મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી ને મળ્યો વધુ એક એવોર્ડ તે સિવાય સ્વામીજી બીજા ૧૧ એવોર્ડ ધરાવે છે

 




૧૯ નવેમ્બર ૨૦૨૩ના મહા મહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને ભાષ્ય રત્નાકર સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા.ઈચગીરી સંપ્રદાય તેમજ સાવિત્રીબાઈ ફુલે પુણે વિદ્યાપીઠ પુણે દ્વારા સંયુક્ત તત્વાવધાન આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય વાક્યાથ સંગોષ્ઠિના સમાપન સત્રમાં આ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું. આ સંગોષ્ઠિમાં સમગ્ર ભારતમાંથી ન્યાય, વ્યાકરણ , વેદાંત , સાહિત્ય , જ્યોતિષ , મીમાંસા બે દિવસ સુધી વિવિધ વિષયોમાં પંડિતોએ શાસ્ત્રાર્થ કર્યું હતું.સ્વામી ભદ્રેશદાસજીને આ વાક્યાર્થ સંગોષ્ઠિમાં વિદ્વાનો સમક્ષ દાર્શનિક શાસ્ત્ર પર ઉદબોધન કર્યું.

ઉલ્લેખનીય છે કે સ્વામી ભદ્રેશદાસજી ભારતવર્ષનાં દાર્શનિક શાસ્ત્રના મુર્ધન્ય વિદ્વાન છે.સાંખ્ય , યોગ  ,ન્યાય વૈશેષિક, પૂર્વ મીમાંસા તથા ઉત્તર મીમાંસા જેવા છ વૈદિક દર્શનોના તેઓ આચાર્ય છે.

સ્વામીજી પ્રસ્થાનત્રયના જીવંત ભાષ્યકાર છે.તેમને ઉપનિષદો ,ભાગવત ગીતા તથા બ્રહ્મસુત્ર પર શાસ્ત્રીય સંસ્કૃત ભાષાના ભાષ્યની રચના કરી ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને સમગ્ર વિશ્વમાં ખુલ્લું મુક્યું છે.

ઇંચગીરી સંપ્રદાયના પીઠાધીશ્વર શ્રી પાંડુરંગ મહારાજ તથા સમર્થ રામદાસજીના વંશજ તેમજ સમર્થ રામદાસ સ્વામી સંસ્થાનના અદ્યક્ષ શ્રી ભૂષણ સ્વામીજીનાં કરકમળોથી આ સન્માન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભદ્રેશદાસ સ્વામીને બીજા ૧૧ એવોર્ડ અત્યારસુધી મળી ચુક્યા છે.


0 comments

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot

Brahmaswarup Shastriji Maharaj Vistrut Jivancharitra Part 1 — Study Bot ✨ Brahmaswarup Shastriji Maharaj Vistr...