શાસ્ત્રીજી મહારાજ 3-4
✅ કોણ બોલે છે કોને કહે છે?
“મેં શાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું તે માંસ ખાધા બરાબર છે. માટે હું નહીં જમું.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ એક વાક્યમાં જવાબ
ડુંગર ભક્તે લગ્નપ્રસંગે શું ગ્રહણ કર્યું?
ડુંગર ભક્ત કઈ અવસ્થામાં ચાલ્યા ગયા હતા?
ડુંગર ભક્ત સમાધિમાં કોની મૂર્તિનું સુખ લેતા હતા?
માતાપિતાએ ડુંગર ભક્તને ક્યાં મૂકી આવ્યાં?
ડુંગર ભક્તની આસપાસ શું દેખાતું હતું?
બીજા બાળકો કઈ રમતો રમતા હતા?
ડુંગર ભક્ત કઈ ભક્તિવાળી રમતો રમતા હતા?
ડુંગર ભક્ત કયા ગામે લગ્નપ્રસંગે ગયા હતા?
ડુંગર ભક્તે ગામમાં શું શોધી કાઢ્યું?
ડુંગર ભક્તે જમવાની ના શા માટે પાડી?
ડુંગર ભક્ત માટે ક્યાંથી ફરાળ મંગાવવામાં આવ્યો?
ડુંગર ભક્ત રોજ કોના પાસેથી ગ્રંથો સાંભળતા?
ડુંગર ભક્ત રાત્રે શું કરીને સૂઈ જતા?
✅ કારણો
ડુંગર ભક્તે જમવાની ના પાડી.
ચારસો માણસો ડુંગર ભક્તને સમજાવવા છતાં તેઓ ન માન્યા.
સૌ લોકો ડુંગર ભક્તને જોઈ વિસ્મય પામ્યા.
ડુંગર ભક્તને તપ અને કથાવાર્તામાં પ્રીતિ હતી.
✅ ટૂંકનોંધ
ડુંગર ભક્તની સમાધિ અવસ્થા
ડુંગર ભક્તની એકાદશીની ટેક
ડુંગર ભક્તની ભક્તિવાળી રમતો
ડુંગર ભક્તની કથાવાર્તા પ્રત્યેની પ્રીતિ
✅ કોણ બોલે છે કોને કહે છે?
“ભાઈ! આટલી રાતે એકલા આવ્યા તે બીક ન લાગી?” — કોણ બોલે છે? કોને કહે છે?
“ભગવાનની વાત કરો તો ગડિયાં વાળું.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમે કહ્યું હતું ને કે જે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ નામ લેતાં ચાલે છે તેની ભેળા મહારાજ પણ ચાલે છે અને તેની રક્ષા કરે છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ એક વાક્યમાં જવાબ
ડુંગર ભક્તના પિતાશ્રી ક્યાં ગયા હતા?
ડુંગર ભક્ત મધરાતે ક્યાં જવા નીકળ્યા?
ડુંગર ભક્ત હાથમાં શું લઈને ખેતરે ગયા?
ડુંગર ભક્ત રસ્તામાં શું બોલતા જતા હતા?
ડુંગર ભક્તના પિતાશ્રીનું નામ શું હતું?
ડુંગર ભક્તને કયા વિષયનું વ્યસન પડી ગયું હતું?
પિતાશ્રી ડુંગર ભક્તને શું કામ કરવાનું કહેતા?
ડુંગર ભક્ત દર પૂનમે ક્યાં જવા લાગ્યા?
વરતાલમાં ડુંગર ભક્ત કોની વાતો સાંભળતા?
ડુંગર ભક્ત શાસ્ત્રના પાનાં લઈને ક્યાં બેસતા?
ડુંગર ભક્તે ભણવાનું શરૂ કર્યું હતું કે નહીં?
✅ કારણો
ડુંગર ભક્તને બીક ન લાગી.
ધોરીભાઈ ડુંગર ભક્તની વાત સાંભળી રાજી થઈ ગયા.
ડુંગર ભક્તને કથાવાર્તા વગર ચેન ન પડતું.
ડુંગર ભક્તને ઘરે લઈ જવા શોધવા પડતા.
ડુંગર ભક્ત મોટા વિદ્વાન થશે એવું લાગતું હતું.
✅ ટૂંકનોંધ
ડુંગર ભક્તની નિર્ભયતા
ડુંગર ભક્તની કથાવાર્તા પ્રત્યેની પ્રીતિ
ડુંગર ભક્તની વરતાલ યાત્રા
શાસ્ત્ર વાંચતા ડુંગર ભક્ત
નીલકંઠ ચરિત્ર 3-4
✅ કોણ બોલે છે કોને કહે છે?
“લાવ, છપૈયામાં તપાસ કરી આવું. કદાચ રિસાઈને ઘનશ્યામ છપૈયા ચાલ્યા ગયા હોય!” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમારા નાના ભાઈ તો વનમાં તપ કરવા ગયા છે.” — કોણ બોલે છે? કોને કહે છે?
“હું ક્યાં ગયો છું! તું જ્યારે સંભારીશ ત્યારે હું તને દર્શન દઈશ, પરંતુ આવી રીતે પ્રાણ ત્યાગ કરતો નહીં.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
વેણીરામે ઘનશ્યામને શોધવા _______ માં ભૂસકો માર્યો.
ઘનશ્યામે વેણીરામ અને મોતીરામને _______ ની બહાર મૂકી દીધા.
રઘુનંદન _______ નો દીકરો હતો.
રઘુનંદને _______ ના ઝાડ નીચે ધ્યાન ધર્યું.
નીલકંઠ _______ માં સ્નાન કરી મહાદેવનાં દર્શન કર્યા.
નૈમિષારણ્યમાં _______ નામનું સરોવર આવેલું છે.
✅ ટૂંકનોંધ
વેણીરામને ઘનશ્યામનાં દર્શન
રઘુનંદનનો વિરહ પ્રસંગ
રઘુનંદનને સજીવન કરવાનો પ્રસંગ
નૈમિષારણ્ય યાત્રા
મહાવનનું વર્ણન
✅ એક વાક્યમાં જવાબ
ઘનશ્યામની શોધ કરવા રામપ્રતાપભાઈ ક્યાં ગયા?
વેણીરામે શું વિચાર કરીને કૂવામાં ભૂસકો માર્યો?
વેણીરામના પિતાનું નામ શું હતું?
ઘનશ્યામે કૂવામાં કોને દર્શન આપ્યાં?
રઘુનંદન કોનો પરમ મિત્ર હતો?
રઘુનંદન ક્યાં ગયો?
રઘુનંદને ક્યાં દેહ ત્યાગ કર્યો?
રામપ્રતાપભાઈને આકાશવાણીરૂપે કોને દર્શન આપ્યાં?
નીલકંઠ કયા સ્થળે પધાર્યા?
મહાવનમાં કયા જંગલી પ્રાણીઓ વસતાં હતા?
✅ કારણો
રામપ્રતાપભાઈ છપૈયામાં શોધ કરવા ગયા.
વેણીરામ કૂવામાં કૂદ્યો.
રઘુનંદન ઉદાસ થઈ ગયો.
રઘુનંદનના માતા-પિતા રોવા લાગ્યાં.
રામપ્રતાપભાઈને અંતરમાં શાંતિ થઈ.
નીલકંઠ મહાવનમાં નિર્ભયતાથી ચાલ્યા.
✅ કોણ બોલે છે કોને કહે છે?
“હે તપસ્વી સંતો! તમે અહીં શું કરવા આવ્યા છો? અહીંથી ક્યાં જવાના છો?” — કોણ બોલે છે? કોને કહે છે?
“વર્ણીરાજ! અમે હિમાલયમાં તપ કરવા જઈ રહ્યા છીએ.” — કોણ બોલે છે? કોને કહે છે?
“તમારો સાચો ભાવ હશે તો તમને પ્રગટ પ્રભુ અહીં જ મળશે.” — કોણ બોલે છે? કોને કહે છે?
✅ ખાલી જગ્યા પૂરો
તપસ્વીઓ _______ માં તપ કરવા જઈ રહ્યા હતા.
તપસ્વીઓની ઇચ્છા _______ ને પ્રસન્ન કરવાની હતી.
નીલકંઠે તપસ્વીઓને _______ ભગવાનરૂપે દર્શન આપ્યાં.
તપસ્વીઓ _______ ના ઝાડ પર ઝોળી બાંધીને સૂઈ ગયા.
નીલકંઠ વડથી _______ ડગલાં દૂર જમીન પર સૂઈ ગયા.
સવાર થતાં ઝરખે _______ વાર પૂંછડી પછાડી.
✅ ટૂંકનોંધ
તપસ્વીઓ સાથે નીલકંઠનો સંવાદ
નીલકંઠનો દિવ્ય પરિચય
તપસ્વીઓને ચતુર્ભુજ નારાયણરૂપ દર્શન
ઝરખનો પ્રસંગ
તપસ્વીઓનો મોક્ષ
✅ એક વાક્યમાં જવાબ
તપસ્વીઓ ક્યાં જવા નીકળ્યા હતા?
તપસ્વીઓનું ધ્યેય શું હતું?
તપસ્વીઓએ નીલકંઠને શું પૂછ્યું?
નીલકંઠે પોતાને કેવી રીતે ઓળખાવ્યા?
નીલકંઠ ક્યાં જવા જઈ રહ્યા હતા?
તપસ્વીઓ કોને નારાયણ ભગવાન જેવા માનવા લાગ્યા?
તપસ્વીઓએ રાત્રે ક્યાં સૂવાની વ્યવસ્થા કરી?
નીલકંઠ ક્યાં સૂઈ ગયા?
અર્ધ રાત્રિએ કયું પ્રાણી આવ્યું?
નીલકંઠે તપસ્વીઓનો શું કર્યો?
✅ કારણો
તપસ્વીઓ હિમાલયમાં જવા નીકળ્યા.
તપસ્વીઓ નીલકંઠની વાતોથી ચકિત થઈ ગયા.
તપસ્વીઓ આનંદિત થઈ ગયા.
તપસ્વીઓ ઝાડ પર ઝોળી બાંધીને સૂઈ ગયા.
તપસ્વીઓ નીલકંઠને ભગવાનરૂપે સંભારવા લાગ્યા.
તપસ્વીઓની વૃત્તિ નીલકંઠમાં સ્થિર થઈ ગઈ.
નિબંધ-1
મંદિરના શિલ્પકારોને વધાવતા સ્વામીશ્રી....- સ્વામિનારાયણ પ્રકાશ નવેમ્બર-ડિસેમ્બર -2025
મંદિરના શિલ્પકારોને વધાવતા સ્વામીશ્રી....
૨૦૧૭માં સ્વામીશ્રી રાજસ્થાનમાં પીંડવાડા ખાતે પધાર્યા હતા. અહીં અમેરિકાના રોબિન્સવિલના અક્ષરધામના પથ્થરોનું ઘડતરકાર્ય ચાલી રહ્યું હતું.
તાજેતરમાં રાજસ્થાનના જોધપુરમાં તો સ્વામીશ્રીએ એ કારીગરો પ્રત્યેના તેમના અહોભાવનું એક વિશિષ્ટ દર્શન કરાવ્યું.
જો કે કારીગરો તો મંદિરનું નિર્માણ પૂર્ણ કરીને દૂર-સુદૂર પોતાનાં ગામડાંમાં જવા નીકળી ગયા હતા.
સ્વામીશ્રીની ઇચ્છા હતી કે સૌને રાજસ્થાની પરંપરા મુજબ પાઘ પહેરાવીને સન્માનવા છે.
સ્વામીશ્રીએ ઇચ્છા વ્યક્ત કરી કે કારીગર ભાઈઓને અહીંના પરંપરાગત નવાં કપડાં ધોતી અને ઝભ્ભો આપવાં છે, બધાને મુખમાં મોતીચૂરના લાડુ પણ જમાડવા છે, પ્રત્યેક કારીગરને તિલક કરવું છે, દરેકને પુષ્પહાર પહેરાવવો છે.
પણ તેઓની ઉંમર, સ્વાસ્થ્ય અને સેંકડો કારીગર ભાઈઓની સંખ્યા! તેથી આ શક્ય નહોતું. સૌએ ખૂબ વિનંતી કરી, પરિણામે પ્રતિનિધિરૂપ કારીગરોનું સન્માન તેમના હાથે થાય અને અન્યનું સદ્ગુરુ સંતોના હાથે સન્માન થાય તેવું ગોઠવાયું.
૨૬મી તારીખે પ્રતિનિધિરૂપ કારીગર ભાઈઓને સ્વામીશ્રીએ સ્વયં ચાંદલો કર્યો, મુખમાં મોતીચૂરના લાડુ જમાડ્યા, વસ્ત્રદાન કર્યું, નિજહસ્તે પાઘડી પહેરાવી, હાર પહેરાવ્યા, અને મસ્તક પર પુષ્પ પણ ચઢાવ્યાં!
સૌ ગદ્ગદ થઈ ગયા. સંધ્યાસભામાં પણ પુનઃ સૌ પર આશીર્વાદની વર્ષા કરતાં સ્વામીશ્રી અહોભાવમાં આવી કહેવા લાગ્યાઃ “...बनेंगे। उसमें कोई संशय नहीं है। इस लोक की दृष्टि से तो आप बहुत ही बड़े हैं। आप आगे आगे खूब आगे बढ़ोगे...'
સભામાં પણ કારીગર ભાઈઓનું તો સન્માન કરાયું જ, પણ તેમની સાથે આવેલા નાના-નાના બાળકોનું પણ આ જ રીતે સન્માન કરવામાં આવ્યું.
પત્રમાં સ્વામીશ્રીએ સ્વહસ્તે લખ્યું હતું: “આપ બધાએ ખૂબ પ્રેમથી અને મહિમાથી પથ્થર ઘડતરની ખૂબ જ સેવા કરી છે. આપને સાક્ષાત્ ભગવાનની સેવા મળી છે અને તેમનો સંબંધ થયો છે. તેથી આપ બધાનો મહિમા સમજીએ એટલો ઓછો છે. સંબંધ થયો તેથી જતે દહાડે એકાંતિક થઈ જશો. આપ બધાને દંડવત્ કરીએ અને પગે લાગીએ તો પણ ઓછું છે. આપ તો ભગવાનના ભક્ત છો, નાના નથી, મજૂર નથી પણ મુક્ત છો.'
સ્વામીશ્રીની આ સંવેદના માનવોત્તર પ્રેમના અધ્યાય સમી બની રહેશે.
નિબંધ -1 નિરૂપણ
📖 મંદિરના શિલ્પકારોને વધાવતા સ્વામીશ્રી....
નિબંધ-1 સમરી
📖 મંદિરના શિલ્પકારોને વધાવતા સ્વામીશ્રી....


0 comments