દિવસ - 9 - પ્રારંભ પરીક્ષા


૧૪. વાંદરાને સમાધિ

એક વાક્યમાં જવાબ

૧. ધર્મપિતાએ ક્યાં જવાનો વિચાર કર્યો?

૨. ધર્મપિતા સહ-કુટુંબ ક્યાં વસવાટ કરવા ગયા?

૩. અયોધ્યામાં કઈ શેરીમાં ઘર લીધું?

૪. ઘનશ્યામ કોની બાજુમાં જમવા બેઠા હતા?

૫. જમવાનું કોણ પીરસતાં હતાં?

૬. વાંદરાએ શું ઉપાડી લીધું?

૭. વાંદરાને સમાધિ કેવી રીતે થઈ?

૮. વાંદરો કેટલા દિવસ સમાધિમાં રહ્યો?

૯. સમાધિમાંથી જાગીને વાંદરો ક્યાં આવ્યો?

૧૦. ઘનશ્યામે વાંદરાને શું આપ્યું?


ઘટનાક્રમ ગોઠવો

૧. ધર્મપિતા અયોધ્યા જવા નીકળ્યા

૨. સરયૂ નદી પાર કરી

૩. અયોધ્યામાં વસવાટ કર્યો

૪. ઘનશ્યામ જમવા બેઠા

૫. વાંદરો રોટલીઓ લઈ ગયો

૬. વાંદરાને સમાધિ થઈ

૭. ત્રણ દિવસ સમાધિમાં રહ્યો

૮. ઘનશ્યામ પાસે આવ્યો

૯. પ્રસાદી લઈને પાછો ગયો


ટૂંકનોંધ

૧. છપૈયાથી અયોધ્યા પ્રસ્થાન

૨. સરયૂ નદી પાર કરવાનો પ્રસંગ

૩. વાંદરાને સમાધિ

૪. વાંદરાને આશીર્વાદ


કારણો

૧. ધર્મપિતાએ અયોધ્યા જવાનો વિચાર કર્યો.

૨. વાંદરો ઓશરીમાં આવ્યો.

૩. વાંદરાને સમાધિ થઈ.

૪. વાંદરો ઘનશ્યામ પાસે આવ્યો.

૫. ઘનશ્યામે વાંદરાને પ્રસાદી આપી.


૮. ઝીણાભાઈ જૂનાગઢમાં

કોણ બોલે છે કોને કહે છે?

૧. “આપણે પણ સંતોની સેવા કરી તેમને રાજી કરવા જોઈએ.”


એક વાક્યમાં જવાબ

૧. ઝીણાભાઈને કોની રજા મળી?

૨. ઝીણાભાઈને છેલ્લી વાર કંસાર કોણે કરાવ્યો?

૩. ઝીણાભાઈ કોની સાથે જૂનાગઢ જવા નીકળ્યા?

૪. જૂનાગઢમાં ઝીણાભાઈ કોને મળ્યા?

૫. ઝીણાભાઈને પાર્ષદ દીક્ષા કોને આપી?

૬. દીક્ષા પછી ઝીણાભાઈનું નામ શું પડ્યું?

૭. ઝીણા ભગત શું ચરાવવા જતા?

૮. ઝીણા ભગત ક્યાં ગાયો ચરાવવા જતા?

૯. ઝીણા ભગત ગાયો ચરતી હોય ત્યારે શું કરતા?

૧૦. ઝીણા ભગત રોજ કેટલાં દાતણ લાવતા?


ઘટનાક્રમ ગોઠવો

૧. ઝીણાભાઈને માતા-પિતાની રજા મળી

૨. પુરીબાઈએ કંસાર કરાવ્યો

૩. ઝીણાભાઈ જૂનાગઢ જવા નીકળ્યા

૪. સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને મળ્યા

૫. પાર્ષદ દીક્ષા મળી

૬. ઝીણા ભગત બન્યા

૭. ગાયો-ભેંસો ચરાવવા જવા લાગ્યા

૮. દાતણ લાવવા લાગ્યા

૯. કથા અને ધૂનમાં જોડાયા

૧૦. ગુરુને રાજી કર્યા


ટૂંકનોંધ

૧. ઝીણાભાઈનો ગૃહત્યાગ

૨. પાર્ષદ દીક્ષા

૩. ઝીણા ભગતની સેવા

૪. ઝીણા ભગતનો નિત્યક્રમ


કારણો

૧. ઝીણાભાઈ જૂનાગઢ ગયા.

૨. ઝીણા ભગત ગિરનારની તળેટીમાં જતા.

૩. ઝીણા ભગત દાતણ લાવતા.

૪. ઝીણા ભગત કથામાં હાજર રહેતા.

૫. સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી રાજી થયા.

૯. જાગા ભક્તનાં દર્શન

કોણ બોલે છે કોને કહે છે?

૧. “દંડવત્ રાખો.”

૨. “જાગા સ્વામી! તમે મારા અંતરની ઇચ્છા આજે પૂરી કરી.”

૩. “તમારે બે વાત સમજવી.”

૪. “એક તો સત્શાસ્ત્રનું વ્યસન રાખવું અને બીજું, સારા સાધુનો સંગ રાખવો.”


એક વાક્યમાં જવાબ

૧. ઝીણા ભગત કોની પાસે કથા સાંભળતા?

૨. કૃષ્ણજી અદા કોના મહિમાની વાતો કરતા?

૩. ઝીણા ભગતને કોના દર્શન થયા?

૪. જાગા ભક્તે માથે શું બાંધ્યું હતું?

૫. ઝીણા ભગતે કેટલા દંડવત્ કર્યા?

૬. જાગા ભક્તે ઝીણા ભગતને કેટલી વાત સમજાવી?

૭. સત્શાસ્ત્રના વ્યસનમાં કયા ગ્રંથો વાંચવા જણાવ્યા?

૮. સારા સાધુના સંગ તરીકે કોનો સમાગમ જણાવ્યો?

૯. જાગા ભક્તે ક્યારે દર્શન આપ્યાં?

૧૦. ઝીણા ભગતને સ્વપ્નું ક્યારે આવ્યું?


ઘટનાક્રમ ગોઠવો

૧. ઝીણા ભગત કૃષ્ણજી અદા પાસે કથા સાંભળતા

૨. જાગા ભક્તના મહિમાની વાતો સાંભળી

૩. ઝીણા ભગતના મનમાં વિચાર આવ્યો

૪. રાત્રે સ્વપ્નું આવ્યું

૫. જાગા ભક્તનાં દર્શન થયા

૬. ઝીણા ભગતે દંડવત્ કર્યા

૭. ઉપદેશ માગ્યો

૮. જાગા ભક્તે બે વાત સમજાવી

૯. ઝીણા ભગતે ફરી દંડવત્ કર્યા


ટૂંકનોંધ

૧. જાગા ભક્તનાં દર્શન

૨. જાગા ભક્તનો ઉપદેશ

૩. સત્શાસ્ત્રનું વ્યસન

૪. સારા સાધુનો સંગ


કારણો

૧. ઝીણા ભગત જાગા ભક્ત વિશે વિચારતા હતા.

૨. ઝીણા ભગતને સ્વપ્નમાં દર્શન થયા.

૩. ઝીણા ભગતે ઉપદેશ માંગ્યો.

૪. જાગા ભક્તે બે વાત સમજાવી.

૫. ઝીણા ભગતને આનંદ થયો.

0 comments

વચનામૃતનો જીવનમાં ઉપયોગ (Real Life Incidents)

 ગ.મ.૬૨ : ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારનાં દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પર્ત ભગવાન જ પોતાના ...