તત્વજ્ઞાન પ્રશ્નોતરી પ્રેક્ટિસ ટેસ્ટ -Solution

 તત્ત્વજ્ઞાન

  1. તત્ત્વજ્ઞાન એટલે શું?
    A) શાસ્ત્રોનું જ્ઞાન
    B) વિજ્ઞાનનું જ્ઞાન
    C) તત્ત્વોનું જ્ઞાન
    D) ઇતિહાસનું જ્ઞાન

જવાબ: C) તત્ત્વોનું જ્ઞાન

  1. નિત્ય તત્ત્વોનું જ્ઞાન એટલે જેની ઉત્પત્તિ અને વિનાશ નથી.
    A) સાચું
    B) ખોટું

જવાબ: A) સાચું

  1. જેની ઉત્પત્તિ નથી, જેનો વિનાશ નથી એવાં _____ તત્ત્વોનું જ્ઞાન.
    A) અસ્થાયી
    B) નિત્ય
    C) સ્થૂળ
    D) માયિક

જવાબ: B) નિત્ય

  1. ભારતમાં તત્ત્વજ્ઞાન માત્ર કયો વિષય નથી?
    A) આચરણ
    B) સાક્ષાત્કાર
    C) સુખ-શાંતિ
    D) બૌદ્ધિક ચર્ચા અને વાદ-વિવાદ

જવાબ: D) બૌદ્ધિક ચર્ચા અને વાદ-વિવાદ

  1. તત્ત્વજ્ઞાન ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ છે.
    A) સાચું
    B) ખોટું

જવાબ: B) ખોટું

  1. અનુભવ અને સાક્ષાત્કાર માટે સંસ્કૃતમાં “_____” શબ્દ વપરાય છે.
    A) ઉપાસના
    B) વચનામૃત
    C) દર્શન
    D) પ્રસ્થાન

જવાબ: C) દર્શન

  1. તત્ત્વજ્ઞાન માટે પણ “દર્શન” શબ્દ વપરાય છે.
    A) ખોટું
    B) સાચું

જવાબ: B) સાચું

  1. સંપ્રદાયની રચના શા માટે થાય છે?
    A) વાદ-વિવાદ માટે
    B) પ્રભાવ માટે
    C) પંથ બનાવવા
    D) મુમુક્ષુઓ આગળ વધી શકે

જવાબ: D) મુમુક્ષુઓ આગળ વધી શકે

  1. શુદ્ધ સંપ્રદાયની બાંધણી માટે તત્ત્વજ્ઞાનનો આધાર જરૂરી છે.
    A) સાચું
    B) ખોટું

જવાબ: A) સાચું

  1. સ્પષ્ટ તત્ત્વજ્ઞાન વિના ભાવુકોનો સમૂહ “_____” કહેવાય.
    A) દર્શન
    B) પંથ
    C) પરંપરા
    D) સંપ્રદાય

જવાબ: B) પંથ

  1. ભાવુકોનો સમૂહ સંપ્રદાય નહિ પણ પંથ કહેવાય.
    A) ખોટું
    B) સાચું

જવાબ: B) સાચું

  1. ભારતીય વેદાંત પરંપરામાં કયા ત્રણ ગ્રંથોનો આધાર લેવાય છે?
    A) ગીતા, મહાભારત, પુરાણ
    B) શ્રીમદ્ભગવદ્ગીતા, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર
    C) વચનામૃત, ગીતા, રામાયણ
    D) ઉપનિષદો, પુરાણ, વેદ

જવાબ: B) શ્રીમદ્ભગવદ્ગીતા, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર

  1. પ્રસ્થાનત્રયીમાં ચાર ગ્રંથો આવે છે.
    A) સાચું
    B) ખોટું

જવાબ: B) ખોટું

  1. ત્રણ શાસ્ત્રો “_____” તરીકે ઓળખાય છે.
    A) પ્રસ્થાનત્રયી
    B) દર્શનત્રયી
    C) ગ્રંથત્રયી
    D) વેદત્રયી

જવાબ: A) પ્રસ્થાનત્રયી

  1. પ્રસ્થાનત્રયી સનાતન ધર્મના સારરૂપ છે.
    A) ખોટું
    B) સાચું

જવાબ: B) સાચું

  1. ભગવાન સ્વામિનારાયણે આગવું તત્ત્વજ્ઞાન કયા ગ્રંથમાં આપ્યું?
    A) ગીતા
    B) ઉપનિષદ
    C) બ્રહ્મસૂત્ર
    D) વચનામૃત

જવાબ: D) વચનામૃત

  1. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કરી.
    A) સાચું
    B) ખોટું

જવાબ: A) સાચું

  1. “શ્રી સ્વામિનારાયણ ભાષ્યગ્રંથો”ના લેખક _____ છે.
    A) શાસ્ત્રીજી મહારાજ
    B) સાધુ ભદ્રેશદાસ
    C) ગુણાતીતાનંદ સ્વામી
    D) સ્વામિનારાયણ ભગવાન

જવાબ: B) સાધુ ભદ્રેશદાસ

  1. અક્ષરપુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ બંનેની ઉપાસના કરવી.
    A) ખોટું
    B) સાચું

જવાબ: A) ખોટું

  1. અક્ષરપુરુષોત્તમ ઉપાસના એટલે શું?
    A) માત્ર અક્ષરની ઉપાસના
    B) માત્ર પુરુષોત્તમની ઉપાસના
    C) અક્ષરરૂપે થઈ પુરુષોત્તમની ઉપાસના
    D) બંનેની ઉપાસના

જવાબ: C) અક્ષરરૂપે થઈ પુરુષોત્તમની ઉપાસના

  1. અક્ષરરૂપ થવું એટલે _____ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવી.
    A) પરબ્રહ્મ
    B) મુમુક્ષુ
    C) અક્ષરબ્રહ્મ
    D) જીવાત્મા

જવાબ: C) અક્ષરબ્રહ્મ

  1. અક્ષરપુરુષોત્તમ ઉપાસના મુખ્ય સિદ્ધાંત છે.
    A) સાચું
    B) ખોટું

જવાબ: A) સાચું

  1. વચ. ગ.મ.-૩ માં કઈ ઉપાસનાનો ઉલ્લેખ છે?
    A) માયાની ઉપાસના
    B) સ્વામી-સેવકભાવ ઉપાસના
    C) દેવ ઉપાસના
    D) યજ્ઞ ઉપાસના

જવાબ: B) સ્વામી-સેવકભાવ ઉપાસના

  1. બ્રહ્મજ્ઞાન પરમપદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે.
    A) ખોટું
    B) સાચું

જવાબ: B) સાચું

  1. અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો મુખ્ય ગ્રંથોમાં સામેલ છે.
    A) સાચું
    B) ખોટું

જવાબ: A) સાચું

  1. ગુણાતીતાનંદ સ્વામીએ સિદ્ધાંતને કેવી રીતે સમજાવ્યો?
    A) કઠિન શબ્દોમાં
    B) શ્લોકોમાં
    C) સરળ શબ્દોમાં
    D) વાર્તામાં

જવાબ: C) સરળ શબ્દોમાં



આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, આજે જ પૂછાશે તે જરૂરી નથી, તેની ખાસ નોંધ લેશો.

0 comments

વચનામૃત મૌખિક પ્રશ્નોત્તરી - ૧ - Solution

જય ૧૦મા ધોરણમાં ભણતો હતો. બોર્ડની પરીક્ષા નજીક હતી. તેને ગણિત વિષયમાં ડર લાગતો હતો. તેના મિત્રએ કહ્યું કે “આ દોરો હાથમાં બાંધી રાખીશ તો પરીક...