યોગીજી મહારાજના પિતાશ્રી દેવચંદભાઈની ચોથી પેઢીએ કાનજીભાઈ થઈ ગયા હતા જેવો સૂર્યનારાયણના ચુસ્ત ઉપાસક હતા અને તેમને રામાનંદ સ્વામિમાં સંવત 1830 માં પ્રીતિ થઈ.
દેવચંદભાઈ જાગા સ્વામી કૃષ્ણ ચરણદાસ વગેરે સંતોના સમાગમથી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઊંડું તત્વજ્ઞાન ધરાવતા હતા.
દેવચંદભાઈ ના પત્ની પુરી બા અને પિયરમાં તારા તરફથી ભક્તિ સંસ્કાર મળ્યા હતા.
તેમને ત્યાં સંવત 1948 ના વૈશાખ વદ બારસને દિવસે ઝીણાભાઈનો જન્મ થયો.
ઝીણાભાઈ દોઢ વર્ષના થયા ત્યાં સુધી ચાલતા નહીં પગ પાતળા હતા અને હાથ લાંબા હતા બોલી શકતા પણ નહોતા આ જોઈને સૌને લાગતું કે તે મૂંગો રહેશે ચાલી શકશે નહીં અને ખોટ રહી જશે પરંતુ પૂરીબાને ખબર હતી.
પૂરીબા ખેતરે જતા ત્યારે પણ ઝીણાને સાથે લઈને જતા ખેતરમાં કામ શરૂ કરતાં પહેલાં એક વૃક્ષ નીચે તેમને સુવાડતાં અને પછી કાલા વીણતા બીજી સ્ત્રીઓ પણ પોતાના બાળકોને લઈને કાલા વીણવા જતી ત્યારે આવી જ રીતે ઝાડના છાએ સુવાડી દેતા પરંતુ બાળકો પોતાની માને ન જોતા તેથી રડવા લાગતા પરંતુ ઝીણાભાઈ ક્યારેય રડતા નહીં ખેતરનો માલિક બીજા બધા બાળકોની માતાને કહેતા કે તમારા રોડલ છોકરાને લઈને શું કામ ખેતરે આવો છો જ્યારે ઝીણાભાઈની સામું જોઈને પૂરીબાને કહેતા કે તમારો ઝીણા ચમત્કારિક છે શ્રીકૃષ્ણ ભગવાનના જેમ કાયમ જમણા પગનો અંગૂઠો ચૂસ્યા કરે છે અને એમ પણ કહેતા કે જેનો બહુ મોટો થશે અને આદર આપશે અને બધાનું માનીતો બનશે.
એક દિવસે પૂરીબા અને બીજી સ્ત્રીઓ કામ કરી રહ્યા હતા અને દિવસ પૂરો થતાં તેઓ જ્યારે ત્યાં આવ્યા ત્યારે ઝીણા નહોતો તેથી સૌ રડવા લાગ્યા તે સમયે રાણી પશુની બીક રહેતી હતી ને ઉપાડીને કદાચ રાણી પશુ લઈ ગયું હશે,તે સમયે ખેતરના બીજા છેડા તરફથી ઝીણાભાઈ ચાલ્યા આવતા હતા. સૌએ જોયું તો ઝીણાભાઈ હાથ કરીને કંઈ બતાવતો હતો ખેતરનો માલિક કહે ઝીણો કંઈક બતાવે છે આપણે એ બાજુ જોઈએ ખેતરના બીજા તરફ જોયું તો વીણેલી કપાસની ગાંસળીઓ બાંધેલી પડી હતી ત્યારે ખેતરના માલિકે કહ્યું કે આપણે ત્યાં ચોર આવ્યા હશે અને ગાંસળીઓ બાંધેલી છે પણ ઝીણએ કંઈક કર્યું હશે જેનાથી ચોર આ ગાંસળીઓ મૂકીને ભાગી ગયા અને આ વાત સર્વત્ર ફેલાઈ ગઈ.
ઝીણાભાઈ હંમેશા સદા ધ્યાનમગ્ન રહેતા અને ભક્તિ સેવા ભાવનાના સંસ્કારો તેમનામાં સહેજે હતા. તેઓ નિશાળમાં પણ પોતાની સાથે ભણતા બાળકોને ભગવત ભક્તિની વાતો કહેતા અને આગ્રહ કરીને સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા લઈ જતા.
શેત્રુંજી નદીના ત્રિવેણી સંગમ જે ધારીમાં રચાતો ત્યાંની જળધારાઓમાંથી એક નાજુક જળધારા વહે છે જેને પાતળીઓ ઝરો કહે છે આ જરામાં ઝીણાભાઈ હંમેશા સવારે સ્નાન કરવા જતા અને શ્રી હરિ ની મૂર્તિમાં ધ્યાન ધરીને બની જતા જ્યારે તેઓ સમાધિમાંથી જાગ્રત થતા ત્યારે બીજા બાળકો તેમને જોયા કરતા અને બાળકો તેમને વિવિધ પ્રશ્નો પૂછતા ઝીણાભાઈ માત્ર ભગવાનનું ભજન સ્મરણ કરવાનું આગ્રહ રાખતા.
એકવાર ઝીણાભાઈ સાત વર્ષના હશે ત્યારે અચાનક લીમડાના વૃક્ષની ઉપરની ડાળીએ ચડી ગયા મોટાભાઈ કમળશીભાઈએ પૂછ્યું કે જેના ઉપર કેમ ચડ્યો છું ત્યારે ઝીણાભાઈ કહે કે હું તો છપૈયા ના દર્શન કરવા માટે ચઢ્યો છું અહીંથી છપૈયા ના દર્શન થાય છે તમારા દર્શન કરવા હોય તો આવો તમને પણ દર્શન થશે ઝીણાભાઈ ની વાત તેમના મોટાભાઈ હંમેશા માનતા અને તેઓ પણ જ્યારે ઝાડ ઉપર ચડ્યા તેમને સાચેમાં છપૈયા ના દર્શન થયા.
ઝીણાભાઈ જમવા બેસે ત્યારે બધું મેળવીને પાણીની અંજલિ નાખીને જમી લેતા પુરી બા તેમને બોલે તો ક્યારેક જ જુદું જમતા જમવામાં જે આવ્યો તે જમી લેતા.ભાભી પાસે ક્યારે ફરી માગતા નહીં પુરી બા પાસે જ માગતા
ઝીણાભાઈ ને જગત સંબંધી વાતો કે પ્રવૃત્તિ ગમતી નહીં કમળશીભાઈના સગાઈ પ્રસંગે ઝીણાભાઈ પૂરીબા સાથે ચાંદગઢ ગયા હતા ત્યાં સ્ત્રીઓએ જ્યારે ફટાણા ગાવાના શરૂ કર્યા ત્યારે ઝીણાભાઈ ગામના રામજી મંદિરમાં ચાલી ગયા તેમને નંદસંતના કીર્તન સિવાય બીજા કોઈ કીર્તનો ગમતા નહીં બપોરના 12:00 વાગી ગયા જમવાનો સમય થઈ ગયો ત્યારે પૂરીબાએ ઝીણાભાઈ ને યાદ કર્યા ઝીણાભાઈ ક્યાંય મળ્યા નહીં આખા ગામમાં તપાસ કરતા ખબર પડી કે રામજી મંદિરના પ્રદક્ષિણે પ્રદક્ષિણામાં એક બાળક બેઠો છે નવા કપડાં પહેર્યા છે અને માથે ટોપી છે આપણા ગામનો નથી મહેમાન લાગે છે. વેવાઈ પક્ષના લોકો જ્યારે તેમને તેડવા આવ્યા ત્યારે તેમને કહ્યું કે મારે નથી આવવું.
ધારીમાં ઝીણાભાઈ ની નિશાળના આગળના ભાગમાં કન્યાશાળા હતી ત્યારે છોકરાઓ ઝીણાની મશ્કરી કરતા અને કહેતા કે જેના તારે ભણેલી છોકરીને પરણવું છે કે અભણને?ઝીણાભાઈ આવી વાતો સાંભળતા નહીં.
પુરીભાઈ એકવાર ઝીણાભાઈ ને કહ્યું હતું કે તારા લગ્નનો મહાલવાનો મને બહુ મન છે ત્યારે ઝીણાભાઈ બોલ્યા બા મોટાભાઈનું તો બગાડ્યું હવે સંસારમાં પાડીને મારું શું કામ બગાડો છો?
શાળાના શિક્ષકોમાં પણ ઝીણાભાઈ ની છાપ અલગ તરી આવતી.
ધારીના સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરતા મોહન કાકા જોડે ઝીણાભાઈ નાની વયથી જ મંદિરમાં સુતા, વળી પાંચ સાત બાળકોને પણ આગ્રહ પૂર્વક મંદિરમાં સુવા લઈ જતા અને તેઓ તેમ પણ કહેતા કે જે સ્વામીનારાયણના મંદિરમાં વાંચે તે નાપાસ ન થાય.
સવારે ચાર વાગે ઝીણાભાઈ ઉઠી જતા અને બાળમિત્રોને પણ વાંચવા ઉઠાડતા ત્યાર પછી દંડવત અને ધૂન કરાવતા સંધ્યા આરતી સમયે પણ ઝીણાભાઈ મંદિરે પહોંચી જતા.નિશાળ અને મંદિર આ બે સ્થાન જ તેમના પ્રિય સ્થાન હતા.
જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે જગદીશભાઈ ભગવાનભાઈ પારેખ ને મોતીભાઈ એ બે શિક્ષકો બહુ કડક હતા છઠ્ઠા ધોરણમાં ત્રિભોવન હરખજી પછી નારણજી ઉમેદભાઈહેડ માસ્તર થયા તેમને ચંદુ નામના વિદ્યાર્થીને ખૂબ માર્યો તેને વગર વાગે બાવડે ઝાલીને પછાડીને મૂઢ માર માર્યો. ઝીણાભાઈ આ જોઈ શક્યા નહીં અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરવા લાગ્યા. ત્યાર પછી ચંદુ થોડા સમયમાં મરી ગયો.ચંદુ ના માબાપે અધિકારી પાસે તપાસ કરાવી પરંતુ આચાર્ય સામે કોણ આંગળી ચીંધે ત્યારે ઝીણાભાઈએ આચાર્ય નો ડર લાગ્યા વગર કીધું હતું કે આચાર્ય સાહેબે વાંક વિના ચંદુને માર્યો હતો તેમની આવી હિંમત જોઈને બીજાને પણ હિંમત આવી અને બધા બાળકોએ ઝીણાભાઈના વચનમાં સાક્ષી પુરી અને આ બધાના વચનો અધિકારી સાહેબે માન્ય રાખ્યા અને ત્રિભુવનદાસ ને બળ તરફ કર્યા અને ઝીણાભાઈ ને ઇનામ આપ્યું
0 comments