલિદત્ત વધુ ક્રોધિત થઈ “કોટરા” નામની મોટી કૃત્યાને મોકલે છે. કોટરા પ્રભુને મારવા આવે છે, પરંતુ પ્રભુની દિવ્ય દૃષ્ટિથી જ બળી જાય છે અને ત્યાં જ મરી જાય છે.
આ રીતે બાળપ્રભુએ પોતાના દિવ્ય પરાક્રમથી દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો અને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા.
• કાલિદત્ત રાક્ષસ
• કૃત્યાઓ મોકલવામાં આવી
• બાળપ્રભુને ઉઠાવી લઈ ગયા
• આંબાનું વન
• હનુમાનજી આવ્યા
• કૃત્યાઓને દંડ આપ્યો
• કૃત્યાઓ ભાગી ગઈ
• પ્રભુને પાછા આપ્યા
• કોટરા કૃત્યા
• પ્રભુની નજરથી બળી ગઈ
• દુષ્ટનો નાશ
• દિવ્ય પરાક્રમ દર્શાવ્યો
સમય જતા પ્રભુ અઢી માસના થયા. એક દિવસ ભક્તિમાતા તેમને પારણામાં પોઢાડી કામ કરવા ગયા.
ભક્તિમાતા જતા જ પ્રભુ પોતે પારણામાંથી ઊતર્યા, ચૂસણી લઈ ફરી પારણામાં આવી બેસી ગયા. આ અદ્દભુત ઘટના ધર્મદેવના મિત્ર રામદયાળે જોઈ.
તેમણે આશ્ચર્યથી પ્રભુને જોયા અને વિચાર કર્યો કે આ સામાન્ય બાળક નથી.
ત્યારબાદ પ્રભુના શરીરમાંથી દિવ્ય તેજ પ્રસરી ગયું અને આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો.
આ જોઈ રામદયાળને સંપૂર્ણ નિશ્ચય થયો કે આ બાળક ભગવાન જ છે.
• પ્રભુની ઉંમર → અઢી માસ
• પારણામાં પોઢાડ્યા
• પ્રભુ પોતે ઊતર્યા
• ચૂસણી લઈ પાછા બેઠા
• રામદયાળે જોયું
• આશ્ચર્ય અનુભવ
• દિવ્ય તેજ પ્રગટ
• ઓરડો પ્રકાશિત
• પ્રભુ = ભગવાન નિશ્ચય
પ્રભુ ત્રણ માસના થયા ત્યારે માર્કંડેય મુનિ ધર્મદેવના ઘરે પધાર્યા. ધર્મદેવે તેમનો સન્માન કરી પુત્રનું નામ પાડવા વિનંતી કરી.
મુનિએ જ્યોતિષ પ્રમાણે જણાવ્યું કે કર્ક રાશિ હોવાથી નામ “હરિ” રહેશે અને શ્યામ રંગ હોવાથી “કૃષ્ણ” કહેવાશે. તેથી “હરિકૃષ્ણ” નામ રાખ્યું. લોકો તેમને “ઘનશ્યામ” અને આગળ “નીલકંઠ” નામે પણ ઓળખશે.
મુનિએ ભવિષ્યવાણી કરી કે આ બાળક તપ, ત્યાગ, ધર્મ અને યોગથી પૃથ્વી પર ધર્મ સ્થાપશે, લોકોના દુઃખ દૂર કરશે, સમાધિ કરાવશે અને સૌને ભજનમાં જોડશે.
આ સાંભળી ધર્મદેવ ખૂબ પ્રસન્ન થયા અને મુનિને દક્ષિણામાં વસ્ત્રો, આભૂષણો અને દાન આપી વિદાય કરી.
• પ્રભુની ઉંમર → ૩ માસ
• માર્કંડેય મુનિ આવ્યા
• નામકરણ વિધિ
• કર્ક રાશિ
• નામ → હરિ + કૃષ્ણ
• “હરિકૃષ્ણ” નામ
• “ઘનશ્યામ” તરીકે ઓળખાણ
• “નીલકંઠ” નામ ભવિષ્યમાં
• ધર્મ સ્થાપન કરશે
• સમાધિ કરાવશે
• લોકોનો ઉદ્ધાર
• ધર્મદેવ પ્રસન્ન
એક વખત ધર્મદેવને પુત્રની પરીક્ષા લેવાની ઇચ્છા થઈ. તેમણે બાજોઠ પર રેશમી વસ્ત્ર પાથરી તેમાં ત્રણ વસ્તુ મૂકી — સોનામહોર, પુસ્તક અને નાની તલવાર.
તેમણે જોવા માંગ્યું કે પ્રભુ કઈ વસ્તુ પસંદ કરે છે. પ્રભુ તરત પારણામાંથી ઊતરીને આવ્યા અને પુસ્તક ઉપાડી લીધું.
આ જોઈ ધર્મદેવ અને ભક્તિમાતા સમજી ગયા કે આ પુત્ર ભણી-ગણીને વિદ્વાન બનશે.
• ધર્મદેવએ પરીક્ષા લીધી
• બાજોઠ પર રેશમી વસ્ત્ર
• ૩ વસ્તુ → સોનામહોર, પુસ્તક, તલવાર
• પ્રભુએ પુસ્તક ઉપાડ્યું
• નિષ્કર્ષ → વિદ્વાન બનશે
ઘનશ્યામ સાત માસના થયા ત્યારે ભક્તિમાતાએ તેમના કાન વીંધાવવાનું નક્કી કર્યું. કાન વીંધનાર સોય લઈને આવ્યો, પરંતુ જેમ જ તેણે કાન પકડવા પ્રયત્ન કર્યો તેમ ઘનશ્યામના શરીરમાંથી તેજ પ્રગટ થયું. તે તેજથી કાન વીંધનાર ડરી ગયો.
ત્યારે ઘનશ્યામ અદશ્ય થઈ આંબલીના ઝાડ પર બેઠા દેખાયા. રામપ્રતાપભાઈ ઝાડ પર ચડ્યા, તો ઘનશ્યામ નીચે માતા પાસે પણ દેખાયા. આ રીતે સૌને બે સ્વરૂપે દર્શન થયા.
છેલ્લે ઘનશ્યામે કહ્યું કે “મને ગોળ ખાવા આપો તો કાન વીંધાવીશ.” ભક્તિમાતાએ ગોળ આપ્યો અને ઘનશ્યામે શાંતિથી કાન વીંધાવ્યા.
• ઉંમર → ૭ માસ
• કાન વીંધનાર આવ્યો → તેજ પ્રગટ થયું
• ઘનશ્યામ અદશ્ય → આંબલીના ઝાડ પર
• બે સ્વરૂપે દર્શન
• ગોળ માગ્યો → પછી કાન વીંધાવ્યા
એક દિવસ ભક્તિમાતાને ખૂબ ભૂખ લાગી હતી, કારણ કે લક્ષ્મીબાઈ ધીમે ધીમે રસોઈ બનાવી રહ્યા હતા. આ જોઈ બાળપ્રભુએ મનમાં જ આઠ સિદ્ધિઓને ભોજન લાવવા આજ્ઞા કરી.
તુરંત જ આઠેય સિદ્ધિઓ સુંદર સ્વરૂપે આકાશમાંથી આવી અને બત્રીસ પકવાનવાળા થાળ લાવી ભક્તિમાતાને અર્પણ કર્યા. ભક્તિમાતા અચકાયા, તેથી પ્રભુએ પહેલા થોડું જમ્યું અને પછી માતાને જમવા કહ્યું.
એ દરમિયાન લક્ષ્મીબાઈ શીરો લઈને આવી અને આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. અંતે પ્રભુએ સિદ્ધિઓને કહ્યું કે “રોજ નહીં, જરૂર પડે ત્યારે જ આવજો.” પછી સિદ્ધિઓ અદશ્ય થઈ ગઈ.
• લક્ષ્મીબાઈ રસોઈ ધીમે કરે
• ભક્તિમાતાને ભૂખ લાગી
• પ્રભુએ ૮ સિદ્ધિઓને બોલાવ્યાં
• બત્રીસ પકવાનવાળા થાળ
• પહેલા પ્રભુ જમ્યા → પછી માતા
• જરૂર પડે ત્યારે જ આવવાનું કહ્યું
એક દિવસ ઘનશ્યામે ભોજન માગ્યું, ત્યારે ભક્તિમાતાએ તેમને ટાઢી ખીચડી આપી અને દૂધ લેવા ગૌશાળામાં ગયા. ગાય ગોમતીમાંથી દૂધ નીકળતું નહોતું.
એવામાં ઘનશ્યામ આવ્યા અને પવાલું આંચળ નીચે મૂક્યું તો તરત જ દૂધની ધાર વહેવા લાગી. એક પછી એક વાસણ ભરાઈ ગયા, છતાં દૂધ બંધ ન થયું. અંતે ઘનશ્યામે કહ્યું કે આ તેમની ઇચ્છાથી ચાલે છે અને દૂધ બંધ થઈ ગયું.
આ ચમત્કાર જોઈ ભક્તિમાતા ખૂબ પ્રસન્ન થયા અને ખીચડીને બદલે દૂધપાક-પૂરી બનાવી પ્રેમથી ઘનશ્યામને જમાડ્યા.
• ખીચડી આપી → માતા દૂધ લેવા ગયા
• ગોમતી ગાય → દૂધ ન આવ્યું
• ઘનશ્યામ આવ્યા → દૂધની ધાર શરૂ
• ઘણા વાસણો ભરાયા
• ઘનશ્યામે દૂધ બંધ કરાવ્યું
• દૂધપાક-પૂરી બનાવી
ઘનશ્યામના ત્રીજા વર્ષે ધર્મપિતાએ તેમના વાળ ઉતરાવવાનું નક્કી કર્યું અને અમઈ નામના વાળંદને બોલાવ્યો. વાળ ઉતારતા વખતે અડધી હજામત થઈ ત્યાં ઘનશ્યામ અદશ્ય થઈ ગયા.
ભક્તિમાતાને તો ઘનશ્યામ દેખાતા હતા, પરંતુ વાળંદને દેખાતા નહોતાં, તેથી તે ગભરાઈ ગયો. ભક્તિમાતાએ ઘનશ્યામને વિનંતી કરી કે દર્શન આપો.
ત્યારે ઘનશ્યામે ફરી દૃષ્ટિ કરી અને વાળંદને દેખાયા. વાળંદે હજામત પૂરી કરી અને સમજ્યો કે આ બાળક ભગવાન છે.
• ઉંમર → ત્રીજું વર્ષ
• વાળ ઉતરાવવા → અમઈ વાળંદ
• અડધી હજામત → ઘનશ્યામ અદશ્ય
• માતાને દેખાય → વાળંદને નહીં
• ફરી દર્શન → હજામત પૂરી
• વાળંદને નિશ્ચય થયો
“પરબ્રહ્મ એક સવોચ્ચ અને સર્વોપરી તત્ત્વ છે તેમ સર્વ વૈદિક દર્શનોને અને ભાષ્યકારોને સ્વીકાય છે.”
“પરંતુ અક્ષરબ્રહ્મ શું છે તેનો ખ્યાલ સ્પષ્ટપણે કોઈપણ વેદાંતદર્શનમાં અપાયો નથી.”
“શાસ્ત્રોમાં ઘણું ખરું બ્રહ્મને જ પરબ્રહ્મ લખ્યા છે.”
“આમ છતાં કેટલીક શ્રુતિઓમાં બ્રહ્મને જુદા પણ વર્ણવ્યા છે.”
“શ્રી સ્વામિનારાયણ વેદાંતમાં જીવ, ઈશ્વર અને માયાના આધાર, તેના કારણ (તેમાં વ્યાપક) અને આ ત્રણેથી પર પરંતુ પરબ્રહ્મથી નિમ્ન એવું ચોથું તત્ત્વ અક્ષરબ્રહ્મ છે.”
“‘અક્ષર' અને ‘બ્રહ્મ' એ સંજ્ઞાથી આ તત્ત્વ પ્રચલિતપણે ઓળખાય છે.”
“મુક્તિમાં અંતિમ ધ્યેય અક્ષરબ્રહ્મના ભાવને પામી પરબ્રહ્મ પરમાત્મા શ્રી સહજાનંદ સ્વામીની સેવા કરવી તે જ છે.”
“અક્ષરબ્રહ્મ વિના એ ઉપાસના સિદ્ધ થતી નથી.”
“અક્ષરબ્રહ્મના સંબંધથી પરબ્રહ્મની તત્ત્વે સહેત ઓળખાણ થાય છે, માયાનો ભાવ ટળે છે, બ્રહ્મરૂપ થવાય છે અને આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે.”
પરબ્રહ્મ સર્વોચ્ચ તત્ત્વ છે.
અક્ષરબ્રહ્મનો ખ્યાલ અન્ય વેદાંતમાં સ્પષ્ટ નથી.
અક્ષરબ્રહ્મ ચોથું તત્ત્વ છે.
અક્ષરબ્રહ્મ જીવ, ઈશ્વર અને માયાથી પર છે.
પરબ્રહ્મથી નિમ્ન તત્ત્વ છે.
અક્ષરબ્રહ્મ વિના ઉપાસના સિદ્ધ થતી નથી.
અક્ષરબ્રહ્મ દ્વારા જ પરબ્રહ્મની ઓળખાણ થાય છે.
અક્ષરબ્રહ્મથી બ્રહ્મરૂપ થવાય છે.
૧. અક્ષરબ્રહ્મનું તત્ત્વજ્ઞાન
શાસ્ત્રોમાં બ્રહ્મ અને પરબ્રહ્મનો ઉલ્લેખ છે, પરંતુ અક્ષરબ્રહ્મનું સ્પષ્ટ નિરૂપણ શ્રીજીમહારાજે કર્યું છે. તેઓ અક્ષરબ્રહ્મને ચોથું તત્ત્વ તરીકે સમજાવે છે.
૨. ચાર તત્ત્વનો ભેદ
શ્રી સ્વામિનારાયણ વેદાંત મુજબ જીવ, ઈશ્વર, માયા અને અક્ષરબ્રહ્મ — આ ચાર તત્ત્વ છે. અક્ષરબ્રહ્મ આ ત્રણથી પર છે, પરંતુ પરબ્રહ્મથી નિમ્ન છે.
૩. ઉપાસનામાં અક્ષરબ્રહ્મનું સ્થાન
અક્ષરબ્રહ્મ વિના પરબ્રહ્મની ઉપાસના સિદ્ધ થતી નથી. અક્ષરબ્રહ્મના સંબંધથી જ પરબ્રહ્મની સાચી ઓળખ થાય છે.
૪. મુક્તિમાં અક્ષરબ્રહ્મનું મહત્વ
મુક્તિમાં અંતિમ ધ્યેય અક્ષરબ્રહ્મના ભાવને પામી પરબ્રહ્મની સેવા કરવી છે. અક્ષરબ્રહ્મથી જ બ્રહ્મરૂપતા પ્રાપ્ત થાય છે અને કલ્યાણ થાય છે.
પરબ્રહ્મ સર્વોચ્ચ અને સર્વોપરી તત્ત્વ છે, જે સર્વ વૈદિક દર્શનો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ અક્ષરબ્રહ્મનું તત્ત્વ અન્ય વેદાંતદર્શનોમાં સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું નથી. શાસ્ત્રોમાં ઘણીવાર બ્રહ્મને જ પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યું છે, છતાં કેટલીક શ્રુતિઓમાં બ્રહ્મને અલગ રીતે પણ દર્શાવવામાં આવ્યું છે.
શ્રીજીમહારાજે અક્ષરબ્રહ્મનું વિશિષ્ટ અને સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. તેમના વેદાંત મુજબ જીવ, ઈશ્વર અને માયાના આધારરૂપ, તેના કારણરૂપ અને આ ત્રણથી પર પરંતુ પરબ્રહ્મથી નિમ્ન એવું ચોથું તત્ત્વ અક્ષરબ્રહ્મ છે. આ તત્ત્વ ‘અક્ષર’ અથવા ‘બ્રહ્મ’ તરીકે ઓળખાય છે.
સ્વામિનારાયણ ઉપાસનામાં અક્ષરબ્રહ્મનું વિશિષ્ટ સ્થાન છે. મુક્તિનો અંતિમ ધ્યેય અક્ષરબ્રહ્મના ભાવને પામી પરબ્રહ્મ શ્રી સહજાનંદ સ્વામીની સેવા કરવી છે.
અક્ષરબ્રહ્મ વિના પરબ્રહ્મની ઉપાસના સિદ્ધ થતી નથી, કારણ કે અક્ષરબ્રહ્મના સંબંધથી જ પરબ્રહ્મની તત્ત્વસહિત ઓળખાણ થાય છે. તેનાથી માયાનો ભાવ ટળે છે, જીવ બ્રહ્મરૂપ બને છે અને અંતે આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરે છે.
• પરબ્રહ્મ સર્વોચ્ચ તત્ત્વ
• અક્ષરબ્રહ્મ ચોથું તત્ત્વ
• જીવ, ઈશ્વર, માયાથી પર
• પરબ્રહ્મથી નિમ્ન
• ઉપાસનામાં જરૂરી
• પરબ્રહ્મની ઓળખાણ અક્ષરથી
• બ્રહ્મરૂપતા અક્ષરથી
• મુક્તિ માટે આવશ્યક
“निर्विकल्प उत्तम अति निश्चय तव घनश्याम...” — સદગુરુ પ્રેમાનંદ સ્વામી
“અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ.” — શ્રીજીમહારાજ (વચ. લો. ૧૨)
“એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને એ બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી.” — શ્રીજીમહારાજ (વચ. ગ.મ. ૩)
“પોતાના જીવને ને અક્ષરબ્રહ્મને એક માનીને જે પુરુષોત્તમની ઉપાસના કરે છે તે પુરુષ ધન્ય છે અને અક્ષરને ને પોતાના જીવને ભેદપણે કરીને જાણે છે ને પોતાના જીવને વિષે અક્ષરને એકપણે કરીને નથી વિચારતા ને સ્વામી-સેવકપણે કરીને વિચારે છે તેને ધિક્કાર છે.” — વેદરસ (પૃ. ૨૨૦)
“અક્ષરને પોતાના આત્માને વિષે એકપણે કરીને જે પુરુષોત્તમ પરમાત્મા છે, તેની ઉપાસના કરે છે તે પુરુષને ધન્ય છે અને જે પુરુષોત્તમને વિષે સ્વામી-સેવકપણે નથી વર્તતા ને એડત્વપણે વર્તે છે તેને પણ ધિક્કાર છે.” — વેદરસ (પૃ. ૨૨૦)
“આ વચનામૃત સાંભળતાં એમ જણાણું જે, કોટિ કલ્પ સુધી એમ (અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ) કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના-મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છુટકો નથી, કેમ જે, એ પણ મહારાજનો મત છે.” — ગુણાતીતાનંદ સ્વામી (સ્વા.વા. ૩/૧૩)
“निर्विकल्प उत्तम अति निश्चय तव घनश्याम...” — સદગુરુ પ્રેમાનંદ સ્વામી
ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જરૂરી છે.
અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના કરવી.
જીવને અક્ષર સાથે એકતા કરવી.
પુરુષોત્તમની સ્વામી-સેવક ભાવે ઉપાસના કરવી.
અક્ષર વિના નિર્વિકલ્પ નિશ્ચય નથી.
બ્રહ્મરૂપ થયા વિના મુક્તિ નથી.
૧. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયનો સિદ્ધાંત
શ્રીજીમહારાજ કહે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. આથી જ પુરુષોત્તમના સર્વોત્કૃષ્ટ સ્વરૂપની પ્રતીતિ થાય છે.
૨. બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ
શ્રીજીમહારાજ સમજાવે છે કે બ્રહ્મ અને પરબ્રહ્મ અલગ છે. બ્રહ્મને સાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી જોઈએ.
૩. વેદરસનો દૃઢ ઉપદેશ
વેદરસમાં જણાવાયું છે કે જે અક્ષર સાથે પોતાના જીવને એક માનીને પુરુષોત્તમની ઉપાસના કરે છે તે ધન્ય છે. અને જે આ રીતે નથી કરતો તેને ધિક્કાર છે.
૪. ગુણાતીતાનંદ સ્વામીનો નિશ્ચય
ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કોટિ કલ્પ સુધી પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કર્યા વિના મુક્તિ શક્ય નથી.
શ્રીજીમહારાજે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયને ખૂબ મહત્વ આપ્યું છે. આ નિશ્ચય દ્વારા જ પુરુષોત્તમ નારાયણના સર્વોત્કૃષ્ટ સ્વરૂપની સાચી પ્રતીતિ થાય છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામી પણ પ્રાર્થનામાં આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની યાચના કરે છે.
વચનામૃતમાં શ્રીજીમહારાજ સમજાવે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. અક્ષરધામરૂપ અક્ષર જે છે તે રૂપે પોતે રહીને પુરુષોત્તમની ઉપાસના કરવી જોઈએ.
વળી, તેઓ કહે છે કે બ્રહ્મ અને પરબ્રહ્મ અલગ છે. બ્રહ્મને સાથે એકતા કરીને અને પરબ્રહ્મને સ્વામી-સેવકભાવે ભજવું જોઈએ.
વેદરસમાં આ સિદ્ધાંતને વધુ દૃઢ રીતે સમજાવવામાં આવ્યો છે કે જે પોતાના જીવને અક્ષર સાથે એક માનીને પુરુષોત્તમની ઉપાસના કરે છે તે ધન્ય છે, અને જે આ રીતે નથી કરતો તેને ધિક્કાર છે.
ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કર્યા વિના કોઈને મુક્તિ નથી, ભલે તે કેટલો પણ મોટો હોય.
આથી સ્પષ્ટ થાય છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી એ જ શ્રીજીમહારાજનો સનાતન સિદ્ધાંત છે અને મુક્તિ માટે આવશ્યક છે.
• ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય જરૂરી
• અક્ષરરૂપ થવું જરૂરી
• જીવ-અક્ષર એકતા કરવી
• પુરુષોત્તમની સ્વામી-સેવક ભાવે ઉપાસના
• બ્રહ્મ અને પરબ્રહ્મ ભેદ સમજવો
• અક્ષર વિના મુક્તિ નથી
• ગુણાતીતાનંદ સ્વામીનો દૃઢ મત
“જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે.” — શ્રીજીમહારાજ (વચ. લો. ૭)
“ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्॥” — ભગવદ્ ગીતા (૧૮-૫૪)
“સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય, જ્યારે પ્રકૃતિપુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્યબ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને અને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ભજન કરે.” — શ્રીજીમહારાજ (વચ. ગ.મ. ૩૦)
“બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેમાંથી નોખા પાડવાનો તો મહારાજે એક શ્લોક લખ્યો છે જે, “निजात्मानं બ્રહ્મરૂપમ્...” જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, તેમ બ્રહ્મરૂપ થાવું તેમાં કોઈ દોષ જ ન મળે.” — ગુણાતીતાનંદ સ્વામી (સ્વા.વા. ૧/૧૪૧)
“બીર્જું અક્ષરરૂપ થઈને જે શ્રી પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા એ ભૂલ છે.” — શ્રીજીમહારાજ
“માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય.” — શ્રીજીમહારાજ (વચ. લો. ૭)
“ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम्॥” — ભગવદ્ ગીતા
“निजात्मानं ब्रह्मरूपम्...” — શ્લોક (સંદર્ભ: ગુણાતીતાનંદ સ્વામી દ્વારા ઉલ્લેખિત)
બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમની ભક્તિનો અધિકાર નથી.
બ્રહ્મરૂપતા વિના ભક્તિમાં વિઘ્ન આવે છે.
કંચન અને કામિની મોટાં વિઘ્ન છે.
બ્રહ્મરૂપ થયા પછી જ વિષયોમાંથી મુક્તિ મળે છે.
બ્રહ્મરૂપ થયા વિના આત્યંતિક મુક્તિ નથી.
૧. ભક્તિના અધિકારી બનવા માટે
શ્રીજીમહારાજ જણાવે છે કે માત્ર બ્રહ્મરૂપ થયેલો જ પુરુષોત્તમની ભક્તિનો સાચો અધિકારી છે. ભગવદ્ ગીતા પણ બ્રહ્મરૂપતા પછી પરાભક્તિ પ્રાપ્ત થતી બતાવે છે.
૨. નિર્વિઘ્ન ભક્તિ માટે
કંચન અને કામિની જેવા વિષયો સૌથી મોટા વિઘ્ન છે. બ્રહ્મરૂપ થયા વિના મન વિષયોમાં આસક્ત થાય છે અને ભક્તિમાંથી પડી જવાનો ભય રહે છે.
૩. વિષયવાસનાથી મુક્તિ
શ્રીજીમહારાજ સમજાવે છે કે બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનીને જ કંચન-કામિનીથી મુક્તિ મળે છે અને શુદ્ધ ભક્તિ શક્ય બને છે.
૪. આત્યંતિક મુક્તિ માટે
શ્રીજીમહારાજ કહે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની સેવા કરવી એ જ મુક્તિ છે. બ્રહ્મરૂપ થયા વિના આત્યંતિક કલ્યાણ શક્ય નથી.
શ્રીજીમહારાજે બ્રહ્મરૂપ થવાની આવશ્યકતા ત્રણ મુખ્ય કારણોથી સમજાવી છે. પ્રથમ, પુરુષોત્તમની ભક્તિના અધિકારી થવા માટે બ્રહ્મરૂપ થવું આવશ્યક છે. માત્ર ભક્તિ કરવાથી નહિ, પરંતુ બ્રહ્મરૂપ થયા પછી જ સાચી પરાભક્તિ પ્રાપ્ત થાય છે, જે ભગવદ્ ગીતા પણ સમર્થિત કરે છે.
બીજું, ભક્તિને નિર્વિઘ્ન રાખવા માટે બ્રહ્મરૂપ થવું જરૂરી છે. કંચન અને કામિની જેવા વિષયો સૌથી મોટા વિઘ્ન છે, અને બ્રહ્મરૂપતા વિના મન વિષયોમાં આસક્ત થઈ જાય છે. તેથી ભક્તિમાંથી પડી જવાનો ભય રહે છે. બ્રહ્મને પોતાનું સ્વરૂપ માનીને જ આ વિઘ્નોથી મુક્તિ મળે છે.
ત્રીજું, આત્યંતિક મુક્તિ માટે પણ બ્રહ્મરૂપ થવું આવશ્યક છે. શ્રીજીમહારાજ સ્પષ્ટ કહે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની સેવા કરવી એ જ મુક્તિ છે. જો કોઈ બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે આત્યંતિક કલ્યાણ પામતો નથી.
આથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મરૂપ થવું માત્ર એક સાધન નથી, પરંતુ ભક્તિ, નિર્વિઘ્નતા અને મુક્તિ — ત્રણે માટે અનિવાર્ય તત્ત્વ છે.
• બ્રહ્મરૂપ થયા વિના ભક્તિનો અધિકાર નથી
• ગીતા મુજબ બ્રહ્મભૂત પછી પરાભક્તિ
• કંચન-કામિની સૌથી મોટા વિઘ્ન
• બ્રહ્મરૂપ થયા પછી જ નિર્વિઘ્ન ભક્તિ
• બ્રહ્મરૂપ થયા વિના મુક્તિ નથી
• અક્ષરરૂપ થવું આવશ્યક
“તે (અક્ષર) ધામને વિષે બ્રહ્મરૂપે કરીને પરબ્રહ્મની સેવા કરવી તે અમે મુક્તિ (મોક્ષ) માની છે.” — શ્રીજીમહારાજ
“નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિષે આવે.” — શ્રીજીમહારાજ (વચ. ગ.મ. ૩૧)
“ब्रह्म वेद ब्रह्मैव भवति” — મુંડકોપનિષદ (૩-૨-૯)
“બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.” — ગુણાતીતાનંદ સ્વામી (સ્વા.વા. ૩/૧૨)
“જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને નિષ્કપટભાવે કરીને ભગવાનનાં ચરણકમળને ભજે છે ત્યારે એની માયિક દષ્ટિ મટે છે. તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સત્ ચિત્ આનંદમય જાણે છે.” — શ્રીજીમહારાજ (વચ. પં. ૭)
“વળી જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇન્દ્રિયો-અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે.” — શ્રીજીમહારાજ (વચ. ગ.પ્ર. ૫૧)
“આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં... જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે.” — શ્રીજીમહારાજ (વચ. ગ.મ. ૧૩)
“પુરુષોત્તમ ભગવાન જે તે સર્વમાં કારણપણે, અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષપ્રકૃતિમાં નથી.” — શ્રીજીમહારાજ (વચ. ગ.પ્ર. ૪૧)
“બ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મને પામે છે.” — તેત્તિરીયોપનિષદ (૨-૧)
“ब्रह्म वेद ब्रह्मैव भवति” — મુંડકોપનિષદ
“બ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મને પામે છે.” — તેત્તિરીયોપનિષદ
બ્રહ્મરૂપ થવા માટે અક્ષરબ્રહ્મનો સંગ જરૂરી છે.
માયાનો નાશ બ્રહ્મના સંગથી થાય છે.
બ્રહ્મના ગુણ સંગથી આવે છે.
સત્પુરુષ વિના ભગવાનનો નિશ્ચય થતો નથી.
અક્ષર દ્વારા પુરુષોત્તમની ઓળખ થાય છે.
શાસ્ત્રોથી alone સમજણ નથી થતી.
૧. બ્રહ્મરૂપ થવાનો માર્ગ
શ્રીજીમહારાજ સમજાવે છે કે બ્રહ્મરૂપ થવા માટે અક્ષરબ્રહ્મનો સંગ આવશ્યક છે. મનન અને સંગથી જ બ્રહ્મના ગુણ જીવમાં આવે છે અને અજ્ઞાનનો નાશ થાય છે.
૨. ગુણાતીત સંતનો સંગ
ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મરૂપ થવા માટે એવા સંતને બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચનથી તેનો સંગ કરવો જોઈએ. તેનાથી જીવ બ્રહ્મરૂપ બને છે.
૩. પુરુષોત્તમનો નિશ્ચય
શ્રીજીમહારાજ જણાવે છે કે ભગવાનનો સાચો નિશ્ચય એકાંતિક સંતના વચન અને સંગથી જ થાય છે. તેનાથી માયિક દૃષ્ટિ દૂર થાય છે.
૪. શાસ્ત્રોથી સમજણની મર્યાદા
શાસ્ત્રોમાં લખેલી વાતો પોતાના બુદ્ધિબળથી સમજાતી નથી. સત્પુરુષના મુખથી જ ભગવાનના તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
૫. અક્ષર દ્વારા પુરુષોત્તમની ઓળખાણ
અક્ષરબ્રહ્મ પુરુષોત્તમને સૌથી નજીક હોવાથી તેના દ્વારા જ પુરુષોત્તમનો યથાર્થ મહિમા સમજાય છે.
મોક્ષમાર્ગમાં અક્ષરબ્રહ્મની આવશ્યકતા બે મુખ્ય રીતે સમજાવવામાં આવી છે. પ્રથમ, બ્રહ્મરૂપ થવા માટે અક્ષરબ્રહ્મનો સંગ અનિવાર્ય છે. શ્રીજીમહારાજ કહે છે કે જીવનું અનાદિ અજ્ઞાન, વાસના અને દેહભાવ કોઈ સાધનોથી દૂર થતો નથી, પરંતુ બ્રહ્મના સંગથી જ નાશ પામે છે. બ્રહ્મના ગુણ સંગથી જીવમાં આવે છે અને તે બ્રહ્મરૂપ બને છે.
ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે કે એવા સંતને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ અને વચનથી તેનો સંગ કરવાથી જ બ્રહ્મરૂપ થવાય છે.
બીજું, પરબ્રહ્મને તત્ત્વે સહિત ઓળખવા માટે પણ અક્ષરબ્રહ્મ જરૂરી છે. ભગવાન માયાથી પર છે, તેથી માયિક અંતઃકરણથી તેમની સાચી ઓળખાણ થતી નથી. પરંતુ એકાંતિક સંતના વચન અને સંગથી માયિક દૃષ્ટિ દૂર થાય છે અને ભગવાનને પરમ ચૈતન્ય સ્વરૂપે ઓળખી શકાય છે.
શ્રીજીમહારાજ સ્પષ્ટ કહે છે કે ભગવાનના તત્ત્વનું જ્ઞાન શાસ્ત્રોથી પોતાની બુદ્ધિથી પ્રાપ્ત થતું નથી, પરંતુ પ્રગટ સત્પુરુષ દ્વારા જ સમજાય છે.
અક્ષરબ્રહ્મ પુરુષોત્તમને સૌથી નજીક હોવાથી તેમના દ્વારા જ પુરુષોત્તમનો યથાર્થ મહિમા સમજાય છે. તેથી અક્ષરબ્રહ્મને ઓળખવું, તેમનો મહિમા સમજવો અને મન-કર્મ-વચનથી તેમનો પ્રસંગ કરવો મોક્ષમાર્ગમાં અનિવાર્ય છે.
• બ્રહ્મરૂપ થવા અક્ષરનો સંગ જરૂરી
• માયાનો નાશ બ્રહ્મથી
• બ્રહ્મના ગુણ સંગથી આવે
• સત્પુરુષ વિના નિશ્ચય નથી
• શાસ્ત્રોથી alone સમજણ નથી
• અક્ષર દ્વારા પુરુષોત્તમ ઓળખાય
• મોક્ષ માટે અક્ષરબ્રહ્મ જરૂરી
“દસ ઇન્દ્રિયો, પંચભૂત અને મન, આ સોળ વિકારથી યુક્ત અને ઉત્તરોત્તર દસ-દસ ગણાં પૃથિવી આદિ અષ્ટાવરણોથી યુક્ત પચાસ કોટિ યોજન વિસ્તારવાળું બ્રહ્માંડ પણ જેની પાસે પરમાણુ તુલ્ય જણાય છે અને આવાં અનંત કોટિ બ્રહ્માંડો જેની પાસે પરમાણુ તુલ્ય જણાય છે તે અક્ષરબ્રહ્મ, સર્વના કારણ જે પ્રકૃતિપુરુષ તેનું પણ કારણ છે અને સાક્ષાત્ પુરુષાકૃતિ પરમાત્માનું ધામ છે.” — ભાગવત (૩/૧૧/૪૦)
“અક્ષર સર્વના દ્રષ્ટા છે, સર્વના સાક્ષી છે. માટે એ સર્વેનું બ્રહ્મને જાણપણું છે ને સર્વનું ઈશ્વરપણું (પ્રશાસકપણું) છે ને સર્વેનું નિયંતાપણું છે ને કર્તાપણું છે ને એ બ્રહ્મ ફૂટસ્થ છે. પુરુષ પ્રકૃતિ આદિક સર્વમાં મળી (વ્યાપી) રહ્યા છે. સર્વના અંતર્યામી છે ને સર્વના પ્રેરક છે ને એકરસ સ્વરૂપ છે ને અખંડ જ્ઞાનેયુક્ત છે... અને જેની સત્તાએ કરીને પુરુષ પ્રકૃતિમય જે સમસ્ત પ્રપંચ ઊપજે છે ને જેની સત્તાએ કરીને થોભે છે, તે બ્રહ્મ અનંત શક્તિએ કરીને યુક્ત છે.. અને અતિ સૂક્ષ્મમાં અતિશે સુક્ષ્મ છે.” — વેદરસ (પૃષ્ઠ ૧૫૭ થી ૧૫૯ તથા ૧૬૫, ૨૧૩ના આધારે)
“એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને, આર્ચિમાર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે; તે અક્ષરનાં બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ; અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે.” — શ્રીજીમહારાજ (વચ. ગ.પ્ર. ૨૧)
“અક્ષરરૂપ જે બ્રહ્મ છે તે જ શ્રી પુરુષોત્તમ નારાયણને રહેવા સારુ ધામરૂપ થયું છે ને સર્વ અક્ષરબ્રહ્મ? થકી ભગવાનના ધામરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે.. ને એને કોઈ ધામની ઉપમા ન દેવાય તેવું છે... ને અપાર છે ત્યાં દષ્ટાંત છે: જેમ આકાશ અપાર છે. તેની ચારે કોરે જોઈએ તે કોઈ દિશામાં અંત આવતો નથી તેમ એ ભગવાનના ધામનો હેઠે, ઉપર અને ચારે કોરે અંત નથી કેમ જે એ અપાર છે તેનો જો પાર લેવા માંડે તો પાર આવે નહીં એવું મોટું બ્રહ્મપુર છે... ને તે ધામને વિષે અસંખ્ય પાર્ષદ રહ્યા છે તે સર્વ ભગવાનની સેવામાં નિરંતર તત્પર રહ્યા છે.” — શ્રીજીમહારાજ (વચ. અમ. ૬)
“સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે (રહેવાનું સ્થાનવિશેષ છે). અને તે અક્ષરની સંકોચ ને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એકરૂપે રહે છે અને તે (ધામરૂપ) અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી... તેમ અક્ષરધામ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે નહીં, તે શા માટે જે, એવાં એવાં બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઊડતાં જ ફરે છે એવડાં મોટાં છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે...” — શ્રીજીમહારાજ (વચ. ગ.પ્ર. ૬૩)
“मूर्त तत्रास्ति कृष्णस्य सेवायां दिव्यविग्रहम्” — હરિવાક્યસુધાસિંધુ (ત. ૨૧/૨૨)
“મૂર્ત (સાકાર) અક્ષરબ્રહ્મ દિવ્યવિગ્રહ છે, અને શ્રીહરિના રૂપને અનુરૂપ એવાં કરચરણાદિ સર્વ અવયવોથી યુક્ત હોવાથી અતિશય સુંદર પુરુષાકાર મૂર્તિમાન છે. અને પોતાથી પણ અત્યધિક, તિરતિશય શરીરની શોભાવાળા એવા પોતાના ઇષ્ટદેવ શ્રીહરિકૃષ્ણ પુરુષોત્તમ નારાયણની नित्य સેવામાં દાસની જેમ વતે છે.” — સેતુમાલા ટીકા
“શ્રીહરિ પોતાના અક્ષરધામમાં અક્ષરબ્રહ્મના ભાવને (સાધર્મ્યને) પામેલા અનંત કોટિ મુક્તો તથા મૂર્તિમાન અક્ષરબ્રહ્મ વડે પોતાની (શ્રીહરિની) ઈચ્છાનુસાર સેવા કરાઈ રહ્યા છે.” — સેતુમાલા ટીકા
“તે અક્ષર, પુરુષોત્તમ નારાયણના મુખ્ય પરિચારક, (મુખ્ય સેવક, આદર્શ સેવક, અનાદિના સર્વોત્કૃષ્ટ સેવક) હોવાથી અને દિવ્ય, અતિ મનોહર એવાં હાથ, પગ, મુખ વગેરે અવયવોથી સંપન્ન હોવાથી પુરુષાકાર સાકાર છે.” — સેતુમાલા ટીકા
“ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે એશ્વર્ય તે સહિત પધારે છે... માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.” — શ્રીજીમહારાજ (વચ. ગ.પ્ર. ૪૧)
“मूर्त तत्रास्ति कृष्णस्य सेवायां दिव्यविग्रहम्” — હરિવાક્યસુધાસિંધુ (ત. ૨૧/૨૨)
“दशोत्तरादिकैर्यत्र प्रविष्टं परमाणुवत् ।
लक्ष्यतेऽन्तर्गताश्चान्ये कोटिशो ब्रह्माण्डराशयः॥
तदाहुरक्षरं ब्रह्म सर्वकारणकारणम् ।
विष्णोर्धाम परं साक्षात् पुरुषस्य महात्मनः॥” — શાસ્ત્રીય પ્રમાણ
અક્ષરબ્રહ્મનો અપાર મહિમા વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા અને શ્રીજીમહારાજે કહ્યો છે.
અક્ષરબ્રહ્મ સર્વના કારણ પ્રકૃતિપુરુષનું પણ કારણ છે.
અક્ષરબ્રહ્મ સર્વના દ્રષ્ટા, સાક્ષી, નિયંતા, કર્તા, અંતર્યામી અને પ્રેરક છે.
અક્ષરનાં બે સ્વરૂપ છે — ચિદાકાશરૂપ અને પુરુષોત્તમની સેવામાં રહેલું સ્વરૂપ.
સંક્ષેપમાં અક્ષરબ્રહ્મ ચાર સ્વરૂપે સેવાકાર્ય કરે છે.
ચિદાકાશરૂપ અક્ષરબ્રહ્મ નિરાકાર, નિર્વિકારી, અનાદિ અને સર્વવ્યાપક છે.
ધામરૂપ અક્ષરબ્રહ્મ સાકાર, મૂર્તિમાન, અપાર અને પુરુષોત્તમનું નિવાસસ્થાન છે.
અક્ષરબ્રહ્મ ધામમાં દિવ્યવિગ્રહ સેવકરૂપે પુરુષોત્તમની સેવામાં તત્પર છે.
અક્ષરબ્રહ્મ સંસારમાં બ્રહ્મસ્વરૂપ સત્પુરુષરૂપે પણ પ્રગટ રહે છે.
૧. અક્ષરબ્રહ્મનો અતિશય મહિમા
શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મનો એવો મહિમા બતાવ્યો છે કે અનંત બ્રહ્માંડો પણ તેની પાસે પરમાણુતુલ્ય જણાય છે. તે પ્રકૃતિપુરુષનું પણ કારણ છે અને પુરુષોત્તમનું ધામ છે.
૨. અક્ષરના બે અને ચાર સ્વરૂપનો નિર્દેશ
શ્રીજીમહારાજે અક્ષરના બે સ્વરૂપ કહ્યાં — ચિદાકાશરૂપ અને સેવામાં રહેલું સ્વરૂપ. ત્યારબાદ આ સમજણમાં ચાર સ્વરૂપ સમજાવ્યાં — ચિદાકાશરૂપ, ધામરૂપ, ધામમાં મૂર્તિમાન સેવકરૂપ અને સંસારમાં સત્પુરુષરૂપ.
૩. ચિદાકાશરૂપ અક્ષરબ્રહ્મ
આ સ્વરૂપ નિરાકાર, નિર્વિકારી, અનાદિ અને સર્વવ્યાપક છે. તે સર્વ પદાર્થમાં તથા રજના અણુમાં પણ વ્યાપે છે અને ધામરૂપ અક્ષરનું સચ્ચિદાનંદ તેજ છે.
૪. ધામરૂપ અક્ષરબ્રહ્મ
ધામરૂપ અક્ષરબ્રહ્મ સાકાર, મૂર્તિમાન અને અતિ અપાર છે. તે પુરુષોત્તમ નારાયણનું અનાદિ ધામ છે, જેમાં અસંખ્ય પાર્ષદો ભગવાનની સેવામાં તત્પર રહે છે.
૫. સેવકરૂપ અક્ષરબ્રહ્મ
અક્ષરધામમાં અક્ષરબ્રહ્મ દિવ્યવિગ્રહ, સુંદર પુરુષાકાર અને મુખ્ય પરિચારકરૂપે પુરુષોત્તમની નિત્ય સેવામાં રહે છે. તે સર્વોત્કૃષ્ટ ભક્તિ અને સેવાનો આદર્શ છે.
૬. સત્પુરુષરૂપ અક્ષરબ્રહ્મ
ભગવાન જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે પોતાના અક્ષરધામ, પાર્ષદ અને એશ્વર્ય સહિત આવે છે. ત્યારબાદ અક્ષરબ્રહ્મ દ્વારા જ પોતાનું પ્રગટપણું જાળવી અનંત જીવોના મોક્ષનો માર્ગ ચાલુ રાખે છે.
અક્ષરબ્રહ્મનો મહિમા વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા, વેદરસ અને વચનામૃતમાં અતિ વિશાળ રીતે જણાવાયો છે. શાસ્ત્રીય પ્રમાણ મુજબ અનંત બ્રહ્માંડો પણ અક્ષરબ્રહ્મ સમક્ષ પરમાણુ સમાન જણાય છે. તે પ્રકૃતિપુરુષનું પણ કારણ છે અને પુરુષોત્તમ પરમાત્માનું સાક્ષાત્ ધામ છે. વેદરસમાં અક્ષરબ્રહ્મને સર્વના દ્રષ્ટા, સાક્ષી, નિયંતા, કર્તા, અંતર્યામી, પ્રેરક, એકરસ અને અખંડ જ્ઞાનમય બતાવ્યા છે. તે સર્વ પ્રપંચના આધારરૂપ અને અનંત શક્તિથી યુક્ત છે.
શ્રીજીમહારાજે વચનામૃતમાં અક્ષરના બે સ્વરૂપ કહ્યાં છે — એક નિરાકાર, એકરસ ચૈતન્યરૂપ ચિદાકાશ અને બીજું પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેલું સ્વરૂપ. આ બે સ્વરૂપની વિસ્તૃત સમજણમાં અક્ષરબ્રહ્મના ચાર સ્વરૂપ સમજાવવામાં આવ્યા છે: (૧) ચિદાકાશરૂપ અક્ષરબ્રહ્મ, (૨) ધામરૂપ અક્ષરબ્રહ્મ, (૩) ધામમાં મૂર્તિમાન સેવકરૂપ અક્ષરબ્રહ્મ, અને (૪) સંસારમાં બ્રહ્મસ્વરૂપ સત્પુરુષરૂપ અક્ષરબ્રહ્મ.
ચિદાકાશરૂપ અક્ષરબ્રહ્મ નિરાકાર, નિર્વિકારી, અનાદિ અને સર્વવ્યાપક છે. તે સર્વ પદાર્થમાં વ્યાપક છે અને ધામરૂપ અક્ષરનું સચ્ચિદાનંદ તેજ છે. ધામરૂપ અક્ષરબ્રહ્મ સાકાર, મૂર્તિમાન, અનાદિ અને અપાર છે. તે પુરુષોત્તમ ભગવાનનું નિવાસસ્થાન છે, જેમાં અસંખ્ય પાર્ષદો ભગવાનની સેવામાં તત્પર રહે છે. તે એટલું વિશાળ છે કે તેની ઉપમા કોઈ ધામને આપી શકાય નહીં.
અક્ષરધામમાં અક્ષરબ્રહ્મ દિવ્યવિગ્રહ પુરુષાકાર સ્વરૂપે પુરુષોત્તમની નિત્ય સેવામાં તત્પર રહે છે. હરિવાક્યસુધાસિંધુ અને સેતુમાલા ટીકામાં તેને મુખ્ય પરિચારક, મુખ્ય સેવક અને સર્વોત્કૃષ્ટ સેવક તરીકે વર્ણવ્યું છે. તે સુંદર, દિવ્ય, સાકાર અને દાસભાવથી ભગવાનની સેવા કરતું સ્વરૂપ છે.
ચોથું સ્વરૂપ સંસારમાં બ્રહ્મસ્વરૂપ સત્પુરુષરૂપે છે. શ્રીજીમહારાજે કહ્યું છે કે જ્યારે ભગવાન પૃથ્વી પર આવે છે ત્યારે પોતાનું અક્ષરધામ, ચૈતન્યમૂર્તિ પાર્ષદો અને એશ્વર્ય સહિત આવે છે. પછી પોતાના અંતર્ધાન પછી પણ અક્ષરબ્રહ્મ દ્વારા જ પોતાનું પ્રગટપણું જાળવે છે અને અનંત મુમુક્ષુઓને મોક્ષનો માર્ગ આપે છે. આ રીતે અક્ષરબ્રહ્મનું સ્વરૂપ, મહિમા અને સેવાકાર્ય મોક્ષમાર્ગમાં અત્યંત કેન્દ્રસ્થાન ધરાવે છે.
• અક્ષરબ્રહ્મનો મહિમા અતિ અપાર છે
• અનંત બ્રહ્માંડો તેને પરમાણુ સમાન લાગે છે
• અક્ષરબ્રહ્મ પ્રકૃતિપુરુષનું પણ કારણ છે
• અક્ષરના બે મુખ્ય સ્વરૂપ — ચિદાકાશ અને સેવકરૂપ
• અક્ષરબ્રહ્મ ચાર સ્વરૂપે સેવાકાર્ય કરે છે
• ચિદાકાશરૂપ અક્ષર નિરાકાર અને સર્વવ્યાપક છે
• ધામરૂપ અક્ષર સાકાર, મૂર્તિમાન અને અપાર છે
• સેવકરૂપ અક્ષર પુરુષોત્તમનો મુખ્ય પરિચારક છે
• સત્પુરુષરૂપ અક્ષર સંસારમાં પ્રગટ રહી મોક્ષમાર્ગ ચલાવે છે
Chapter - 46 Summary
Shreeji Maharaj showed the miracle of samadhi through Swamishri. Acharya Radharamnprasad first experienced samadhi, witnessing divine light and the darshan of Shreeji Maharaj, Gunatitanand Swami, and Gopalanand Swami.
Due to Swamishri’s influence, saints and devotees spoke only about God and satsang, which helped Odhavjibhai realize his greatness.
In Navagam, Gandhiji met Swamishri and sought blessings. Swamishri advised following dharma and discipline. Yogi Swami chanted daily for the nation’s freedom, and through devotion, the country attained independence.
Chapter - 46 Last-Minute Revision Points
• Miracle of samadhi
• Samadhi of Acharya Radharamnprasad
• Vision of divine light
• Darshan of three forms
• Saints spoke only about God
• Odhavjibhai realized greatness
• Navagam incident
• Gandhiji met Swamishri
• Asked for blessings
• Importance of dharma
• Yogi Swami’s chanting
• Independence of nation
Haribhai Amin purchased the land of Akshar Deri in Gondal for ₹25,000, though its value was ₹2 lakh. Maharaja Bhagvatsinhji set conditions to preserve the Deri, complete the temple in 3 years, and spend ₹10 lakh.
Swamishri, knowing everything divinely, reassured Haribhai. The land was formally handed over to him.
The foundation ceremony was done on Samvat 1988 Posh Sud 10 with thousands present. Many devotees experienced samadhi and divine visions.
Despite the 3-year condition, the temple was completed in just 2.5 years due to intense seva. The murti-pratishtha took place on Samvat 1990 Vaishakh Sud 10, marked by miracles like the breaking of glass.
Swamishri declared Akshar Deri as a supreme spiritual place and appointed Yogi Swami as Mahant.
• Haribhai purchased land
• Value ₹2 lakh → bought ₹25,000
• Maharaja’s conditions
• Swamishri’s divine knowledge
• Land possession given
• Foundation ceremony (Posh Sud 10)
• Samadhi incidents
• Devotees’ hard service
• Temple completed in 2.5 years
• Murti-pratishtha (Vaishakh Sud 10)
• Miracle of breaking glass
• Glory of Akshar Deri
• Yogi Swami appointed Mahant
During a parayan in Ahmedabad (Samvat 1992), there was no rain. Devotees prayed, and Swamishri instructed Dharmaswarupdas Swami to pray through samadhi.
In samadhi, Maharaj assured that rain would come. Initially, light rain fell, but after further prayers, Maharaj declared heavy rain would come.
Dharmaswarupdas Swami had divine darshan of Maharaj, Gunatitanand Swami, Gopalanand Swami, Bhagatji Maharaj, and Indra on Airavat. Soon after, heavy rainfall occurred, strengthening faith in Swamishri.
Later, in Gondal, a devotee Bhagwandas vowed to eat only after seeing Maharaj. During the event, he had darshan of Shriji Maharaj in place of Swamishri.
Swamishri confirmed his vow was fulfilled, establishing firm faith that Shriji Maharaj is manifest through Shastriji Maharaj.
• Drought in Ahmedabad
• Samadhi prayer instruction
• Dharmaswarupdas in samadhi
• Maharaj’s assurance
• Airavat darshan
• Maharaj + Indra vision
• Heavy rainfall miracle
• Faith increased
• Gondal parayan event
• Bhagwandas vow
• Darshan of Shriji Maharaj
• Swamishri confirmed fulfillment
When Swamishri visited Vadodara, Mathurbhai from Atladara, whose life was previously sinful, transformed after hearing about Swamishri and invited him to build a temple.
Swamishri agreed to build the temple on a sacred place visited by Shriji Maharaj. Mathurbhai relocated residents and offered the land.
In another incident, Swamishri instructed a devotee to follow purity (bathe before eating) to receive blessings, showing the importance of dharma.
Swamishri lovingly educated Narayanswarupdasji, strengthening his devotion.
Later in Surat, during a parayan, many experienced samadhi. A learned acharya Krushnapriyacharya was deeply impressed, surrendered his ego, and accepted that Swami is Akshar and Narayan is Purushottam.
He publicly declared that Shriji Maharaj is manifest through Shastriji Maharaj.
• Transformation of Mathurbhai
• Temple plan in Atladara
• Importance of sacred land
• Relocation of residents
• Land offered to Swamishri
• Rule of purity (bathe before eating)
• Importance of dharma
• Teaching Narayanswarupdasji
• Surat parayan event
• Samadhi experiences
• Transformation of Krushnapriyacharya
• Swami = Akshar, Narayan = Purushottam
Swamishri’s 80th birthday was grandly celebrated in Bochasan. The idea was proposed by Champakbhai Banker and accepted by all devotees.
Devotees planned to offer ₹1.25 lakh, but Swamishri refused and directed it to be used for Thakorji’s seva.
On Vasant Panchami (Samvat 2001), around 2 lakh devotees gathered. Many dignitaries praised Swamishri’s greatness.
Later, in Ahmedabad, Swamishri delivered Bhagavat katha, which deeply inspired everyone.
A learned Vaishnav scholar, Vishwanathbhai, declared that Swamishri is the manifest form of God and uniquely capable of explaining Bhagavat.
This event strengthened faith and brought immense joy to devotees.
• 80th birthday celebration
• Idea by Champakbhai
• ₹1.25 lakh offering
• Swamishri refused money
• Used for Thakorji
• Vasant Panchami event
• 2 lakh devotees
• Praise by dignitaries
• Ahmedabad parayan
• Bhagavat katha
• Vishwanathbhai’s praise
• Swamishri = divine form
મંદિરના ચોગાનમાં કેટલાક બાળકો કુંડાળે વળીને રામધૂન ગાતા હતા. તેમાં એક સુંદર, આનંદથી નાચતો અને ભગવાનનું નામ લેતો બાળક હતો. દર્શન માટે આવેલા લોકો તેને જોઈને થંભી જતા. આ બાળક મહુવાના ગોવિંદભાઈના પુત્ર પ્રાગજી ભક્ત હતા, જે આ બાળમંડળના નેતા હતા.
પ્રાગજી ભક્ત હંમેશાં પોતાના મિત્રો સાથે લક્ષ્મીનારાયણ મંદિરમાં આવતા. એ જ સ્થળે શ્રીજીમહારાજ નિલકંઠ વર્ણમાં પીપળા નીચે હનુમાનજીની દેરી પાસે ત્રણ દિવસ રોકાયા હતા, જ્યાં પ્રાગજી ભક્ત સેવા કરતા. મંદિરના મહંત સૂર્યભારથી પણ તેમની ભક્તિથી પ્રસન્ન રહેતા.
પ્રાગજી ભક્તને શાળામાં બેસાડવામાં આવ્યા, પરંતુ તેમનો ચંચળ સ્વભાવ તેમને મિત્રો સાથે નદીકાંઠે લઈ જતો. તેઓ કહેતા:
“હું બધું ભણેલો છું, હવે તો ભગવાનને ભજવું અને ભજાવવું છે.”
એક દિવસ ઉત્સવ દરમિયાન ઘરમાં જમણવાર હતી. પ્રાગજી ભક્તને ભૂખ લાગી, તેમણે માતાને ખાવાનું માગ્યું, પરંતુ માતાએ ના પાડી. માતા બહાર ગઈ ત્યારે પ્રાગજી ભક્ત રસોડામાં જઈને સાત શેર જેટલું ચૂરમું ખાઈ ગયા. આ ઘટના ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ અને લોકો કહેવા લાગ્યા કે આ એક ચમત્કારી બાળક છે.
મહુવાના સ્વામિનારાયણ મંદિરમાં યોગાનંદ સ્વામી પધાર્યા. પ્રાગજી ભક્ત તેમના દર્શન માટે ગયા અને તેમના દર્શનથી અંતરમાં શાંતિ અનુભવતાં સત્સંગી બની ગયા. ત્યારથી તેઓ મોટાભાગનો સમય મંદિરમાં રહી સંતોની સેવા કરવા લાગ્યા.
એક પ્રસંગે તેમણે માતાનો કિંમતી પાલવ વેચીને પણ સંતોને ભોજન કરાવ્યું. તેમની આ નિષ્ઠા અને સેવા જોઈને યોગાનંદ સ્વામીએ કહ્યું:
“આ મહાન ભક્ત બનશે.”
તે સમય દરમિયાન મહુવા નજીક પીઠવડી ગામમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યા. તેમની પૂજા માટે પીઠવડીના હરિભક્તોએ મહુવેથી દસ વર્ષના પ્રાગજી ભક્તને બોલાવ્યા. ત્યાં વિશાળ સત્સંગ સભા યોજાઈ.
સુંદર વસ્ત્રોમાં પ્રાગજી ભક્ત નિર્ભયતાથી સભામાં આવ્યા. તેમણે આચાર્ય મહારાજ અને સંતોને સાષ્ટાંગ પ્રણામ કર્યા, પૂજા કરી અને આરતી ઉતારી. આચાર્ય મહારાજની દૃષ્ટિ આ નાનકડા ભક્ત પર પડી.
સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામી તેમને ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું:
“આ તો પૂર્વજન્મનો ભક્ત છે.”
હરિભક્તોએ વધુ પૂછતાં સ્વામીએ કહ્યું:
“આ ખૂબ સમર્થ છે અને આગળ જઈ હજારોને ભગવાન ભજાવશે.”
આ સાંભળીને સૌના હૃદયમાં પ્રાગજી ભક્ત માટે વિશેષ પ્રેમ જાગ્યો.
ગોપાળાનંદ સ્વામી પ્રત્યે પ્રાગજી ભક્તને સહજ હેત બંધાયો. તેઓ મહુવાના ઝીણાભાઈ રાઠોડ સાથે વર્ષો સુધી વરતાલ જઈ સ્વામીનો સમાગમ કરતા. માર્ગમાં તેઓ ઝીણાભાઈની ખૂબ ભાવથી સેવા કરતા.
વરતાલમાં પ્રાગજી ભક્ત સ્વામીની નજીક જ રહેતા. તેઓ ચણા અને ગોળ લઈને સેવા કરતા અને તેમની વાતો શ્રદ્ધાથી સાંભળતા. ધીમે ધીમે સ્વામી પ્રત્યે તેમનો પ્રેમ વધુ ઘનિષ્ઠ બન્યો.
એક દિવસ તેમના મનમાં પ્રશ્ન આવ્યો:
“સ્વામી સાથે અખંડ કેવી રીતે રહી શકાય?”
સ્વામીએ જવાબ આપ્યો:
“શ્રીજીમહારાજને સર્વ અવતારોના અવતારી માની અને ગુણાતીતાનંદ સ્વામીમાં જીવ જોડે, તો ત્યાગી કે ગૃહસ્થ રહેતા પણ અખંડ જોડાયેલા રહી શકાય.”
આ ઉપદેશથી પ્રાગજી ભક્તને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાયો. છતાં, ગોપાળાનંદ સ્વામી પ્રત્યેના અતિશય પ્રેમને કારણે તેમણે આ વાતને સંપૂર્ણ ઊંડાણથી તરત સ્વીકારી નહોતી.
સ્વામી પ્રત્યેના પ્રેમથી પ્રાગજી ભક્તમાં ત્યાગી બનવાની ભાવના આવી, પરંતુ સ્વામીએ તેમને સંસારમાં રહીને સત્સંગ કરવાનો આદેશ આપ્યો.
એક વખત પ્રાગજી ભક્ત મુંબઈ જઈ કામ શીખીને આવ્યા. તેમણે આચાર્ય મહારાજ માટે મોજાં અને અંગરખું બનાવી ભેટ આપ્યું, જેને જોઈ આચાર્ય મહારાજ ખૂબ પ્રસન્ન થયા.
ક્યારેક સ્વામીનું ક્ષણિક વિસ્મરણ થતાં પ્રાગજી ભક્તને અંદરથી દુઃખ થતું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સમજાવતા:
“સાધુની સેવા કરીને તું સાચું જ્ઞાન પામશે અને ભગવાન-સંતને ક્યારેય ભૂલશે નહીં.”
એક દિવસ ગોપાળાનંદ સ્વામીએ પ્રેમથી કહ્યું:
“પ્રાગજી! તું જૂનાગઢ જજે. મેં આપેલા સંકેતો ત્યાં પૂર્ણ થશે.”
સંવત ૧૯૦૮માં વરતાલમાં સ્વામીએ માંદગી સ્વીકારી. જ્યારે હરિભક્તોએ વડોદરા આવવા વિનંતી કરી, ત્યારે સ્વામીએ કહ્યું:
“હવે મારી દૃષ્ટિ અક્ષરધામમાં મહારાજ પર અથવા જૂનાગઢના જોગી પર છે.”
પ્રાગજી ભક્તે આનો અર્થ પૂછ્યો ત્યારે સ્વામીએ સમજાવ્યું:
“જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી મહારાજનું સાક્ષાત્ અક્ષરધામ છે.”
આ રીતે વૈશાખ વદ ચોથના દિવસે સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામી ધામમાં પધાર્યા.
પ્રાગજી ભક્ત ગોપાળાનંદ સ્વામીમાં સંપૂર્ણ રીતે મગ્ન રહ્યા હતા. સ્વામીનો વિરહ તેમને સહન થતો નહોતો. વરતાળમાંથી ગઢડા પસાર કરીને, સિદ્ધાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ તેઓ જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે પહોંચ્યા.
ગુણાતીતાનંદ સ્વામીએ તેમને પ્રેમ અને વાત્સલ્યથી આવકારતા કહ્યું:
“આ વનનું મૃગલું ક્યાંથી આવ્યું?”
આ શબ્દો સાંભળતા જ પ્રાગજી ભક્તના અંતરમાં અદભૂત શાંતિ પ્રસરી ગઈ. ગોપાળાનંદ સ્વામીના શબ્દો —
“જૂનાગઢ જજે”
તેમના હૃદયમાં જીવંત થઈ ગયા.
ગુણાતીતાનંદ સ્વામીની સાધુતા અને શ્રીજીમહારાજના પુરુષોત્તમત્વને જોઈને પ્રાગજી ભક્ત તરત જ તેમના પ્રેમમાં પડી ગયા. ત્યારથી તેઓ વર્ષમાં આઠ મહિના જૂનાગઢમાં રહી સ્વામીનો સમાગમ કરવા લાગ્યા.
સંવત ૧૯૧૧માં વરતાળમાં સ્વામી દ્વારા તેમને સ્વરૂપતિષ્ઠા અને એકાંતિક ધર્મનો ઊંડો ઉપદેશ મળ્યો. આથી તેમને સમજાયું કે —
👉 ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામના અવતાર છે અને શ્રીજીમહારાજનું સત્ય ધામ છે.
પ્રાગજી ભક્ત મહુવા પધારતા ત્યારે તેઓ હરિભક્તોને શ્રીજીમહારાજના સર્વોપરીપણું અને ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરપણાનું મહત્વ સમજાવતા.
સંવત ૧૯૧૬માં ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા સમયે, પ્રાગજી ભક્તે ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજ માટે સુંદર વાઘા તૈયાર કર્યા. આચાર્ય રઘુવીરજી મહારાજ તેમની સેવા જોઈ ખૂબ પ્રસન્ન થયા.
તે જ વર્ષે જૂનાગઢમાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. ત્યાં પણ પ્રાગજી ભક્તે હરિભક્તોને જોડીને સુંદર વાઘા તૈયાર કરાવ્યા અને ઠાકોરજીને શોભાવ્યા.
તેઓ સતત ભજન અને સેવા કરતા, સાથે તેમની વ્યાવહારિક બુદ્ધિ અને કુશળતા પણ અદ્ભુત હતી. આથી સ્વામી ખૂબ પ્રસન્ન રહેતા.
પ્રાગજી ભક્તે એક આદર્શ સાધક તરીકે રોગ સ્વીકાર્યો અને ભગવાનમાં અખંડ વૃત્તિ જોડી રાખી.
આગલા વર્ષે ફૂલદોલના પ્રસંગે આચાર્ય રઘુવીરજી મહારાજ જૂનાગઢ પધારવાના હતા. સ્વામીએ પ્રાગજી ભક્તને સભામંડપમાં વિશાળ ચંદની તૈયાર કરવાની આજ્ઞા આપી.
પ્રાગજી ભક્તે હરિભક્તોને ગોઠવીને સેવા શરૂ કરી અને સારી કપાસની ચંદની સીવવાની શરૂઆત કરી. તેઓ ભજન કરતાં કરતાં ચંદની સીલાઈ કરતા.
જ્યારે સ્વામી કામ જોવા આવ્યા, ત્યારે પ્રાગજી ભક્તની આ ભાવના જોઈ ખૂબ પ્રસન્ન થયા.
સ્વામીએ જ્યારે કંઈ માંગવાનું કહ્યું, ત્યારે પ્રાગજી ભક્તે વિનમ્રતાથી જવાબ આપ્યો:
“સ્વામી! મેં તમારી અને ગોપાળાનંદ સ્વામીની સંગતિથી જાણ્યું છે કે ધન અને સ્ત્રીમાં સુખ નથી. મને તો માત્ર તમારું જ્ઞાન, તમારું ધામ અને મારું જીવન સત્સંગી બને એ જ જોઈએ.”
સ્વામી તેમની પરીક્ષા કરતા રહ્યા, પરંતુ પ્રાગજી ભક્ત અડગ રહ્યા. અંતે સ્વામી પ્રસન્ન થયા અને આજ્ઞા આપી.
એક મહિના માં જ ચંદની પૂર્ણ થઈ અને પ્રાગજી ભક્તે વિશેષ રાજીપો પ્રાપ્ત કર્યો.
પ્રકરણ -૧૧
સ્વામીની આજ્ઞાથી હવે પ્રાગજી ભક્ત સૌને કથાવાર્તા કરતા.
આ રીતે સોરઠ દેશના હરિભક્તોને સ્વામી પોતાના મૂળ અક્ષરપણાનો સર્વોપરી નિશ્ચય પ્રાગજી ભક્ત દ્વારા કરાવતા.
સમૈયામાં જૂનાગઢ મંદિરના સભામંડપ વચ્ચેના ચોકમાં ચંદની તળે બેસીને
પ્રાગજી ભક્ત સ્વામીની આજ્ઞાથી વાતો કરતા.
હરિભક્તો દર્શન કરવા આવે ત્યારે સ્વામી કહેતા :
“મેં તો પેનશન (નિવૃત્તિ) લીધું છે, ને વાતો સાંભળવી હોય તો ચોકમાં પ્રાગજી પાસે જાવ.”
એમ કહી સ્વામી સૌને પ્રાગજી ભક્ત પાસે મોકલતા.
હરિભક્તોને પ્રાગજી ભક્તની વાતોથી ઘણી શાંતિ થતી.
એક વખત વરતાલથી અમઈદાસ કોઠારી, બેચર ભગત કોઠારી તથા બીજા પાંચ-સાત પાળા (પાર્ષદ)
જૂનાગઢ સ્વામીની વાતો સાંભળવા અને પંચતીર્થી કરવા આવ્યા.
સ્વામીએ તેમને બહુ વાતો કરીને કહ્યું :
“કોઠારી ! મેં તો તમામ કૂંચીઓ પ્રાગજીને આપી છે,
ને હું તો નિવૃત્તિ લઈને નવરો થયો છું.”
આ સાંભળી અમઈદાસને થડકો થયો કે મંદિરની કૂંચીઓ પ્રાગજીને આપી કે શું?
તે જાણી સ્વામી બોલ્યા :
“અમઈદાસ ! થડકો પામશો નહીં.
મંદિરની કૂંચીઓ તો આ રહી,
પણ અક્ષરધામની કૂંચી પ્રાગજીને આપી છે.”
આ બધા સમાચાર ઠેઠ વરતાલ સુધી પહોંચ્યા કે :
“જૂનાગઢમાં તો પ્રાગજી જ ધણી છે,
ને સ્વામી તે રૂપ થઈ ગયા છે અને તેને વશ છે.
આખો સોરઠ દેશ પહેલા પ્રાગજીને દંડવત્ કરે છે,
પછી સ્વામી પાસે જાય છે.
સ્વામીનો મહિમા પણ પ્રાગજી હદથી પાર કહે છે.”
એક દિવસ કેટલાક સત્સંગી દરબારોએ સ્વામીને કહ્યું :
“સ્વામી ! તમે કોઈ બ્રાહ્મણ, સાધુ કે વિદ્દાનને એશ્વર્ય ન આપ્યું
અને આ દરજીને આપી દીધું — આવું કેમ કર્યું?”
સ્વામીએ હસીને કહ્યું :
“મારે તો ઘણું નહોતું આપવું,
પણ એણે મને સેવા-ભક્તિથી બાંધી લીધો,
એટલે હાથ છૂટી બલા જેવું થઈ ગયું છે.”
દરબારોએ કહ્યું :
“હવે પાછું ખેંચી લો.”
ત્યારે સ્વામી જરા આકળા થઈને બોલ્યા :
“આ તો પાતાળે પાયા નાખ્યા છે,
પાછું ખેંચાય એમ નથી.”
પછી ઉપનિષદની વાત કરતાં સ્વામીએ કહ્યું :
વૈષમ્પાયન ઋષિએ યાજ્ઞવલ્ક્યને વિદ્યા ભણાવી.
પછી રાજાને પુત્રપ્રાપ્તિ માટે યાજ્ઞવલ્ક્યને મહેલમાં જવાની આજ્ઞા કરી.
બ્રહ્મચારી માટે તે યોગ્ય ન હતું,
એથી યાજ્ઞવલ્ક્યે ના પાડી.
ઋષિ ગુસ્સે થઈ પોતાની વિદ્યા પાછી માગી,
પણ એકવાર સિદ્ધ થયેલી વિદ્યા પાછી કેવી રીતે નીકળે?
તે જ રીતે પ્રાગજીને મેં બ્રહ્મવિદ્યા ભણાવી છે,
તે પાછી ન નીકળે.
જે પરાવિદ્યા આપે છે,
તેને પાત્ર ઘડતાં પણ આવડતું હશે.
ભગવાન કે સંત જાતિ, વર્ણ કે આશ્રમ જોતા નથી.
દેહધારીઓ પ્રાગજી ભક્તને સમાજની એક ઊતરતી જાતિના જોતા હતા,
જ્યારે ભક્તો તેમને સાક્ષાત્ ભગવતસ્વરૂપ દેખતા હતા.
સ્વામીની આજ્ઞાથી પ્રાગજી ભક્ત કથાવાર્તા કરતા.
સ્વામી સોરઠ દેશના હરિભક્તોને મૂળ અક્ષરપણાનો નિશ્ચય કરાવતા.
“અક્ષરધામની કૂંચી પ્રાગજીને આપી છે” — સ્વામીનું વાક્ય મહત્વપૂર્ણ છે.
સ્વામી પ્રાગજી ભક્ત પાસે સૌને મોકલતા.
સ્વામીએ સ્પષ્ટ કર્યું કે મંદિરની કૂંચી નહીં,
પણ અક્ષરધામની કૂંચી પ્રાગજીને આપી છે.
બ્રહ્મવિદ્યા એકવાર સિદ્ધ થાય તો પાછી ખેંચાતી નથી.
ભગવાન કે સંત જાતિ, વર્ણ કે આશ્રમ જોતા નથી.
ભક્તો પ્રાગજી ભક્તને સાક્ષાત્ ભગવતસ્વરૂપ માનતા હતા.
એક વખત સ્વામી વરતાલથી પાછા ફરતા સારંગપુર પધાર્યા.
અહીં વાઘાખાચરે સ્વામીને પ્રાર્થના કરી કે
“ધિંગાણાનાં (લડાઈનાં) સ્વપ્નાં આવે છે.”
ત્યારે સ્વામીએ તેમને જૂનાગઢ સાથે આવવા આજ્ઞા કરી.
બાપુને સેવક વગર ચાલે નહીં,
એટલે સ્વામીએ પ્રાગજી ભક્તને બાપુની સેવામાં મૂક્યા.
પ્રાગજી ભક્ત બાપુની બહુ સેવા કરતા
અને સાથે સાથે તેમને સ્વામીના મહિમાની વાત પણ કરતા.
બાપુને તે ગમતું નહીં.
તેમણે પ્રાગજી ભક્તનો સંગ છોડી દીધો,
પણ સેવક વગર ફાવ્યું નહીં.
સ્વામીના સમજાવવાથી પ્રાગજી ભક્તને ફરી સેવામાં રાખ્યા,
પણ તેમની વાત સાંભળવી બંધ કરી.
જૂનાગઢમાં સ્વામીના હેતવાળા ભક્તોને આનંદકિલ્લોલ કરતા જોઈ
વાઘાખાચરે વિચાર કર્યો :
“મને આવો આનંદ કેમ નથી આવતો?”
મહુવાના દામા શેઠે તેમને કહ્યું :
“તમે પ્રાગજી ભક્તમાં વિશ્વાસ રાખો
અને સ્વામીને મૂળ અક્ષર માનો.”
વાઘાખાચરે કહ્યું :
“મને તો સ્વામી પંડે કહે તો જ માનું.”
આથી પ્રાગજી ભક્તે વૃત્તિ દ્વારા
સ્વામીને વાડીમાં તેડાવ્યા.
સ્વામી સભામાંથી ઊઠીને
એક હરિભક્તનો હાથ પકડી
વાડીમાં પ્રાગજી ભક્ત પાસે આવ્યા.
પ્રાગજી ભક્તે સ્વામીને કહ્યું :
“આ વાઘા આપાને પ્રશ્ન પૂછવો છે.”
સ્વામીએ વાઘા આપાને કહ્યું :
“આ પ્રાગજી કહે છે તે ઠીક કહે છે.”
વાઘાખાચરે ફરી પૂછ્યું :
“સ્વામી ! તમે પંડે અક્ષર?”
સ્વામીએ હસતાં હસતાં હા પાડી.
વાઘાખાચરને શાંતિ થઈ ગઈ
અને દોષ દૂર થઈ ગયા.
સ્વામીનો અક્ષરબ્રહ્મ તરીકે મહિમા પ્રવર્તાવવામાં
પ્રાગજી ભક્તને ઘણાં વિઘ્નો અને અપમાનો સહન કરવાં પડ્યાં,
પણ મૂર્તિમાન અક્ષરબ્રહ્મનો સાક્ષાત્કાર પામ્યા પછી
હૈયું હાથ કેમ રહે?
એક વખત સ્વામીએ પ્રાગજી ભક્તને બોલાવવા
બાલમુકુંદદાસજીને મોકલ્યા.
પ્રાગજી ભક્ત પોતાના આસને સૂતા હતા.
બાલમુકુંદદાસજીએ બે-ત્રણ વાર સાદ કર્યો,
પણ તેઓ ઊઠ્યા નહીં.
સ્વામીએ કહ્યું :
“પાછા જાઓ અને કહો — ગુણાતીત ઊઠો.”
જ્યારે “ગુણાતીત ઊઠો” એમ સાદ કર્યો
ત્યારે પ્રાગજી ભક્ત તરત ઊઠી ગયા.
સ્વામીએ કહ્યું :
“પ્રાગજી તો મરી ગયો.
એ તો ગુણાતીત થઈ ગયો છે.”
એમ સ્વામીએ સૌને
પ્રાગજી ભક્તનો મહિમા સમજાવ્યો.
એક વખત ઊનાના કમા શેઠે
પ્રાગજી ભક્તને ધોલ મારી.
તે જ રાત્રે સ્વપ્નમાં મહારાજે શેઠને દર્શન આપીને કહ્યું :
“પ્રાગજી ભગતની માફી માગો.”
શેઠે સવારે સભામાં આવી
પ્રાગજી ભક્તને દંડવત્ કરી
માફી માગી અને પગે લાગીને ધોતિયું ઓઢાડ્યું.
સ્વામીની આજ્ઞાથી
પ્રાગજી ભક્ત સૌને વાતો કરતા
અને પ્રાયશ્રિત્ત અપાવી શુદ્ધ કરતા.
એક વખત પ્રાગજી ભક્તે સ્વામીને પૂછ્યું :
“અત્યારે તો આપ સૌનાં પાપ બાળી શુદ્ધ કરો છો,
પણ પછી શું?”
સ્વામીએ કહ્યું :
“તને મહારાજ વશ છે,
તે તારા વચને સૌ શુદ્ધ થઈ જશે.”
જૂનાગઢ મંદિરના કોઠારી ત્રિકમદાસને
પ્રાગજી ભક્તની વાત ગમી નહીં.
સ્વામીએ તેમને પોતાનું
મૂલ દિવ્ય સ્વરૂપ બતાવ્યું.
આ જોઈ કોઠારીને
સ્વામીના સ્વરૂપની પ્રતીતિ થઈ.
આ રીતે પ્રાગજી ભક્તે
ઘણા સંતો અને હરિભક્તોને
“સ્વામી અક્ષર છે” એવો નિશ્ચય કરાવ્યો.
વાઘાખાચરને સ્વામી અક્ષર છે તેવો નિશ્ચય થયો.
“ગુણાતીત ઊઠો” કહતાં પ્રાગજી ભક્ત તરત ઊઠ્યા.
સ્વામીએ કહ્યું — “પ્રાગજી તો ગુણાતીત થઈ ગયો છે.”
પ્રાગજી ભક્તે અપમાન સહન કર્યા છતાં
અક્ષરજ્ઞાન પ્રવર્તાવ્યું.
સ્વામીએ પોતાનું મૂળ દિવ્ય સ્વરૂપ બતાવ્યું.
ઘણા હરિભક્તોને
“સ્વામી અક્ષર છે” એવો નિશ્ચય થયો.
સત્સંગમાં સ્વામીનો પ્રતાપ અને મહિમા વધતો જતો હતો.
એથી કેટલાક સંતોએ તથા આચાર્ય ભગવતપ્રસાદ મહારાજે
સ્વામીને ઠપકો દેવાનો નિશ્ચય કર્યો.
સ્વામીને ઊના તેડાવ્યા.
આ સમાચાર સાંભળી સ્વામી બોલ્યા :
“ભૂકો ભાર હરું સંતન હિત, કરું છાયા કર દોઈ,
જો મેરે સંતકો રતિ એક દુવે, તેહી જડ ડારું મેં ખોઈ,
નારદ મેરે સંતસે અધિક ન કોઈ.”
પ્રાગજી ભક્તે સ્વામીને આ વાતનો મર્મ પૂછ્યો.
સ્વામીએ કહ્યું :
“વરતાલના સંતોએ મને ઠપકો દેવાનો સંકલ્પ કર્યો છે.
તું મારો બહુ મહિમા કહે છે,
એટલે તને સત્સંગમાંથી વિમુખ કરવાનો નિર્ણય કર્યો છે.
પણ આ દેશમાં એમનું કંઈ વળશે નહીં.
મારા દેખતાં તારું અપમાન
મારાથી સહન ન થાય.”
ત્યારે પ્રાગજી ભક્તે પ્રાર્થના કરી :
“મને ગમે તે ઉપાધિ થાય,
પણ આપ આ લોકથી ઉદાસ ન થશો.”
સ્વામી ઊના જતાં રસ્તામાં માળિયા રોકાયા.
ત્યાં સમાચાર મળ્યા કે
ધોળેરામાં કૃષ્ણપ્રસાદ મહારાજ ધામમાં ગયા,
એટલે આચાર્ય મહારાજ અને સંતો વરતાલ પાછા ગયા.
આથી સ્વામીને ઊના બોલાવવાનો
ઠરાવ મનમાં જ રહી ગયો.
સંવત ૧૯૨૨માં ચૈત્રી પૂનમના સમૈયે
વરતાલ જતા પહેલાં સ્વામીએ કહ્યું હતું :
“આ વખતે પ્રાગજીને દુઃખ આવશે,
પણ મેં એનું બખ્તર એવું ઘડ્યું છે
કે એને ટોચો વાગશે નહીં.”
વરતાલ સમૈયે પધાર્યા ત્યારે
સ્વામી પ્રાગજી ભક્તને જૂનાગઢ મૂકી ગયા.
સ્વામી સંતો તથા હરિભક્તો સાથે
ગઢડા થઈને વરતાલ પધાર્યા.
રામનવમીના સમૈયા ઉપર
સભામાં કેટલાકે સ્વામીને ઉદ્દેશીને
અયોગ્ય શબ્દો કહ્યા.
મોટા સદગુરુઓ પણ એમાં ભળ્યા.
સ્વામી શાંતિથી સાંભળી રહ્યા.
પછી સ્વામીએ
“ભગવાન તો એક શ્રીજીમહારાજ છે”
એ રીતે પુરુષોત્તમપણાની વાતો કરી.
એટલામાં શાસ્ત્રી બળરામદાસ
આચાર્ય મહારાજને સભામાં તેડી આવ્યા.
આરતીનો ડંકો વાગ્યો
અને સૌ દર્શન કરવા ગયા.
દર્શનેથી પાછા ફરતાં
એક માળીએ સ્વામીને ગુલાબનો હાર પહેરાવ્યો.
તે જ હાર સ્વામીએ
શુકમુનિના સેવક
હરિસ્વરૂપદાસજીને પહેરાવ્યો અને કહ્યું :
“હળદી જરદી નવ તજે, ખટરસ તજે ન આમ;
ગુણીજન ગુણકું નવ તજે, અવગુણ ન તજે ગુલામ.”
સ્વામીની સહનશીલતા અને પરમ સાધુતાથી
મોટા સદગુરુઓ મનોમન પશ્ચાત્તાપ કરવા લાગ્યા
અને સ્વામીની માફી માગી.
પણ સૌએ નક્કી કર્યું કે
“પ્રાગજી સ્વામીનો અપરંપાર મહિમા કહે છે,
એટલે તેને વિમુખ કરવો જ.”
આ વાત સ્વામી આગળ જાહેર કરી.
ત્યારે સ્વામી ઊંડા ઊતરી ગયા અને બોલ્યા :
“પ્રાગજીને હું ના પાડીશ,
એટલે મારો મહિમા નહીં કહે.”
પવિત્રાનંદ સ્વામીએ
પ્રાગજી ભક્તને વિમુખ કરવાનો દઢ ઠરાવ કર્યો.
આચાર્ય મહારાજની સંમતિથી
ગામોગામ મંદિરોમાં
તે નિર્ણયના પત્રો લખી દીધા.
જુનાગઢ પાછા વળતાં
સ્વામી મહેળાવ પધાર્યા.
અહીં ધોરીભાઈના
સવા વર્ષના દીકરા
ડુંગર ભક્ત (શાસ્ત્રીજી મહારાજ)ને
સ્વામીએ આશીર્વાદ આપ્યા.
સ્વામીએ કહ્યું :
“આ તો સાધુ થઈ
શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તાવશે
અને કથાવાર્તા કરીને
સંપ્રદાયને ઉત્તેજન આપી વૃદ્ધિ કરશે.”
પછી સ્વામી
સારંગપુર, ગઢપુર થઈને
જૂનાગઢ પધાર્યા.
સ્વામીના મહિમાથી
સત્સંગમાં કુસંગ ઊભો થયો.
પ્રાગજી ભક્તને વિમુખ કરવાનો
ઠરાવ થયો.
સ્વામીની સહનશીલતા અદભૂત હતી.
“ભગવાન તો એક શ્રીજીમહારાજ છે”
એ વાત સ્વામીએ સ્પષ્ટ કરી.
શાસ્ત્રીજી મહારાજને
સ્વામીએ આશીર્વાદ આપ્યા.
પ્રાગજી ભક્તને વિમુખ કર્યાનો પત્ર જૂનાગઢ આવ્યો.
આથી તેઓ મહુવા જવા તૈયાર થયા.
રસ્તામાં ભાતાં માટે મંદિરના ભંડારીએ તેમને લાડુ બાંધી આપ્યા હતા.
અડધે રસ્તે ભાતું કરતાં તેમણે લાડુ ખાવાની શરૂઆત કરી,
ત્યારે આખા શરીરે બળતરા ઊપડી.
લાડુમાં ઝેર હોવાનું જાણીને
તે જમીનમાં ઊંડે દાટી દીધા.
મહામુશ્કેલીએ તેઓ મહુવા પહોંચ્યા.
યોગના પ્રભાવથી ઝેર પચી ગયું,
પણ આખા શરીરે અસહ્ય ગરમી હતી.
પછી મહારાજે દર્શન આપીને
આખા શરીરે હાથ ફેરવ્યો
અને બાફેલા અડદનું પાણી લેવા કહ્યું.
આ ઉપાયથી થોડા સમયમાં રોગ મટી ગયો.
ત્યાર પછી સ્વામી
આચાર્ય ભગવતપ્રસાદ મહારાજ સાથે
ઊના પધાર્યા.
અહીં પ્રાગજી ભક્ત
સ્વામીનાં દર્શને આવ્યા.
સ્વામી તેમને એકાંતમાં મળ્યા,
ખૂબ ધીરજ આપી,
પ્રસાદી આપી
અને રાજી કરીને ઘેર મોકલ્યા.
ઊનાથી ફરતાં ફરતાં
સ્વામી આચાર્ય મહારાજ સાથે
મહુવા પધાર્યા.
મહુવાના હરિભક્તોએ
સ્વામી અને આચાર્ય મહારાજનું
ખૂબ સન્માન કર્યું.
અહીં પ્રાગજી ભક્તે
સંતોની રસોઈ માટે
ચોખ્ખું સીધું તૈયાર રાખેલું.
બીજું સીધું ચોખ્ખું ન હતું
અને રસોઈ મોડું થતું હતું.
એટલે પવિત્રાનંદ સ્વામીએ કહ્યું :
“પ્રાગજી વિમુખ છે,
પણ એના દાળ-ચોખા ક્યાં વિમુખ છે?
એનું સીધું લઈ લો.”
આ સમયસૂચક સેવાથી
સૌના અંતરમાં
પ્રાગજી ભક્ત પ્રત્યે
સદ્ભાવ વધ્યો.
સભામાં મહુવાના પ્રતિષ્ઠિત હરિભક્તોએ
આચાર્ય મહારાજને પૂછ્યું :
“પ્રાગજી ભક્ત જેવા મહાન ભક્તરાજને
વિમુખ કરવો સમજાતું નથી.”
આથી મોટા સદગુરુઓએ કહ્યું :
“પ્રાગજી ભક્તને સત્સંગમાં લેવાના છીએ.”
ઉનાળાના તાપમાં
સંતોના તંબૂ સામે
રેતી ઉપર પ્રાગજી ભક્ત
બેસી રહેતા
અને સાંજે કથા પછી ઊઠતા.
આથી સૌને પ્રતીતિ થઈ
કે વિમુખ કર્યા છતાં
પ્રાગજી ભક્તનો
સત્સંગનો રંગ વધતો જ જાય છે.
પ્રાગજી ભક્તે
પવિત્રાનંદ સ્વામીને મળીને
સત્સંગમાં પાછા લેવા વિનંતી કરી.
સાત દિવસના મુકામ દરમિયાન
સ્વામીએ પણ
પ્રાગજી ભક્તને એકાંતમાં મળીને
ખૂબ સુખ આપ્યું.
પછી અમદાવાદના
આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજના
મંદવાડ પ્રસંગે
આમંત્રણથી સ્વામી અમદાવાદ પધાર્યા.
સ્વામીએ તેમને સાંત્વન આપ્યું
અને રામનવમીનો સમૈયો
અમદાવાદમાં કર્યો.
સ્વામી સૌ સંતો અને હરિભક્તોને
શ્રીજીમહારાજના
પુરુષોત્તમપણાની
અદ્ભુત વાતો કરતા.
પ્રાગજી ભક્ત પણ
સ્વામીનાં દર્શનની લાલચે
અમદાવાદ આવ્યા
અને મંદિર બહાર ઉતારો કર્યો.
સ્વામી બહાર જાય ત્યારે
પ્રાગજી ભક્ત દર્શન કરી લેતા
અને કહેતા :
“આ જાય છે તે અક્ષર છે.”
સ્વામી ભંડારીને કહી
તેમને ખાવાનું મોકલતા
અને તેઓ તે જમી લેતા.
અમદાવાદમાં
આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજે
સ્વામીની બહુ સેવા કરી
રાજીપો મેળવ્યો.
પછી સ્વામી
નડિયાદ થઈને
વરતાલ પધાર્યા.
હજારો હરિભક્તોએ
સ્વામીનું સ્વાગત કર્યું.
સ્વામીએ સૌને
બ્રહ્મજ્ઞાનની વાતો કરી
સુખિયા કર્યા
અને પછી જૂનાગઢ પધાર્યા.
પ્રાગજી ભક્તને વિમુખ કરવાનો પત્ર આવ્યો.
ઝેરયુક્ત લાડુથી
તેમણે ભારે કષ્ટ સહન કર્યું.
સ્વામીએ દર્શન આપી
રોગ દૂર કર્યો.
વિમુખ થયા છતાં
પ્રાગજી ભક્તનો સત્સંગનો રંગ વધતો ગયો.
મહુવા અને અમદાવાદમાં
પ્રાગજી ભક્તે
સ્વામીનો મહિમા સતત કહ્યું.
સ્વામીએ સૌને
બ્રહ્મજ્ઞાન આપી
સુખી કર્યા.
૧૬. પ્રાગજી ભક્ત દ્વારા પ્રગટપણું — Summary
જૂનાગઢમાં ભીમ એકાદશીના સમૈયે હજારો હરિભક્તોની હાજરીમાં સ્વામીએ પ્રાગજી ભક્ત પ્રત્યેનું અતિશય હેત પ્રગટ કર્યું. સત્સંગમાંથી વિમુખ કરાયેલા પ્રાગજી ભક્ત માટે સ્વામીએ ઊંડો વ્યથાભાવ વ્યક્ત કર્યો. ત્યારબાદ સ્વામી દેશભ્રમણે નીકળ્યા અને જૂનાગઢમાં લાંબા સમય પછી સત્સંગમાં ફરવાનું તથા મહુવામાં રહેવાનું સંકેત આપ્યો, જે પ્રાગજી ભક્ત દ્વારા પોતાના પ્રગટપણું દર્શાવતું હતું. પ્રવાસ દરમિયાન અનેક સ્થળોએ પધરામણી કરી. આસો સુદ ૧ના દિવસે સ્વામીએ દેહ મૂકીને અક્ષરધામમાં બિરાજમાન થયા, જેના કારણે પ્રાગજી ભક્ત તથા સમગ્ર સત્સંગમાં ઘોર વિરહ અને દુઃખ વ્યાપી ગયું.
2) ૧૬. પ્રાગજી ભક્ત દ્વારા પ્રગટપણું — Last-Minute Revision Points
ભીમ એકાદશીના સમૈયે હજારો હરિભક્તોની હાજરી
સ્વામીનું પ્રાગજી ભક્ત પ્રત્યે અતિશય હેત
સત્સંગમાંથી વિમુખ કરનારાઓ પર ટીકા
દેશભ્રમણ અને મહુવા જવાની જાહેરાત
પ્રાગજી ભક્ત દ્વારા પ્રગટપણું સૂચન
વિવિધ સ્થળોએ પધરામણી
આસો સુદ ૧એ દેહત્યાગ અને અક્ષરધામ પ્રસ્થાન
સત્સંગમાં વ્યાપક વિરહ
૧૭. સત્સંગમાં સ્વીકતિ — Summary
લગભગ ત્રણ વર્ષ સત્સંગથી વિમુખ રહ્યા છતાં પ્રાગજી ભક્તની દિવ્ય ભાવના, સાધુતા અને પરમ એકાંતિક બ્રહ્મસ્થિતિને મોટા સદગુરુઓએ અનુભવી અને સૌએ મળીને તેમને સત્સંગમાં પાછા સ્વીકાર્યા. તેમની અલૌકિક સ્થિતિને કારણે તેઓ હવે “ભગતજી” નામે ઓળખાયા. ભગતજીએ વરતાલમાં રહી દેશભરમાં સદગુરુઓ સાથે વિહાર કર્યો અને સમૈયાઓમાં કથાવાર્તા દ્વારા હરિભક્તોને શાંતિ આપી. અનેક મુમુક્ષુઓને ભગતજીના સમાગમથી દૃઢ નિશ્ચય થયો, અનેક સાધુઓ તથા કોઠારીઓ ભગતજીની મહિમાથી પ્રભાવિત થયા. ભગતજીએ વિનય, ઉપદેશ અને આધ્યાત્મિક દૃષ્ટિથી વિવાદો શમાવ્યા અને અનેક ભક્તોને દીક્ષા અને સત્સંગમાં દૃઢ બનાવ્યા.
2) ૧૭. સત્સંગમાં સ્વીકતિ — Last-Minute Revision Points
ત્રણ વર્ષ પછી પ્રાગજી ભક્તની સત્સંગમાં સ્વીકૃતિ
પરમ એકાંતિક બ્રહ્મસ્થિતિનો અનુભવ
“ભગતજી” નામે સંબોધન શરૂ
વરતાલ નિવાસ અને દેશવિહાર
કથાવાર્તાથી હરિભક્તોને શાંતિ
ગિરધરભાઈને નિશ્ચય અને દીક્ષા (વિજ્ઞાનદાસજી)
બેચર ભગત પર પ્રભાવ અને મહાપુરુષદાસ દીક્ષા
પવિત્રાનંદ સ્વામી સહિત સદગુરુઓને શાંતિ
૧૮. શારત્રી યજ્ઞપુરુષદાસજીના ગુરુપદે — Summary
સંવત ૧૯૩૯માં સુરત મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગે ભગતજી મહારાજની બ્રહ્મસ્થિતિ, મિષ્ટ વાણી અને અલૌકિક વ્યવહારથી યજ્ઞપુરુષદાસજી અત્યંત આકર્ષાયા અને મનોમન તેમને ગુરુ સ્વીકાર્યા. ભગતજી પાસેથી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર હોવાની તથા શ્રીજીમહારાજના ધામરૂપ હોવાની વાત સાંભળી યજ્ઞપુરુષદાસજીને દઢ પ્રતીતિ થઈ. ભગતજી મહારાજ યજ્ઞપુરુષદાસજી પ્રત્યે વિશેષ હેત ધરાવતા. સમય જતાં અનેક ત્યાગી સંતો નિર્ભયપણે ભગતજીનો સમાગમ કરવા લાગ્યા અને સત્સંગમાં ભગતજી મહારાજનો મહિમા વધતો ગયો. ભગતજીએ શિષ્યો માટે વિનમ્રતા, સહનશીલતા અને સર્વજીવ પ્રત્યે દયાભાવનો ઉપદેશ આપ્યો.
2) ૧૮. શારત્રી યજ્ઞપુરુષદાસજીના ગુરુપદે — Last-Minute Revision Points
સંવત ૧૯૩૯, સુરત મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા
ભગતજી મહારાજની બ્રહ્મસ્થિતિ અને મિષ્ટ વાણી
યજ્ઞપુરુષદાસજીએ મનોમન ગુરુ સ્વીકાર્યા
ગુણાતીતાનંદ સ્વામી અક્ષર હોવાની દઢ પ્રતીતિ
ભગતજીનો યજ્ઞપુરુષદાસજી પ્રત્યે વિશેષ હેત
ત્યાગી સંતોનો નિર્ભય સમાગમ
સત્સંગમાં ભગતજી મહારાજનો વધતો મહિમા
સર્વજીવ પ્રત્યે દયાભાવનો ઉપદેશ
૧૯. “મને સ્વામિનારાયણ વળગ્યા છે' — Summary
ભગતજીનો પ્રતાપ વધતાં કેટલાક સાધુઓએ વિરોધ કર્યો અને પ્રતિબંધ મૂકવાની ઈચ્છા દર્શાવી. ત્યારે ભગતજીએ કહ્યું કે ભગવાન તેને જ વળગે છે જેને ભગવાનમાં અતિશય સ્નેહ અને આસક્તિ હોય. તેમણે ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિનો ઉલ્લેખ કરી શ્રીજીમહારાજની મૂર્તિનું અખંડ સુખ પોતે લેતા હોવાની અને સંગ કરનારને આપવાની વાત કરી. પેટલાદમાં જમાદારને સત્પુરુષના લક્ષણો સમજાવી શાંતિ આપી. સંતોને ધીરજ, નિર્માનતા અને સહનશીલતા રાખવાની શિખામણ આપી અને આવનારા કઠિન સમય માટે તૈયારી રાખવા કહ્યું.
2) ૧૯. “મને સ્વામિનારાયણ વળગ્યા છે' — Last-Minute Revision Points
ભગતજીના વધતા પ્રતાપ સામે વિરોધ
“ભગવાન તેને જ વળગે જેને અતિશય સ્નેહ હોય” સમજાવટ
ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિનો ઉલ્લેખ
અખંડ સુખનો અનુભવ અને વિતરણ
પેટલાદમાં જમાદારને શાંતિ
સંતોને નિર્માનતા અને ધીરજની શિખામણ
આવનારા દુઃખ માટે તૈયારી
ર૦. ભગતજીના સંતોને ઉપાધિ — Summary
ભગતજીના ગુજરાતભરના વિચરણથી સત્સંગમાં વિશાળ સમાસ થયો. પ્રાગજી ભગત દ્વારા ભગવાન પ્રગટ છે એવી અનુભૂતિથી અનેક હરિભક્તોમાં દૃઢ નિશ્ચય થયો. કેટલાક સંતોએ વિરોધ કરીને ભગતજીના હેતવાળા સંતોને સત્સંગથી દૂર કર્યા. મહુવામાં ભગતજીના સમાગમથી યજ્ઞપુરુષદાસજી સહિત સંતોને અખંડ યોગ મળ્યો. યજ્ઞપુરુષદાસજીએ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ—આ ચારેય ગુણો ભગતજીમાં સાક્ષાત્ પ્રગટ હોવાનું યુક્તિપૂર્વક સિદ્ધ કર્યું. વિરોધ છતાં ભગતજીના હેતવાળા સંતો સત્સંગ બહાર રહી પણ નિષ્ઠાપૂર્વક સેવા કરતા રહ્યા.
2) ર૦. ભગતજીના સંતોને ઉપાધિ — Last-Minute Revision Points
ભગતજીના વિચરણથી ગુજરાતમાં મોટો સમાસ
પ્રાગજી ભગત દ્વારા ભગવાન પ્રગટ હોવાની અનુભૂતિ
વિરોધથી હેતવાળા સંતોને સત્સંગથી દૂર કરાયા
મહુવામાં ભગતજીનો અખંડ સમાગમ
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ—ચારેય ગુણ પ્રગટ
હરિભક્તોની સાક્ષીથી ભગતજીનું એકાંતિકપણું
વિરોધ છતાં સંતોની અડગ નિષ્ઠા
1) ર૧. એકાંતનું સુખ — Summary
ભગતજીની ઇચ્છાથી સંતો અને હરિભક્તો કતપર અને ભાદરોડમાં રહી અખંડ સમાગમનો લાભ લીધો. ભગતજી પ્રેમથી સંતોને જમાડતા, કથાવાર્તા કરતા અને યોગની પ્રક્રિયાઓ દ્વારા મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખતા શીખવતા. કઠોર તપ, ઉપવાસ અને સેવા દ્વારા સંતોને દેહભાન ભૂલાવી અક્ષરધામનું સુખ અનુભવાવ્યું. યજ્ઞપુરુષદાસજીએ ભગતજીનો મહિમા સંસ્કૃત અષ્ટકથી ગાયો. સંતોએ ભગતજીની ભાવપૂર્વક સેવા કરી અને તેમની આજ્ઞામાં રહ્યા. અંતે આચાર્યશ્રીના પત્રથી સંતોને વરતાલ મોકલવામાં આવ્યા; વિયોગ પહેલાં સંતોએ સેવા અને રસોઈ દ્વારા ભગતજીને રાજી કર્યા અને આશીર્વાદ મેળવી વરતાલ ગયા.
Last-Minute Revision Points
કતપર અને ભાદરોડમાં સમાગમ
પ્રેમથી જમાડવું અને કથાવાર્તા
યોગપ્રક્રિયા અને અખંડ વૃત્તિ
ઉપવાસ અને કઠોર તપ
યજ્ઞપુરુષદાસનું અષ્ટક
સંતોની સેવા
આચાર્યશ્રીનો પત્ર
આશીર્વાદ લઈને વરતાલ પ્રસ્થાન
રર. વનવાસમાંથી મુક્તિ — Summary
વરતાલમાં સંતોને ફરી સ્થાન મળ્યું અને આચાર્ય મહારાજે ભગવાં વસ્ત્રોની આજ્ઞા આપી. વિજ્ઞાનદાસજી ખાનદેશમાં પ્રચાર કરવા ગયા જ્યાં સમાધિ અને ચમત્કારોથી ભગતજીનો મહિમા વધ્યો. મહુવામાં આચાર્ય મહારાજે ભગતજીનો આદર કર્યો અને સભામાં તેમનો મહિમા સમજાવ્યો. ગઢપુર લક્ષ્મીવાડી પ્રતિષ્ઠામાં ભગતજી વિશેષ આમંત્રિત થયા અને અનેક હરિભક્તોએ સમાગમનો લાભ લીધો. નડિયાદમાં ભગતજીના પ્રચારથી મહારાજના સર્વોપરી સ્વરૂપ, સ્વામીના અક્ષરસ્વરૂપ અને બ્રહ્મચર્યની વાતો દઢ થઈ; અનેક ભક્તોને દર્શનનો અનુભવ થયો.
Last-Minute Revision Points
વરતાલમાં પુનઃ સ્થાન
ભગવાં વસ્ત્રોની આજ્ઞા
ખાનદેશમાં સમાસ અને સમાધિ પ્રસંગ
મહુવામાં આચાર્યનો આદર
લક્ષ્મીવાડી પ્રતિષ્ઠા પ્રસંગ
નડિયાદમાં પ્રચાર
સર્વોપરી સ્વરૂપ અને અક્ષરસ્વરૂપની વાત
ભક્તોને દર્શન અનુભવ
ર૩. વાંસદાના દીવાનને સત્સંગ — Summary
યજ્ઞપુરુષદાસજીના સમાગમથી વાંસદાના દીવાન ઝવેરભાઈને ભગતજીના દર્શનની ઉત્સુકતા થઈ. આજ્ઞા મળતાં ભગતજી વાંસદા પધાર્યા. દીવાન અને તેમની પત્ની ભાવપૂર્વક સેવા કરતા. ભગતજીએ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના તત્ત્વો તથા આજ્ઞા-ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું. ભજનમાં જાગૃતિ, કાકનિદ્રા અને અખંડ સ્મરણનો ઉપદેશ આપ્યો. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને પતિવ્રતા ભક્તિનો મહિમા સમજાવ્યો. દીવાનને અંતકાળે મહારાજ સાથે તેડવા આવવાનો વચન આપ્યો. રાજા અને અમલદારો પણ પ્રભાવિત થયા. વાંસદાથી પરત આવી આચાર્ય મહારાજે ભગતજીને સન્માન આપ્યું.
Last-Minute Revision Points
દીવાનની ઉત્સુકતા
ભગતજી વાંસદા પધાર્યા
પાંચ અનાદિ તત્ત્વોની સમજણ
આજ્ઞા અને ઉપાસનાનું રહસ્ય
અખંડ ભજનનો ઉપદેશ
ધર્મ-જ્ઞાન-વૈરાગ્યનો મહિમા
અંતકાળે તેડવાનો વચન
આચાર્ય દ્વારા સન્માન
ર૪. અમદાવાદમાં જ્ઞાનયજ્ઞ — Summary
અમદાવાદમાં ભગતજીના આગમનથી મંદિરનું વાતાવરણ બદલાયું. તેઓ મંગળા આરતીથી રાજભોગ અને સાંજની ચેષ્ટા સુધી કથાવાર્તા કરીને “વચનામૃત” સમજાવતા અને સૌને એકચિત્તે માળા ફેરવાવતા. પુરુષોત્તમપણું અને અક્ષરરૂપ થવાની વાતો કરીને બ્રહ્માનંદનો અનુભવ કરાવતા. બ્રહ્મચર્યના મહિમાનો આગ્રહપૂર્વક ઉપદેશ આપ્યો. યજ્ઞપુરુષદાસજી ભક્તોને ભગતજીના દર્શને મોકલતા અને અંતે પોતે પણ પધાર્યા. આચાર્ય મહારાજે પક્ષપાતપૂર્વક સન્માન આપ્યું. સત્પુરુષના મહિમાની વાતે ભગતજી રાજી થયા. હિંડોળા પ્રસંગે સર્વોપરી ઉપાસનાનું તત્ત્વ સમજાવ્યું. સેવા કાર્યમાં નિર્માનીપણે જોડાઈ સૌને પ્રભાવિત કર્યા.
Last-Minute Revision Points
મંદિરનું બદલાયેલું વાતાવરણ
મંગળાથી ચેષ્ટા સુધી કથા
દસ માળા એકચિત્તે
બ્રહ્મચર્યનો મહિમા
યજ્ઞપુરુષદાસજીનો આગ્રહ
આચાર્યનો સન્માનભાવ
સત્પુરુષ મહિમા પ્રસંગ
નિર્માની સેવા
ર૫. ભગતજીનું આકર્ષણ — Summary
વડોદરામાં સીતાબાને સમાધિમાં મહારાજ સાથે ભગતજીનાં દર્શન થતાં રાવસાહેબે ભગતજીને તેડાવ્યા. ભગતજીએ રંગાચાર્યજીને સત્પુરુષમાં જોડાવાનું મહત્વ સમજાવ્યું અને શાસ્ત્રજ્ઞાનનું સાચું મૂલ્ય બતાવ્યું. ગૃહસ્થોને શ્વેતધર્મના નિયમ આપી ભજનની રીત શીખવાડી. મહુવામાં અઢાર હજાર માળા ફેરવી હરિભક્તોના સુખ માટે પ્રાર્થના કરી. વિજ્ઞાનદાસજીના અવસાનથી સૌ દુઃખી થયા. ગણપતભાઈને “વચનામૃત”ના રહસ્યો સમજાવ્યા. વિરોધ છતાં સહનશીલતા રાખવાની today સમજ આપી. અક્ષરધામના સુખ અને ભગવાન-સંતમાં જોડાવાની સર્વોપરી ઉપાસનાની વાતો કરી.
Last-Minute Revision Points
સીતાબાની સમાધિ
સત્પુરુષમાં જોડાવાનો ઉપદેશ
શ્વેતધર્મના નિયમ
અઢાર હજાર માળા
વિજ્ઞાનદાસજી અક્ષરનિવાસ
ગણપતભાઈનો પ્રસંગ
સહનશીલતાનો પાઠ
સર્વોપરી ઉપાસના
ર૬. ગઢડામાં જળઝીલણીનો સમેયો — Summary
સંવત ૧૯૫૨માં જળઝીલણીના સમૈયે ભગતજી ગઢપુર પધારે તેવી ગોઠવણ યજ્ઞપુરુષદાસજીએ આચાર્ય મહારાજની મંજૂરીથી કરી. આ પ્રસંગે ઘણા હરિભક્તો ગઢડા ભેગા થયા. ભગતજી આચાર્ય મહારાજ અને મોટા સદગુરુઓના આસને, લક્ષ્મીવાડીએ અને મંદિરે જઈ સંતો અને હરિભક્તોને દર્શનનો લાભ આપતા.
આચાર્ય મહારાજે ભગવાનના સુખ વિષે પ્રશ્ન પૂછતાં ભગતજીએ સમજાવ્યું કે જેને ભગવાનના સુખનો અનુભવ થાય છે તેની ઈન્દ્રિયો અને અંતઃકરણ સ્થિર થઈ જાય છે અને તેનું મન ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય આસક્ત થતું નથી. ગુરમુખી બને ત્યારે જ એ સુખનો અનુભવ થાય છે.
ભગતજી સમજાવતા કે એકાંતિક સંતમાં આત્મબુદ્ધિ રાખવી એ કલ્યાણનું મહાન સાધન છે. સંતને મન, કર્મ અને વચનથી સેવવાથી એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે અને તેમના દ્રોહથી દુઃખ થાય છે. તેઓએ સમજાવ્યું કે ભગવાનને પામવા માટે ઈન્દ્રિયો અને અંતઃકરણ જીતવા જરૂરી છે અને કામ-ક્રોધ જેવા દોષો સામે શૂરવીર બની ભગવાનને પ્રાર્થના કરવી.
આ પ્રસંગે યજ્ઞપુરુષદાસજીના અભ્યાસ વિષે પણ પૂછાયું ત્યારે ભગતજીએ કહ્યું કે રાજકોટમાં વ્યવસ્થા થાય તો ભણવું, પરંતુ કાશી જવાની જરૂર નથી. તેમણે સમજાવ્યું કે મહિમા સાથેની ભક્તિ જ સ્થિર રહે છે; મહિમા વિનાની ભક્તિ અંતે નાશ પામે છે. આ રીતે ભગતજીએ અદ્ભુત કથાવાતાથી સૌને આધ્યાત્મિક આનંદ આપ્યો અને પછી મહુવા પધાર્યા.
ર૬. ગઢડામાં જળઝીલણીનો સમેયો — Last-Minute Revision Points
સંવત ૧૯૫૨ – જળઝીલણી સમેયો ગઢડા
યજ્ઞપુરુષદાસજી દ્વારા ભગતજીને આમંત્રણ
સંતો અને હરિભક્તોને ભગતજીના દર્શન
ભગવાનના સુખ વિષે આચાર્ય મહારાજનો પ્રશ્ન
ભગવાનના સુખથી ઈન્દ્રિયો અને અંતઃકરણ સ્થિર
એકાંતિક સંતમાં આત્મબુદ્ધિ – કલ્યાણનું સાધન
ઈન્દ્રિયો અને અંતઃકરણ જીતવાની જરૂર
કામ-ક્રોધ સામે શૂરવીરતા
યજ્ઞપુરુષદાસજીના અભ્યાસ વિશે આજ્ઞા
મહિમા સાથેની ભક્તિ જ સ્થિર રહે
૨૭. જૂનાગઢમાં અપૂવ સન્માન — Summary
યજ્ઞપુરુષદાસજીએ વિચાર કર્યો કે જ્યાં ભગતજીનું પહેલાં અપમાન થયું હતું ત્યાં જ તેમનું ભવ્ય સન્માન થવું જોઈએ. તેથી સંવત ૧૯૫૩માં જન્માષ્ટમીના સમૈયે ભગતજીને જૂનાગઢ પધારવા આચાર્ય મહારાજ પાસેથી આજ્ઞાપત્ર લેવાયું. ભગતજી જૂનાગઢ પહોંચ્યા ત્યારે સ્ટેશનથી જ તેમનું આચાર્ય મહારાજ સાથે વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત થયું અને મંદિરમાં તેમની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી.
સમૈયા દરમિયાન ભગતજી રોજ સભામંડપમાં પધારી કથાવાર્તા કરતા અને સંતો-હરિભક્તોને આધ્યાત્મિક આનંદ આપતા. ઘણા સંતો તેમને દંડવત્ કરતા કારણ કે તેઓ ગુણાતીતાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર શિષ્ય હતા. ભગતજીએ સમજાવ્યું કે એકાંતિક સંતમાં આત્મબુદ્ધિ રાખવી, સત્પુરુષનો સંબંધ જાળવવો અને મહિમા સાથે ભક્તિ કરવી એ કલ્યાણનો માર્ગ છે.
તેમણે ભક્તિને જીવનનું મુખ્ય તત્વ બતાવી સમજાવ્યું કે વૈરાગ્ય, જ્ઞાન અને ધર્મ હોવા છતાં ભક્તિ વિના બધું નિષ્ફળ છે. તેમણે ઈન્દ્રિયો અને વિષયોથી દૂર રહી સત્પુરુષમાં આશ્રય રાખવાની તથા ગુરુના મહિમાને ઓળખવાની શિખામણ આપી. જાગા સ્વામી પણ ભગતજીના મહિમાની વાતો કરતા અને સૌ હરિભક્તોને તેમના સમાગમનું મહત્ત્વ સમજાવતા.
આ રીતે ભગતજીએ જૂનાગઢમાં હરિભક્તોને બ્રહ્મરૂપ બની ભગવાનમાં જોડાવાની વાતો કરી ખૂબ આનંદ આપ્યો. સમૈયો પૂર્ણ થયા પછી તેઓ આચાર્ય મહારાજ અને સંતોની રજા લઈને નીકળ્યા અને જાગા સ્વામી સાથે ભાવપૂર્વક વિદાય લઈને ગોંડલ પધાર્યા.
૨૭. જૂનાગઢમાં અપૂવ સન્માન — Last-Minute Revision Points
સંવત ૧૯૫૩ – જન્માષ્ટમી સમૈયો જૂનાગઢ
યજ્ઞપુરુષદાસજી દ્વારા ભગતજીને આમંત્રણ
સ્ટેશનથી ભવ્ય સ્વાગત
સભામંડપમાં કથાવાર્તા
સંતો દ્વારા ભગતજીને દંડવત્
એકાંતિક સંતમાં આત્મબુદ્ધિનો ઉપદેશ
મહિમા સાથેની ભક્તિનું મહત્વ
ભક્તિ – જીવનનું મુખ્ય તત્વ
ગુરુના મહિમાની ઓળખ
સમૈયા પછી ગોંડલ પ્રસ્થાન
૨૮. અંતિમ લીલા — Summary
ગોંડલમાં યજ્ઞપુરુષદાસજીએ ભણવાના વિષે પૂછતાં ભગતજીએ કહ્યું કે તેમને શાસ્ત્રવિદ્યા અને બ્રહ્મવિદ્યા બંને શીખવાઈ ગઈ છે, હવે કંઈ અધૂરું નથી. તેમણે યજ્ઞપુરુષદાસજીને સૌના ગુરુપદે સ્થાપ્યા અને સંતો-હરિભક્તોને સુખી કરવાની આજ્ઞા આપી આશીર્વાદ આપ્યા.
મહુવા પહોંચીને ભગતજીએ મંદવાડ ગ્રહણ કર્યો અને અંતિમ દર્શન માટે હરિભક્તોને બોલાવ્યા. તેમણે અન્ન ત્યાગ કર્યો અને સ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી ગઈ, છતાં તેઓ હરિભક્તોને ધીરજ આપતા. અન્નકૂટના દિવસે તેઓ મંદિરમાં દર્શન કરવા ગયા અને કહ્યું કે જેમને તેમના દર્શન થયા છે તેમને તેઓ અક્ષરધામમાં લઈ જશે.
સંવત ૧૯૫૪ કાર્તિક સુદ ૧૩ના દિવસે ભગતજી સમાધિમાં સ્થિર થઈ અક્ષરધામ પધાર્યા. હરિભક્તો દુઃખથી વ્યાકુળ થઈ ગયા અને તેમના પંચભૌતિક દેહનો અગ્નિસંસ્કાર માલણ નદી કાંઠે કરવામાં આવ્યો.
આ સમાચાર સાંભળીને યજ્ઞપુરુષદાસજી ખૂબ દુઃખી થયા, પરંતુ ભગતજી મહારાજે તેમને દર્શન આપી કહ્યું કે “હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું.” આ દર્શનથી યજ્ઞપુરુષદાસજીનો શોક દૂર થયો અને સૌને સમજાયું કે મહારાજ યજ્ઞપુરુષદાસજી જેવા પરમ એકાંતિક સંતમાં પ્રગટ છે.
૨૮. અંતિમ લીલા — Last-Minute Revision Points
યજ્ઞપુરુષદાસજીને ગુરુપદે સ્થાપ્યા
સંતો-હરિભક્તોને સુખી કરવાની આજ્ઞા
મહુવામાં મંદવાડ ગ્રહણ
અન્ન ત્યાગ અને ગંભીર સ્થિતિ
અન્નકૂટે મંદિર દર્શન
“મારા દર્શન કરનારને અક્ષરધામ લઈ જઈશ”
કાર્તિક સુદ ૧૩ – અક્ષરધામ ગમન
માલણ નદી કાંઠે અગ્નિસંસ્કાર
યજ્ઞપુરુષદાસજીનું દુઃખ
ભગતજીના દર્શનથી શોક દૂર
૨૯. ઐશ્વર્ય દર્શન — Summary
સંવત ૧૯૧૪માં ભગતજી મહુવાના હરિભક્તો સાથે જૂનાગઢ સ્વામીના દર્શને જતા હતા ત્યારે શેત્રુંજી નદી પૂરથી ભરાઈ ગઈ હતી. છતાં ભગતજીએ ભગવાનમાં વિશ્વાસ રાખીને હરિભક્તોને હિંમત આપી અને સૌ સલામત રીતે નદી પાર કરી. રસ્તામાં કૂતરાએ એક હરિભક્તને કરડ્યો અને ભગતજીના સ્પર્શથી તેની પીડા ઓછી થઈ. પછી ભગતજીના ભાઈ નરસિંહભાઈને કાળા નાગે કરડ્યો, પરંતુ સ્વામિનારાયણ મંત્ર અને પ્રાર્થનાથી તેમની પીડા પણ દૂર થઈ ગઈ.
એક પ્રસંગે ભારે વરસાદ અને અંધકારમાં માર્ગ ન દેખાતો હોવાથી ભગતજીએ હરિભક્તોને ભજન કરવા કહ્યું અને થોડા સમય પછી સૌને આશ્ચર્ય થયું કે તેઓ ગઢડા પહોંચી ગયા હતા. અન્ય પ્રસંગે કાનજી દરજીને ભગતજી દ્વારા મળેલા પ્રસાદીના હારના પ્રભાવથી ભગવાન અને સ્વામીની મૂર્તિ અખંડ દેખાતી રહી.
મહુવામાં કોલેરા ફેલાતા ભગતજીએ હનુમાનજીને તેલ ચઢાવવાની આજ્ઞા આપી અને ઘણા દર્દીઓને રાહત મળી. એક બ્રાહ્મણે ભગતજીના નેત્રોમાં શ્રીજીમહારાજનાં દર્શન કર્યા. અંતિમ માંદગી વખતે પણ ભગતજી અન્નકૂટના દિવસે મંદિર પધાર્યા અને હજારો હરિભક્તોને દર્શન આપ્યા. ત્યારબાદ તેમણે કહ્યું કે જેમને તેમના દર્શન થયા છે તેમનું કલ્યાણ થઈ ગયું.
૨૯. ઐશ્વર્ય દર્શન — Last-Minute Revision Points
સંવત ૧૯૧૪ – શેત્રુંજી નદી પાર કરવી
ભગવાનમાં વિશ્વાસ અને હરિભક્તોને હિંમત
કૂતરાના કરડવાથી પીડા દૂર
નરસિંહભાઈને નાગદંશ – મંત્રથી રાહત
વરસાદમાં ગઢડા પહોંચવાનો ચમત્કાર
કાનજી દરજીને અખંડ મૂર્તિ દર્શન
કોલેરા સમયે હનુમાનજીને તેલ ચઢાવવાની આજ્ઞા
બ્રાહ્મણે ભગતજીના નેત્રોમાં શ્રીજીમહારાજનાં દર્શન
અંતિમ માંદગીમાં પણ અન્નકૂટ દર્શન
“મારા દર્શન કરનારનું કલ્યાણ થયું”
Shastriji Maharaj Pravesh 46-50 — Test Shastriji Maharaj Pravesh 46-50 — Test ગુજરાતી हिन्दी English ...
Designed by OddThemes | Distributed by Gooyaabi Templates