લીલાચરિત્ર

 

ગઢડા પ્રથમ ૩

લીલાચરિત્ર સંભારી રાખવાનું

શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ૧૬ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વને સંભારી રાખવા. તે શા સારુ જે, કદાપિ દેહ મૂક્યા સમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિષે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.”

ભગવાન સ્વામિનારાયણની આવી જ એક લીલા માણિયે એનિમેશન ફિલ્મ દ્વારા



0 comments

ચાતુર્માસના નિયમ પ્રમાણે જીવનચરિત્રો - દિવસ -83

રોજ આજ લિંક પર નવો ઓડિઓ મુકવામાં આવશે. આવા જ ઓડિયો મેળવવા માટે આપ અમારી Whatsapp કોમ્યુનિટીમાં પણ જોડાઈ શકો છો. તે માટે અહિયા ક્લિક કરશો  In...