દિવસ- 9 - પરિચય પરીક્ષા

 ૫. અક્ષરવરની માગણી

કોણ બોલે છે કોને કહે છે?

૧. “જા, તને ખૂબ રૂપિયા મળશે ને તું ઘેર રહી સંતોનો સમાગમ કરજે.”

૨. “મને તો તમારું જ્ઞાન આપો, તમારું ઘર દેખાડો અને મારા જીવને સત્સંગી બનાવો.”

૩. “એ ત્રણ વરદાન તો તું ઘર મૂકીને અહીં રહે ને મરણિયો થા તો તને મળે.”


એક વાક્યમાં જવાબ

૧. પ્રાગજી ભક્ત મહુવામાં શું વાતો કરતા?

૨. પ્રાગજી ભક્તે ગઢપુરમાં કોના માટે વાઘા બનાવ્યા?

૩. જૂનાગઢમાં કોની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ?

૪. પ્રાગજી ભક્ત કયો અભ્યાસ પાડ્યો હતો?

૫. પ્રાગજી ભક્તે પ્રાયશ્ચિત્તરૂપે શું માગ્યું?

૬. સ્વામીએ પ્રાગજી ભક્તને શું બનાવવાની આજ્ઞા કરી?

૭. પ્રાગજી ભક્તે ચંદની બનાવવા શું ખરીદ્યું?

૮. સ્વામીએ પ્રાગજી ભક્તને શું માંગવા કહ્યું?

૯. પ્રાગજી ભક્તે શું માગ્યું?

૧૦. ચંદની કેટલા સમયમાં તૈયાર થઈ?


કારણો

૧. પ્રાગજી ભક્તે દેહમાં રોગ થાય એવી માગણી કરી.

૨. પ્રાગજી ભક્તે સ્વામીમાં અખંડ વૃત્તિ જોડી.

૩. સ્વામીએ ચંદની બનાવવાની આજ્ઞા કરી.

૪. સ્વામી પ્રાગજી ભક્ત ઉપર રાજી થયા.

૫. પ્રાગજી ભક્તે ધન અને સ્ત્રીની માગણી ન કરી.

૬. પ્રાગજી ભક્તે સ્વામીની પ્રસન્નતા મેળવી.


ટૂંકનોંધ

૧. પ્રાગજી ભક્તની સેવા

૨. અખંડ ભજનનો અભ્યાસ

૩. અક્ષરવરની માગણી

૪. ચંદનીની સેવા

૫. સ્વામીની પ્રસન્નતા મેળવવી


૬. ગુરુવચને ચૂરેચૂરા

કોણ બોલે છે કોને કહે છે?

૧. “પ્રાગજી! ચૂનાના છેરથી આંધળો થઈશ.”

૨. “સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે, મારે તો એમને રાજી કરવા છે.”

૩. “તું દેહે કરીને મહેનત કરે છે પણ તપ વગર દેહનું બળ ઘટશે નહીં.”

૪. “પ્રાગજી! ચૂનાની ભઠ્ઠી કાઢવી છે તે બસો પાવડા ને પાંચસો ટોપલા તૈયાર કર.”

૫. “પ્રાગજી! જરા ગિરનારને બોલાવી લાવને, બીચારો તપ કરે છે તે એનું કલ્યાણ કરીએ.”

૬. “ગિરનાર તે કંઈ આવતો હશે? આજ્ઞા પાળવામાં વિવેક જોઈએ.”

૭. “ધર્મ વિરુદ્ધની આજ્ઞા સિવાય ગુરુની દરેક આજ્ઞા અવિચારીપણે તત્કાળ પાળવી એ સાચા શિષ્યનો ધર્મ છે.”

૮. “મોટાપુરુષને વિષે આત્મબુદ્ધિ, અનુવૃત્તિ અને સેવા એ ત્રણ વાતમાં જ કલ્યાણ છે.”


એક વાક્યમાં જવાબ

૧. પ્રાગજી ભક્ત કોની સેવામાં હાજર થઈ ગયા?

૨. મંદિરમાં શું બાંધવાનું કામ શરૂ થયું હતું?

૩. પ્રાગજી ભક્તે પાયામાં શું નાખવાનું કામ કર્યું?

૪. ચૂનાનું કામ કરવા કોઈ કેમ તૈયાર ન થયું?

૫. પ્રાગજી ભક્ત ચૂનો કેવી રીતે કચરતા?

૬. સ્વામીએ પ્રાગજી ભક્તને કયું તપ આપ્યું?

૭. પ્રાગજી ભક્ત રાત્રે શું કરતા?

૮. સ્વામી પ્રાગજી ભક્તને શું સમજાવતા?

૯. સ્વામીએ કોને બોલાવવા કહ્યું?

૧૦. પ્રાગજી ભક્તે કેટલા દિવસમાં ચૂનાની ભઠ્ઠી કાઢી?

૧૧. સાંખડાવદરના બીડમાં સ્વામીને કેવી રીતે બચાવ્યા?

૧૨. કરસન શું કામ કરતો હતો?

૧૩. પ્રાગજી ભક્તે કેટલા સમય સુધી વતું કર્યું?


કારણો

૧. કોઈ ચૂનાનું કામ કરવા તૈયાર ન થયું.

૨. પ્રાગજી ભક્તે ચૂનાની સેવા સ્વીકારી.

૩. પ્રાગજી ભક્તે મહાતપ શરૂ કર્યું.

૪. પ્રાગજી ભક્ત ગિરનારને બોલાવવા ગયા.

૫. સ્વામી પ્રાગજી ભક્ત ઉપર રાજી થયા.

૬. પ્રાગજી ભક્તે છત્રી કરી.

૭. પ્રાગજી ભક્તે વતું કરવાની સેવા સ્વીકારી.


ટૂંકનોંધ

૧. હવેલીની સેવા

૨. ચૂનાની સેવા

૩. પ્રાગજી ભક્તનું તપ

૪. ગિરનારને બોલાવવાનો પ્રસંગ

૫. સાંખડાવદરનો પ્રસંગ

૬. વતું કરવાની સેવા

૭. ગુરુવચન પાલન અને અનુવૃત્તિ


મુફુદાનંદ વર્ણી (મૂળજી બ્રહ્મચારી)

કોણ બોલે છે કોને કહે છે?

૧. “બહેન! અહીં કશી જ બીક નથી… તમે નિચિંત થઈને અંદર સૂઈ રહો.”

૨. “મારે તો અખંડ બ્રહ્મચર્ય પાળી ભગવાન ભજવા છે પણ ગૃહસ્થાશ્રમ કરવો નથી.”

૩. “તમને શું થયું હતું?”

૪. “મને ઊંઘ આવી ગઈ અને તેમાં સ્વપ્ન આવ્યું કે કોઈ ગામમાં થર લાગ્યું તેથી હું તમને ઉપાડીને બહાર આવતો રહ્યો.”

૫. “આ બ્રહ્મચારી ઊંઘતા દેખાય પણ ત્રણે અવસ્થામાં તેમને અમારું જ ચિંતવન થાય છે.”

૬. “તમે આના ઉપર તેલ ચોપડી ધો. કોઈ બીજાને આપશો નહિ.”

૭. “તમે તો મહારાજની સેવા રોજ કરો છો માટે આ સેવા મને આપો.”

૮. “મોજડી બીજાને આપવાની મેં તમને ના પાડી હતી છતાં આ વશરામ ભક્તને કેમ આપી?”

૯. “જાઓ, તમે વિમુખ છો… આજથી જોડા પહેરશો નહિ… ગળ્યું-ચીકણું ખાશો નહિ.”

૧૦. “મને આપો… હું લઈ જઈશ.”

૧૧. “બ્રહ્મચારી! હમણાં કેમ દેખાતા નહોતા?”

૧૨. “મને મહારાજ ક્યાં પાસે રહેવા દે છે? હું દોઢ મણ કેરીનો ટોપલો ઉપાડીને આવ્યો પણ મહારાજ તો ‘નારાયણ’ પણ કહ્યા નહિ.”

૧૩. “ઘી, ગોળ કેમ રહેવા દીધાં?”

૧૪. “મહારાજ છ માસથી બંધ કરાવ્યું છે.”

૧૫. “મહારાજ! આવા નમેરા કેમ થયા છો?”

૧૬. “આ બ્રહ્મચારી આવા તાપમાં ઉઘાડે પગે સાઠ ગાઉથી કેરીનો ટોપલો લાવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ પણ કહ્યા નહિ?”

૧૭. “અમારી ક્યાં ના છે… તેમને બોલાવો.”

૧૮. “અમને નિષ્કામી ભક્તના હાથની સેવા ગમે છે તેવી બીજાની ગમતી નથી…”

૧૯. “મહારાજ શું લેશો? ભજિયાં? પૂરી? શાક?”

૨૦. “સભામાં કાંઈક વાત કરો…”

૨૧. “સાંભળો, સાંભળો સર્વ અવતારો આ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરે છે…”

૨૨. “આવો અવતાર કોઈ વખતે થયો નથી ને થશે પણ નહિ…”

૨૩. “બ્રહ્મચારી બહુ ભણ્યા નથી પણ મુદાની વાત સમજ છે.”

૨૪. “આ મૂળજી બ્રહ્મચારીની જોડ કોણ છે?”

૨૫. “બ્રહ્મચારીની જોડ તો બાંધેલી જ છે ને મૂળાનંદ ને સહજાનંદ એમ જોડ બાંધેલી જ છે.”

૨૬. “હે મહારાજ! હવે મને ધામમાં તેડી જાઓ…”

૨૭. “અમ આ મંદિર કરાવ્યું છે તેને તમે છોવરાવો, તે પૂરું થયે ધામમાં તેડી જઈશું.”

૨૮. “મૂળજી બ્રહ્મચારીએ બહુ દખડો કરી આ મંદિર છોવરાવ્યું છે…”

૨૯. “આજે મારે ધામમાં જવું છે… માટે ચાલો અક્ષર ઓરડીએ છેલ્લાં દર્શન કરી લઈએ…”


ટૂંકનોંધ

૧. મૂળજી બ્રહ્મચારીની સેવા

૨. વૈરાગ્યનો પ્રસંગ

૩. ગૃહત્યાગ

૪. દીક્ષા અને બ્રહ્મચર્ય

૫. સ્વપ્નનો પ્રસંગ

૬. મૂળજી બ્રહ્મચારીનો મહિમા

૭. મોજડીનો પ્રસંગ

૮. સેવામાંથી છૂટા કરવાનો પ્રસંગ

૯. ડભાણનો સમય

૧૦. કેરીનો ટોપલો લાવવાનો પ્રસંગ

૧૧. સુથારણ બાઈનો પ્રસંગ

૧૨. મૂળજી બ્રહ્મચારીની નિષ્ઠા

૧૩. મૂળજી બ્રહ્મચારીની માનસી પૂજા

૧૪. ગોપીનાથજી મહારાજની સેવા

૧૫. સભામાં કરેલી વાત

૧૬. મૂળાનંદ ને સહજાનંદની જોડ

૧૭. મંદિર છોવરાવવાનો પ્રસંગ

૧૮. મૂળજી બ્રહ્મચારીનું સ્વધામગમન


એક વાક્યમાં જવાબ

૧. મૂળજી બ્રહ્મચારીનું પૂર્વાશ્રમનું નામ શું હતું?

૨. મૂળજીભાઈનો જન્મ ક્યાં થયો હતો?

૩. તેમના પિતા શું કરતા હતા?

૪. મૂળજીભાઈ કોને તેડી લાવવા ગયા?

૫. મૂળજીભાઈમાં વૈરાગ્ય કયા પ્રસંગથી જાગ્યું?

૬. મૂળજીભાઈએ શું પાળવાનો નિશ્ચય કર્યો?

૭. મૂળજીભાઈ ક્યાં આવ્યા?

૮. કોને તેમને દીક્ષા આપી?

૯. દીક્ષા પછી તેમનું નામ શું પડ્યું?

૧૦. મહારાજે મૂળજી બ્રહ્મચારી વિશે શું કહ્યું?

૧૧. મહારાજે મૂળજી બ્રહ્મચારીને શું આપ્યું?

૧૨. મોજડી કોને આપી દેવામાં આવી?

૧૩. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કયા નિયમ આપ્યા?

૧૪. મૂળજી બ્રહ્મચારી ક્યાં રહ્યા?

૧૫. તેઓ કેટલો સમય ડભાણ રહ્યા?

૧૬. રામદાસભાઈએ શું મોકલ્યું?

૧૭. મૂળજી બ્રહ્મચારી કેટલો કેરીનો ટોપલો લાવ્યા?

૧૮. બ્રહ્મચારીને કોણ ઓળખી ગયું?

૧૯. બ્રહ્મચારીએ શું બનાવી જમ્યું?

૨૦. મહારાજે મૂળજી બ્રહ્મચારી વિશે શું કહ્યું?

૨૧. મૂળજી બ્રહ્મચારીની સેવા કોને ગમતી હતી?

૨૨. મૂળજી બ્રહ્મચારી માનસી પૂજામાં શું કરતા?

૨૩. તેઓ કઈ મૂર્તિનો શણગાર કરતા?

૨૪. મહારાજે બ્રહ્મચારીને શું કરવા કહ્યું?

૨૫. મહારાજે બ્રહ્મચારી વિશે શું કહ્યું?

૨૬. બ્રહ્માનંદ સ્વામીએ શું પૂછ્યું?

૨૭. મંદિર છોવરાવવાની આજ્ઞા કોને મળી?

૨૮. મંદિરનું કામ કોણે કરાવ્યું?

૨૯. જળઝીલણીના સમૈયે કોણ કોણ પધાર્યા હતા?

૩૦. મૂળજી બ્રહ્મચારીનો અગ્નિસંસ્કાર ક્યાં થયો?


કારણો

૧. મૂળજીભાઈમાં વૈરાગ્ય જાગ્યું.

૨. મૂળજીભાઈએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો નહિ.

૩. મૂળજીભાઈએ ઘરનો ત્યાગ કર્યો.

૪. મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં જોડાયા.

૫. મહારાજે મૂળજી બ્રહ્મચારીનો મહિમા કહ્યો.

૬. મૂળજી બ્રહ્મચારી સેવામાંથી છૂટા થયા.

૭. મૂળજી બ્રહ્મચારી ડભાણ ગયા.

૮. મૂળજી બ્રહ્મચારી કેરીનો ટોપલો લઈને આવ્યા.

૯. બ્રહ્મચારીએ ઘી-ગોળ લીધા નહિ.

૧૦. સુથારણ બાઈ મહારાજ પાસે ગઈ.

૧૧. મૂળજી બ્રહ્મચારી ફરી સેવામાં જોડાયા.

૧૨. મૂળજી બ્રહ્મચારીની સેવા મહારાજને ગમતી.

૧૩. મૂળજી બ્રહ્મચારી માનસી પૂજામાં ઓતપ્રોત થઈ જતા.

૧૪. મહારાજે મૂળજી બ્રહ્મચારીની પ્રશંસા કરી.

૧૫. મૂળજી બ્રહ્મચારીએ મંદિર છોવરાવ્યું.

૧૬. મૂળજી બ્રહ્મચારીએ છેલ્લાં દર્શન કર્યા.

૧૭. અનેક સંતોને દિવ્ય દર્શન થયાં.

0 comments

વચનામૃતનો જીવનમાં ઉપયોગ (Real Life Incidents)

 ગ.મ.૬૨ : ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારનાં દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પર્ત ભગવાન જ પોતાના ...