Day-3 : પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીયે - નિધિધ્યાયસનથી
આજે પ્રાપ્તિને અનુભવવા માટે એક એવું ધ્યાન ધરીશુ જેમાં મહારાજ અને સ્વામી સાથે છે તેવો અનુભવ આપને થશે.તે છે નિધિધ્યાયસન.
આ શબ્દ સમજાવતા શ્રીજી મહારાજ વચનામૃત સારંગપુરના ૩ મા કહે છે,
“શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને, જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે, તેને મનન કહીએ. અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત-દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો, તેને નિદિધ્યાસ કહીએ. અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદમ્ સાંભરી આવે, તેને સાક્ષાત્કાર કહીએ. "
આ નિધિધ્યાયસન જીવનમાં બદલાવ લાવી શકે છે આવો તેને કરીયે આ વીડિયો દ્વારા.
0 comments