અક્ષરબ્રહ્મ સત્ર ચોથા દિવસની સમરી

 અક્ષરબ્રહ્મ સત્ર ત્રીજા દિવસની સમરી

શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષો દ્વારા થયેલા જીવન પરિવર્તનો 

પ્રથમ પગલું - વિચાર 

અસલ પારસમણિ એટલે જે લોખંડ ને સોનુ બનાવે. 

સત્સંગ દીક્ષા શ્લોક:

 વ્યસન મુક્તિ થી બ્રાહમી સ્થિતિ


શ્રીજી મહારાજે કરેલું જીવન પરિવર્તન

જોબન પગી : 

સત્સંગ પૂર્વેનું જીવન:

  • કલકત્તા સુધી તીર, ચાલતું પુના સુધી તીર ચાલતું.
  • ૨ વાર ગાયકવાડની તિજોરી લૂંટી હતી
  • તેમને પકડવા ૫૦ હજારનું ઇનામ
  • ડભાણના યજ્ઞમાં જોબનપગીનું શ્રીજી મહારાજે પરિવર્તન કર્યું.
  • વડતાલના મંદિર બનવવામાં તેમનો ફાળો હતો.

    ગુણાતીતાનંદ સ્વામી
     કરેલું જીવન પરિવર્તન

માંગરોળના દાજીભાઈ દરબાર:

સત્સંગ પૂર્વેનું જીવન:

  • ગુણાતીતાનંદ સ્વામીની મહેમાનગતી માણવા જુનાગઢ આવ્યા,સ્વામીએ આગતા સ્વાગતા કરી.
  • સ્વામીએ પૂછ્યું ગુરુ કર્યા? પછી સ્વામીએ વર્તમાન ધરાવ્યા તેમને સ્વામીએ પંચવર્તમાન પાળવાનું કીધું.
  • તેમને કીધું ૪ પળાશે વ્યભિચારનું નહિ પળાય સ્વામીએ માલા આપીને ૫ માળા સ્વામી સામે જોઇને ફેરવવાનું કીધું અને કામ ખેંચી લીધો.

યોગીજી મહારાજે
 કરેલું જીવન પરિવર્તન
સારંગપુરના ધર્મસ્વરૂપ સ્વામી:
  • તેમને કહ્યું મને કામ વાસના નડે છે.
  • સ્વામીએ કામ જોડે વાત કરતા કહ્યું ભાગ અહિયાથી પછી તેમનું પરિવર્તન થઇ ગયું.
  • યોગીજી મહારાજ કહેતા કે થાંભલાને સંકલ્પ થાય તો ધર્મસ્વરૂપ સ્વામીને થાય.
  • સારંગપુરમાં પુજારી તરીકે સેવા કરતા એકવાર ઉકળતું તેલ તેમના શરીર પર પડ્યું પણ તેમને કઈ જ અસર ન થઇ.
પ્રમુખસ્વામી મહારાજે કરેલું જીવન પરિવર્તન
વ્યસનમુક્તિ સાંકરીના અક્ષરસેવા સ્વામીએ ૧૦ હાજર લોકોને વ્યસનમુક્ત કર્યા હતા.

દારેસલામના સુભાષભાઇ જેમને વ્યસનમુક્ત કર્યા પણ સાથે સાથે બ્રાહીસ્થિતિ સુધી પહોચાડ્યા.

૩૫ વર્ષ જૂની વાત પ્રમુખસ્વામી મહારાજે કરી અને તેમનું જીવન પરિવર્તન

સભા નિયમિત ભરતા ,આરતી નિયમિત ભારત અંતિમ સમયે કોઈ ધંધાની વાત કરે તો કહેતા ભગવાન અને સંતની વાત કરો.

મહંતસ્વામી મહારાજે કરેલું જીવન પરિવર્તન

મહંતસ્વામી મહારાજના લીધે નાના બાળકો પણ બ્રાહીસ્થિતિ અનુભવે છે.

ગોંડલના ઘનશ્યામભાઈ વઘાસીયાનો સુપુત્ર અક્ષર-સાડા ત્રણ વર્ષની ઉંમરે કેન્સરનો ન્યુરોબ્લાસ્ટ નામનો રોગ - બહુજ બધા ઓપરેશન થયા-પીડામાં પણ મોળી વાત કરતો નહોતો,પોતે એકાદશી કરતો અને ડોક્ટરો અને નર્સને પણ કરાવતો,

છેલ્લે ગઢડા મંદિરે દર્શન કર્યા અને કોમામાં જતો રહ્યો અને પછી ૩ થી ૪ દિવસમાં સહુને છેલ્લા જય સ્વામિનારાયણ કર્યા અને ધામમાં ગયો.

 પગલું -૨ વચનમાં વિશ્વાસ 

પ્રમુખસ્વામી મહારાજના વચનો

  • શ્રીજી મહારાજ પોતે આવ્યા નિરાશ થઈને બેસી ન રહેવું આપણું શું થશે?
  • ૪૫માં વચનામૃતમાં કીધું તે પ્રમાણે એમના શરણે છીયે તો સ્વભાવ ટળી જશે.
  • ભક્તિ કરતાં કરતાં બ્રહ્મરૂપ થવાશે.
  • ધીમે ધીમે રજકણો બદલાશે,ભક્તિ કરતાં કરતાં બ્રહ્મરૂપ થવાશે.
  • ભગવાન અને સંતમાં વિશ્વાસ છે તો કલ્યાણ થશે.

મહંતસ્વામી મહારાજના વચનો

  • ભગવાન મળ્યા છે તો બધું થઇ રહ્યું છે અને બધું  થઇ જશે.
  • ભગવાન આપણને લટકાવી નહિ રાખે
  • આપણી ખરેખર જીત થઇ છે માયા પર થઈને બેઠા છીએ.
  • આ છેલ્લો જન્મ છે, માયામાં જવાનું જ નથી.
  • બ્રહ્મરૂપ કરશે જ.મહારાજ સ્વામીની પ્રાપ્તિ થઇ એમાં બધું આવી ગયું.અંતરમાં પ્રકાશ પ્રકાશ થઇ જશે.
  • એક બાળકે પૂછ્યું આપ અક્ષરધામમાં કેવી રીતે લઇ જશો સ્વામી એ ચપટી વગાડીને કીધું આમ લઇ જઇશું.

વિશ્વા : બ્રહ્મરૂપ કરશે જ

પગલું -૩ કૃતાર્થપણું - મુક્તાનંદસ્વામીના કીર્તન દ્વારા

જનમ સુધાર્યો રે હો મારો, મળિયા નટવર ધર્મદુલારો... ꠶ટેક

કરુણા અતિશે રે હો કીધી, ભવજળ બૂડતાં બાંય ગ્રહી લીધી... ꠶ ૧

મુજ પર અઢળક રે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠાં મળિયા... ꠶ ૨

મન દૃઢ કરિયું રે હો મોરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી... ꠶ ૩

આનંદ ઉરમાં રે હો ભારી, શિર પર ગાજે ગિરિવર ધારી... ꠶ ૪

નિરભે નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાગી... ꠶ ૫


પ્રાપ્તિનો વિચાર રોજ કરવા આપ અમારા ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.તે માટે અહિયા ક્લિક કરશો. 

0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...