તા. 24-2-2017, દિલ્હી
આજે સવારે સ્વામીશ્રી હિતેશભાઈ કોન્ટેક્ટનો હાથ પકડીને હરિભક્તોને પૂજાદર્શનનો લાભ આપવા સભા-મંડપમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમણે સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘સ્વામીજી ! આમ ને આમ અક્ષરધામમાં હાથ પકડીને લઈ જજો.’સ્વામીશ્રી ભાવમાં આવીને જમણા હાથે ખેંચતા હોય તેવી મુદ્રા કરતાં બોલ્યા : ‘ખેંચીને લઈ જઈશું.’


0 comments