સ્વામિનારાયણ પ્રકાશ, જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૫ ૬-૧૧


  • ૧૯૦૫-૦૭: ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા વૈદિક અક્ષરપુરુષોત્તમ ઉપાસના સિદ્ધાંતના પ્રવર્તન માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી.

  • આરંભના દિવસોથી જ સંસ્થાના પાયામાં આધ્યાત્મિક મૂલ્યો સાથે કાર્યકરો અને સ્વયંસેવકોએ સમર્પણ કરીને શાસ્ત્રીજી મહારાજના એક યુગકાર્યને વહાવવામાં યોગદાન આપ્યું.

  • ૧૯૦૭-૧૯૫૧: સંસ્થાની સ્થાપનાથી લઈ ૧૯૫૧ સુધી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રચંડ પુરુષાર્થ અને સાધુતાથી પાંચ શિખરબદ્ધ મંદિરોના નિર્માણમાં હજારો સ્વયંસેવકો અને કાર્યકરોએ યોગદાન આપ્યું.

  • ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ પદે સ્થાપીને કાર્યકરોને ભાવિ સુકાની આપ્યા.

  • ૧૯走૧માં શાસ્ત્રીજી મહારાજે દેહલીલા સંકેલી અને યોગીજી મહારાજે ગુરુપદ સંભાળ્યું.

  • ૧૯૫૨-૫૪: યોગીજી મહારાજે ગામડે ગામડે વિચરણ કરીને સત્સંગ મંડળો સ્થાપ્યાં, અઠવાડિક સત્સંગ સભાઓ શરૂ કરાવી.

  • ૧૯૫૨માં યુવક મંડળ અને ૧૯૫૪માં બાળ મંડળની મુંબઈ અને ત્યારબાદ અન્યત્ર વિધિવત્ સ્થાપના કરી, તેના સંચાલન માટે કાર્યકરો નિયુક્ત કર્યા.

  • યુવાનોને પોતાની સાથે વિચરણમાં જોડીને ભાવિ કાર્યકરોની સેના તૈયાર કરી.

  • જાતે પોસ્ટ કાર્ડ લખીને ગામડે ગામડે સત્સંગ સભાના સંચાલનનું માર્ગદર્શન આપ્યું.

  • ૧૯૫૫-૫૬: યોગીજી મહારાજે પ્રથમ આફ્રિકાયાત્રા કરીને શાસ્ત્રીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામીના પ્રયાસોથી સ્થપાયેલા બી.એ.પી.એસ. સત્સંગને નવો વેગ આપ્યો.

  • મોમ્બાસામાં પ્રથમ મંદિરની પ્રતિષ્ઠા કરી. કાર્યકરોને તૈયાર કરી સત્સંગના વિકાસમાં જોડયા. ૧૯૫૫-૫૬માં ઠેર ઠેર અધિવેશનો યોજ્યાં.

  • આફ્રિકાથી લઈને અટલાદરા સુધી અધિવેશનોની પ્રવૃત્તિ દ્વારા નવો આયામ મળ્યો.

  • ૧૯૫૯-૭૦: ૧૯૫૯-૬૦માં પુનઃ આફ્રિકાયાત્રા કરીને યોગીજી મહારાજે વિદેશમાં નૂતન મંદિરો દ્વારા કાર્યકરોની પ્રવૃત્તિને નવો વેગ આપ્યો.

  • ૧૯૬૧માં એક સાથે ૫૧ યુવાનોને દીક્ષા આપીને સંસ્થાના વિકાસના સ્તંભ તૈયાર કર્યા.

  • ૧૯૭૦માં લંડનમાં ચર્ચમાં પ્રથમ હિન્દુ મંદિર સ્થાપી ઇંગ્લેન્ડમાં કાર્યકરોનું સંગઠિત માળખું રચ્યું.

  • ૧૯૬૧થી ૧૯૭૦ દરમ્યાન ઠેર ઠેર વિચરણ કરી સત્સંગ મંડળોના સંચાલનમાં કાર્યકરો તૈયાર કર્યા.

  • ૧૯૬૯: બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે બાળ-યુવા પ્રવૃત્તિને વિશેષ પુષ્ટિ આપવા, ભાવિ કાર્યકરોનું બીજારોપણ કરવા માટે અખિલ ભારતીય બાળ-યુવા અધિવેશન યોજ્યું.

  • તા. ૮-૫-૧૯૬૯ના રોજ અટલાદરા ખાતે આ પ્રથમ બાળ-યુવા અધિવેશન યોજાયું હતું, જેમાં ૩૫૦ બાળકો-યુવાનોએ ભાગ લીધો હતો.

  • આ અધિવેશન દ્વારા બાળકો-યુવકોએ વધુ આધ્યાત્મિક ઊંડાણ પ્રાપ્ત કર્યું હતું.

  • ૧૯૭૧: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે કાર્યકરોનું માળખું રચ્યું.

  • સ્વામીશ્રીના માર્ગદર્શન મુજબ મુંબઈ ખાતે તા. ૮-૧૧-૧૯૭૧ના રોજ મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ભક્તિપ્રિયદાસ સ્વામી, ઈશ્વરચરણદાસ સ્વામી વગેરેએ મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કર્યો.

  • ગોંડલ ખાતે દ્વિતીય અધિવેશન યોજાયું, ૧૨૦૦ યુવકોએ ભાગ લીધો.

  • ૧૯૭૨: પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સંસ્થાની વિવિધ સેવા પ્રવૃત્તિઓના સુવ્યવસ્થિત સંચાલન અને વિકાસ માટે મુંબઈમાં દાદર ખાતે કાર્યકરોના સંગઠિત દળ અને કાર્યાલયનો પ્રારંભ કર્યો.

  • તેઓએ સત્સંગ પ્રવૃત્તિનાં પાંચ વહીવટી ક્ષેત્રો બનાવ્યાં - ગુજરાત, ભારત, આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અમેરિકા. નિરીક્ષક અને સહાયક નિરીક્ષકોની નિમણૂક કરાઈ.

  • ઈશ્વરચરણદાસ સ્વામીએ તેનું સંયોજન-સૂત્ર સંભાળ્યું.

  • ગુજરાતમાં બાળ-યુવા પ્રવૃત્તિ, સ્વયંસેવક દળ, નિરીક્ષક દળ, સંમેલન, સત્સંગ શિક્ષણ પરીક્ષા અને પ્રકાશનની પ્રવૃત્તિને વેગ આપવા માટે ૧૪ સભ્યોની કેન્દ્રીય સમિતિની રચના કરવામાં આવી.

  • તા. ૬, ૭ મે, ૧૯૭૨ના રોજ ગાના ખાતે યુવક સ્નેહ સંમેલન યોજાયું.

  • આ સંમેલનમાં ૭૫ કેન્દ્રોમાંથી આવેલા ૧૦૦૦થી વધુ યુવાનોને પ્રમુખસ્વામી મહારાજે વિશેષ પ્રેરણા આપી.

  • ૧૯૭૨-૭૪: સ્વામિનારાયણીય સત્સંગ, સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રશિક્ષણ માટે પ્રમુખસ્વામી મહારાજે સત્સંગ શિક્ષણ પરીક્ષાના અભ્યાસક્રમનો આરંભ કર્યો.

  • તા. ૭-૭-૧૯૭૨ના રોજ વલ્લભીપુર, ભાવનગરમાં તેઓએ પ્રથમ પરીક્ષાનું ઉદ્ઘાટન કર્યું. પ્રથમ વર્ષે કુલ ૬૩ કેન્દ્રોમાં ૨,૫૬૫થી વધુ ભક્તોએ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપી હતી.

  • ૧૯૭૪માં સ્વામીશ્રીએ ન્યૂયોર્કમાં પ્રથમ મંદિર કરીને અમેરિકાના કાર્યકરોનું માળખું રચ્યું.

  • ૧૯૭૫: મુંબઈ ખાતે અક્ષરભુવનનું પુનઃસર્જન થતું હોવાથી મુંબઈમાં ચાલતી સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિ સાથે સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય પ્રથમ વડોદરા અને ત્યારબાદ મણિભાઈ બ્રહ્મભટ્ટ, રસિકભાઈ પટેલ વગેરેની વિનંતીથી અમદાવાદમાં સ્થળાંતરિત થયું.

  • ઈશ્વરચરણદાસ સ્વામી, સત્યપ્રિયદાસ સ્વામી સાથે નિર્મળસિંહ રાણા, ધીરેન્દ્રભાઈ વીંછી, રાવજીભાઈ પટેલ વગેરે કાર્યકરો સેવામાં જોડાયા.

  • ૧૯૭૬: જાન્યુઆરીમાં મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી સહિત વડીલ સંતોની હાજરીમાં અમદાવાદમાં નિરીક્ષકોનું સંમેલન યોજાયું.

  • ઈશ્વરચરણદાસ સ્વામીએ ૧૯૮૧માં યોજાનાર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સંસ્થા દ્વારા યોજાનાર પંચવર્ષીય કાર્યક્રમોમાં કટિબદ્ધ થવા હાકલ કરી.

  • વલ્લભવિદ્યાનગરમાં તૃતીય બાળ-યુવા મહોત્સવ યોજાયો.

  • ૧૯૭૭: કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે માસિક 'નીલકંઠ' સામયિક શરૂ થયું. (૧૯૯૮માં તેનું નામકરણ 'સહજાનંદ સુધા' કરાયું.)

  • પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કાર્યકરોની પુષ્ટિ માટે ડિસેમ્બર માસમાં સારંગપુર ખાતે ‘યુવા નેતૃત્વ તાલીમ શિબિર' યોજાઈ.

  • આ શિબિરમાં વરિષ્ઠ સંતો દ્વારા કાર્યકરોને કાર્ય અંગે પ્રેરણા-માર્ગદર્શન અપાયાં. ત્યારથી પ્રતિ વર્ષે આ તાલીમ શિબિર યોજાવા લાગી.

  • ૧૯૭૮-૭૯-૮૦: પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી છ ઝોનની દેખરેખ માટે છ નિર્દેશકોની નિમણૂક કરાઈ.

  • આંતરરાષ્ટ્રીય બાળ અધિવેશન વિદ્યાનગરમાં યોજાયું, જેમાં ૩,૦૦૦ બાળકોએ ભાગ લીધો.

  • ઠેર ઠેર ‘ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી'ના ઉદ્ઘોષ માટે કાર્યકરો દ્વારા જનજાગૃતિ અને વ્યસનમુક્તિ કાર્યક્રમો યોજાયા. યુ.કે. અને આફ્રિકામાં યોજાયા બાળ-યુવા મહોત્સવો.

  • ૧૯૮૧: પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી અંતર્ગત સતત પાંચ વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમોમાં કાર્યકરો અવિરત સેવારત રહ્યા.

  • અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયેલા ૩૭ દિવસીય દ્વિશતાબ્દી મહોત્સવમાં કાર્યકરોએ સેવા-સમર્પણની ભાગીરથી વહાવી.

  • બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિના કાર્યકરોના માર્ગદર્શન માટે અમદાવાદમાં બાલપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય સ્થપાયું.

  • ૧૯૮૩-૮૪: અમદાવાદમાં પંચમ આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ યોજાયો. ૩૦૦૦ યુવકોએ ભાગ લીધો.

  • ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે કાર્યકરો દ્વારા ઠેર ઠેર જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. અમેરિકામાં કાર્યકર તાલીમ શિબિરો આરંભાઈ.

  • અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવના વિવિધ વિભાગોની સેવામાં એક વર્ષ અગાઉથી જોડાઈને કાર્યકરોએ સેવા-સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

  • ૧૯૮૫: પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ઇંગ્લેન્ડની ધરતી પર લંડનમાં યોજાયેલા અભૂતપૂર્વ ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' મહોત્સવને ભવ્ય સફળતા અપાવવામાં કાર્યકરોએ કરી અદ્ભુત સેવા.

  • અમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દીના ૫૯ દિવસીય ભવ્ય મહોત્સવમાં ૧૦,૦૦૦ કાર્યકરોનું અભૂતપૂર્વ સમર્પણ. સેવા દ્વારા કાર્યકરોએ અનન્ય ઉદાહરણ પૂરું પાડયું.

  • ૧૯૮૭-૮૮: બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિના કાર્યકરો માટે 'બાળ ઘનશ્યામ' મુખપત્રની શરૂઆત થઈ. કાર્યકરોના સંયોજન માટે ૧૧ સંયોજકો નિમાયા.

  • ૮૭-૮૮ના વર્ષમાં કાર્યકરોએ વિરાટ પાયે દુષ્કાળ રાહતકાર્યમાં ખૂબ જહેમત ઉઠાવી.

  • ગુજરાત સરકારે બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિને ‘શ્રેષ્ઠ ચિલ્ડ્રન એક્ટિવિટીઝ એવોર્ડ'થી સન્માનિત કરી.

  • વિદ્યાનગરમાં ૧૫,૦૦૦ બાળકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બાળ અધિવેશન યોજાયું.

  • ૧૯૯૦-૯૩: સંસ્થા દ્વારા યોજાયેલા નર્મદા સમર્થન અભિયાન અને સાક્ષરતા અભિયાનમાં કાર્યકરોએ જનજાગૃતિમાં મોટું યોગદાન આપ્યું.

  • વિદ્યાનગરમાં “આંતરરાષ્ટ્રીય યુવા અધિવેશન' યોજાયું, ૨૧,૦૦૦ યુવાઓએ ભાગ લીધો.

  • कार्यકરોએ વાલી જાગૃતિ અભિયાન અંતર્ગત બાળસંસ્કારનો સંદેશ વહેતો કર્યો. રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માએ ‘બાળકલ્યાણના રાષ્ટ્રીય પુરસ્કાર'થી સંસ્થાને સન્માનિત કરી.

  • ૧૯૯૧-૯૨: અમેરિકામાં પ્રમુખસ્વામી મહારાજે ૨૬૦૦ સમર્પિત કાર્યકરો-સ્વયંસેવકોની સેવા દ્વારા અભૂતપૂર્વ ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' ઊજવીને સંસ્કૃતિનો ડંકો માર્યો.

  • ગાંધીનગર ખાતે અક્ષરધામનું ઉદ્ઘાટન અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કરીને પ્રમુખસ્વામી મહારાજે અનેકવિધ લોકસેવાનાં સોપાનો સાથે કાર્યકરોની સેવાનો પ્રભાવ વિશ્વ સમક્ષ દર્શાવ્યો.

  • ૧૯૯૪: સંસ્કૃતિના સંદેશને જન જન સુધી પહોંચાડવાની નેમ ધરાવતા કાર્યકરોના ખમીરને જાગ્રત કરતું ‘આંતરરાષ્ટ્રીય યુવા કાર્યકર અધિવેશન' વિદ્યાનગર ખાતે યોજાયું, જેમાં ૫,૦૦૦ કાર્યકરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.

  • મહિલાપાંખના બાળ, યુવા અને સંયુક્ત મંડળના કાર્યકરોએ પણ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને કૌશલ્યનું કૌવત દાખવ્યું.

  • ૧૯૯૫: મુંબઈ ખાતે યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવમાં હજારો સ્વયંસેવકો-કાર્યકરોનો અવિરત સેવાયજ્ઞ.

  • યુ.કે. અને યુરોપમાં બાળ-કિશોર-યુવક-સંયુક્ત સત્સંગ પ્રવૃત્તિઓ માટે રાષ્ટ્રીય સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયની સ્થાપના લંડનમાં થઈ.

  • એશિયા-પેસેફિક દેશોમાં કાર્યકરોના ઉત્સાહથી બાળસભાની શરૂઆત થઈ.

  • ઇંગ્લેન્ડમાં સ્વયંસેવકો-કાર્યકરોની સેવા-સમર્પણનિષ્ઠાથી રચાયું લંડન મંદિર.

  • ૧૯૯૬-૯૭: ઇંગ્લેન્ડમાં સત્સંગ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા કાર્યકરો માટે મુખપત્ર ઘનશ્યામ(બાલ-બાલિકા), નીલકંઠ(કિશોર-કિશોરી), આદર્શ(યુવક-યુવતી), સુવાસિની(મહિલા)ની શરૂઆત થઈ.

  • અહીં કાર્યકર અધિવેશનની શરૂઆત થઈ. ગુજરાતમાં મહિલા પ્રવૃત્તિનાં કાર્યકરો માટે સુવાસિની મુખપત્રની શરૂઆત થઈ.

  • ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં બાળ અને કિશોર સત્સંગપ્રવૃત્તિની શરૂઆત થઈ.

  • ૧૯૯૮-૯૯: નોર્થ અમેરિકામાં બાલ-બાલિકા અને કિશોર-કિશોરી સત્સંગપ્રવૃત્તિ અંતર્ગત નેશનલ સત્સંગ વિકાસ સમિતિની સ્થાપના કરાઈ.

  • નોર્થ અમેરિકામાં બાળ-બાલિકા અને કિશોર-કિશોરી કાર્યકર સંમેલન યોજાયું.

  • બાળપ્રવૃત્તિ અંતર્ગત બાળ-બાલિકા મંડળના સંચાલન માટે વિગતવાર સૂચિ૫ત્રો બહાર પાડવાની શરૂઆત થઈ.

  • આ સૂચિપત્રો દ્વારા સૌને વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું.

  • ૨૦૦૦-૦૧: બાળપ્રવૃત્તિ દ્વારા ઠેર ઠેર ૪ થી ૭ વર્ષના બાળકો માટે અલગ શિશુ સભાની શરૂઆત થઈ.

  • બાળપ્રવૃત્તિ દ્વારા યોજાયું વ્યસનમુક્તિ અભિયાન. પ્રમુખવરણી સુવર્ણજયંતી મહોત્સવની સેવામાં જોડાયા કાર્યકરો.

  • ગુજરાતમાં ભીષણ દુષ્કાળમાં સ્વયંસેવકો-કાર્યકરો દ્વારા સેવાયજ્ઞ.

  • કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ રાહતકાર્યમાં સ્વામીશ્રીની આજ્ઞાથી હજારો સ્વયંસેવકો અસરગ્રસ્તોની સેવામાં જોડાયા.

  • ૨૦૦૨-૦૪: બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા ગુજરાતીમાં બાળપ્રકાશ સામયિક અને અંગ્રેજી દ્વિ-માસિક બાળપ્રકાશ સામયિકની શરૂઆત થઈ.

  • ગાંધીનગરમાં યોજાયેલા 'બાળપ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ'માં રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે કાર્યકરોને બિરદાવ્યા.

  • ઇંગ્લેન્ડમાં “બાળપ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં ૩૦૦ કાર્યકરોની સેવા સરાહનીય રહી.

  • ૨૦૦૫: પ્રમુખસ્વામી મહારાજના પુરુષાર્થ અને સંકલ્પે પાંચ વર્ષોની મહેનતના પરિણામ સ્વરૂપે દિલ્હી ખાતે ભવ્ય 'સ્વામિનારાયણ અક્ષરધામ' નિર્માણ પામ્યું.

  • મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામીશ્રીએ કાર્યકર સભાને સંબોધીને સૌની સેવાને ખૂબ બિરદાવી. આ વર્ષે ૯,૬૦૦ કાર્યકરોનું અધિવેશન યોજાયું.

  • ગઢડા અને વિદ્યાનગરમાં અગ્રેસર કાર્યકરોનાં દિવ્ય સંનિધિ પર્વો યોજાંયા.

  • ૨૦૦૬: આફ્રિકામાં ગતિમાન સત્સંગ-મંડળોના કાર્યકરોની તાલીમ શિબિર નૈરોબીમાં યોજાઈ.

  • દેશ-વિદેશમાં બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવના ઉપક્રમે કાર્યકરોએ વિશેષ કાર્યક્રમો યોજ્યા.

  • અમેરિકામાં રાષ્ટ્રીય સત્સંગ પ્રવૃત્તિ કાર્યકર સંમેલન યોજાયું. ત્યારપછી નિયમિત સમયાંતરે તે યોજાતું રહ્યું.

  • આફ્રિકાના કાર્યકરોના ઉત્સાહથી રવાન્ડા અને બુરુન્ડીમાં સત્સંગસભાની શરૂઆત થઈ.

  • ૨૦૦૭: ભારતમાં યુવા પ્રવૃત્તિના કાર્યકરો માટે ‘નીલકંઠ' મુખપત્રની શરૂઆત થઈ.

  • બાળકાર્યકરો દ્વારા ગુજરાતમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવાયું, જેમાં ૬,૩૦,૦૦૦થી વધુ લોકોને વ્યસનમુક્ત થવાની પ્રેરણા મળી.

  • તત્કાલીન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ ભવનમાં આ બાળકો-કાર્યકરોનું સન્માન કર્યું.

  • પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ‘યુવા તાલીમ કેન્દ્ર'ની શરૂઆત થઈ.

  • બાલિકા-કાર્યકરો દ્વારા પ્રાર્થનાયજ્ઞો યોજાયા.

  • પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આફ્રિકા, યુ.કે.-યુરોપ, નોર્થ અમેરિકા વગેરે દેશોમાં અને છેલ્લે ચરમસીમા રૂપે અમદાવાદમાં બી.એ.પી.એસ. સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઊજવાયો.

  • કાર્યકરોએ તન, મન અને ધન સમર્પિત કરીને મહોત્સવ દીપાવ્યો. કાર્યકરોની સેવાને સ્વામીશ્રીએ ખૂબ બિરદાવી.

0 comments

પ્રાગજી ભક્ત જીવનચરિત્ર - સંવત 1921- summry

  📖 “ચાર પ્રકારના મોટાપુરુષ” 🔹 1️⃣ QUICK SUMMARY સંવત ૧૯૨૧ના કાર્તિકી સમૈયામાં સ્વામી વરતાલ પધાર્યા. સભામાં વરતાલનું ત્રીજું વચનામૃત વંચાવ...