દિવસ - 5 - પ્રારંભ પરીક્ષા

                                                                   ઘનશ્યામ ચરિત્ર - 8


કોણ બોલે છે કોને કહે છે?

૧. “આજે શું રસોઈ કરું?”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૨. “રસોઈની ઉતાવળ નથી… માટે નિરાંતે શીરો બનાવજો.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૩. “માતાજી ! અમે સિદ્ધિઓ છીએ.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૪. “તમે પણ જમોજે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૫. “માતાજી ! અમે તમારા માટે રોજ થાળ લાવીશું.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૬. “રોજ લાવતાં નહિ, જયારે મામી રસોઈ બનાવતાં વાર લગાડે ત્યારે જરૂર લાવજો.”
→ કોણ બોલે છે? કોને કહે છે?


એક વાક્યમાં જવાબ

૧. પ્રભુના મામીનું નામ શું હતું?
૨. ભક્તિમાતાએ લક્ષ્મીબાઈને શું બનાવવાનું કહ્યું?
૩. ભક્તિમાતાને શું લાગ્યું હતું?
૪. પ્રભુએ કોને ભોજન લાવવા આજ્ઞા કરી?
૫. કેટલી સિદ્ધિઓ આવી હતી?
૬. સિદ્ધિઓના હાથમાં શું હતું?
૭. થાળમાં કેટલા પકવાન હતા?
૮. પ્રભુએ થાળમાંથી શું કર્યું?
૯. સિદ્ધિઓ ક્યાં અદૃશ્ય થઈ ગઈ?


ટૂંકનોંધ

૧. લક્ષ્મીબાઈ
૨. આઠ સિદ્ધિઓ
૩. ભક્તિમાતા
૪. બત્રીસ પકવાન
૫. પ્રભુની સેવા
૬. સિદ્ધિઓ દ્વારા ભોજન લાવવું


કારણો

  1. પ્રભુએ આઠ સિદ્ધિઓને બોલાવી
  2.  ભક્તિમાતા અચકાયા
  3. મામી નવાઈ પામ્યાં
  4. પ્રભુએ સિદ્ધિઓને રોજ થાળ ન લાવવા કહ્યું


યોગીજી મહારાજ- 4 , 5 

કોણ બોલે છે કોને કહે છે?

૧. “લખી લો એટલે અમને તમારા જવાબ પાટીમાંથી કહેજો.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૨. “હા, કહીશું ભાઈ કહીશું! મારી પાટી આમ રાખીશ એટલે તમે જોઈ લેજો.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૩. “લેખામાં શું આવ્યું?”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૪. “ઝીણા! બતાવ તારી પાટી, નહીં તો મારીશું.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૫. “તમે ગણો ને! મારું ખોટું હશે તો તમારું પણ ખોટું પડશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૬. “ચોરી કરીને બીજાની પાટીમાંથી ન લખાય.”
→ કોણ બોલે છે? કોને કહે છે?


એક વાક્યમાં જવાબ

૧. ઝીણાભાઈ ભણવામાં કેવા હતા?

૨. ઝીણાભાઈને નિશાળમાં શું મળતું?

૩. ઝીણાભાઈની બાજુમાં કોણ બેસતા?

૪. વિદ્યાર્થીઓ ઝીણાભાઈની પાટીમાંથી શું કરવા પ્રયત્ન કરતા?

૫. શિક્ષક દાખલા ગણાવે ત્યારે ઝીણાભાઈ શું કરતા?

૬. ઝીણાભાઈ પાટી કેવી રાખતા?

૭. ઝીણાભાઈને શું ગમતું ન હતું?

૮. ઝીણાભાઈ શું શીખવતા હતા?


ઘટનાક્રમ ગોઠવો

૧. ઝીણાભાઈ પાટી ઊંધી વાળી દેતા.
૨. વિદ્યાર્થીઓ પાટીમાંથી જોવા પ્રયત્ન કરતા.
૩. શિક્ષક દાખલા ગણાવતા.
૪. ઝીણાભાઈ ઘડીકમાં દાખલો ગણી લેતા.


૧. વિદ્યાર્થીઓ ઝીણાભાઈને જવાબ પૂછતા.
૨. ઝીણાભાઈ ચોરી ન કરવા સમજાવતા.
૩. વિદ્યાર્થીઓ પાટી જોવા માંગતા.
૪. ઝીણાભાઈ જવાબ ન આપતા.


ટૂંકનોંધ

૧. ઝીણાભાઈ
૨. ઝીણાભાઈની હોશિયારી
૩. ચોરી ન કરવાનો ઉપદેશ
૪. નિશાળના વિદ્યાર્થીઓ
૫. ઝીણાભાઈની નીડરતા


કારણો

૧. વિદ્યાર્થીઓ ઝીણાભાઈની પાટીમાંથી જોવા પ્રયત્ન કરતા

૨. ઝીણાભાઈ પાટી ઊંધી વાળી દેતા


કોણ બોલે છે કોને કહે છે?

૧. “આ ઝીણો શું કરતો હશે?”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૨. “ઝીણા ! તું રમત-ગમત કરતો નથી.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૩. “આખો દિવસ ભગવાન સંભારે છે. વૈરાગ્ય બહુ પાળે છે, તો પછી સાધુ જ થઈ જા ને !”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૪. “હા, સાધુ થઈશ.”
→ કોણ બોલે છે? કોને કહે છે?


એક વાક્યમાં જવાબ

૧. બપોરે કેટલા વાગે શાળામાં છુટ્ટી મળતી?

૨. છુટ્ટીમાં બાળકો કઈ રમતો રમતા?

૩. ઝીણાભાઈને શેમાં રસ ન હતો?

૪. ઝીણાભાઈ ક્યાં બેસીને ભજન કરતા?

૫. ઝીણાભાઈ શું કરતા?

૬. ઝીણાભાઈને નવરાશ મળે ત્યારે શું ગમતું?

૭. ઝીણાભાઈ મોટા થઈને શું બન્યા?


ઘટનાક્રમ ગોઠવો

૧. શિક્ષકોએ ઝીણાભાઈને પ્રશ્ન પૂછ્યો.
૨. ઝીણાભાઈ ઝાડ નીચે ધ્યાનમાં બેઠા હતા.
૩. ઝીણાભાઈ ભજન કરતા હતા.
૪. ઝીણાભાઈએ “હા, સાધુ થઈશ.” જવાબ આપ્યો.


૧. શાળામાં છુટ્ટી પડી.
૨. બાળકો રમતો રમવા લાગ્યા.
૩. ઝીણાભાઈ ઝાડ નીચે બેસ્યા.
૪. ઝીણાભાઈ ભગવાનનું ભજન કરવા લાગ્યા.


ટૂંકનોંધ

૧. ઝીણાભાઈનું ભજન
૨. ઝીણાભાઈનો વૈરાગ્યભાવ
૩. શાળાની છુટ્ટી
૪. ઝીણાભાઈ અને શિક્ષકો
૫. સમયનો સદુપયોગ


કારણો

૧. શિક્ષકો ઝીણાભાઈને સાધુ થવાનું કહેતા

0 comments

દિવસ-4 - પ્રવીણ પરીક્ષા

                                            કિશોર સત્સંગ પ્રવિણ-2 કોણ બોલે છે કોને કહે છે? ૧. “અરર ! મહારાજના બેસવાના ઓટા ઉપર જ આ ફૂતરાએ મળથ...