દિવસ - 9 - પ્રવેશ પરીક્ષા

 ૮. રાજા રણજિતસિંહને ઉપદેશ

કોણ બોલે છે કોને કહે છે?

૧. “હવે હું આપને છોડીશ નહિ…. આપ મને છોડશો નહિ….”

૨. “અમે પછી તમે જ્યાં હશો ત્યાં તમને મળશું.”

૩. “હમણાં તો તમે જાઓ.”

૪. “અમારી સ્મૃતિ કરતા રાજ્ય કરજે.”

૫. “જો અમારું જ્ઞાન તારા અંતરમાં સ્થિર થશે તો રાજ્ય તને બંધન નહિ કરે.”


ખાલી જગ્યા પૂરો

૧. રાજા રણજિતસિંહ __________ ના દર્શન કરવા આવ્યા હતા.

૨. નીલકંઠ વર્ણી __________ પહોંચ્યા.

૩. હરિદ્વારમાં __________ પર રાજા રણજિતસિંહનો ફરી મેળાપ થયો.

૪. રાજા રણજિતસિંહે પોતાનું __________ અર્પણ કરવાની ભાવના દર્શાવી.

૫. નીલકંઠે રાજાને પોતાના __________ સ્વરૂપનું દર્શન કરાવ્યું.


ટૂંકનોંધ

૧. રાજા રણજિતસિંહ અને નીલકંઠ વર્ણીનો મેળાપ

૨. હરકી પેડીનો પ્રસંગ

૩. રાજાને આપેલો ઉપદેશ

૪. દિવ્ય સ્વરૂપનાં દર્શન


એક વાક્યમાં જવાબ

૧. રાજા રણજિતસિંહ ક્યાં દર્શન કરવા આવ્યા હતા?

૨. નીલકંઠ વર્ણીના દર્શનથી કોણ પ્રભાવિત થયા?

૩. નીલકંઠ વર્ણી ગંગોત્રી પછી ક્યાં પહોંચ્યા?

૪. હરિદ્વારમાં ફરી મેળાપ ક્યાં થયો?

૫. રાજા રણજિતસિંહે શું અર્પણ કરવાની ભાવના દર્શાવી?

૬. નીલકંઠે રાજાને શું દર્શન કરાવ્યાં?


કારણો

૧. રાજા રણજિતસિંહ નીલકંઠ વર્ણીથી પ્રભાવિત થયા.

૨. નીલકંઠે પોતાની સાથે રહેવાની ના પાડી.

૩. રાજા રણજિતસિંહને ધીરજ રાખવી પડી.

૪. નીલકંઠે રાજાને આશીર્વાદ આપ્યા.

૫. રાજા રણજિતસિંહને શાંતિ મળી.

૯. પોતાની વાણીને શાપ

કોણ બોલે છે કોને કહે છે?

૧. “બળ્યું આ શહેર, ચાલો ચાલી નીકળીએ.”

૨. “ક્ષમાવાન સાધુની આ રીત નથી… આપણે કોઈનું ભુંડું થાય તેવો સંકલ્પ પણ ન કરવો.”

૩. “હવે ક્યારેય ભૂલથી પણ આવો મલિન ધાટ અમારાથી થઈ જાય તો તે નિષ્ફળ થાઓ.”

૪. “આવા પ્રસંગે અમારી વાણી નિષ્ફળ જાઓ.”


ખાલી જગ્યા પૂરો.

૧. નીલકંઠ વર્ણીને ગૃહત્યાગ કર્યે હજુ માત્ર __________ મહિના થયા હતા.

૨. નીલકંઠ __________ શહેર આવ્યા.

૩. શહેરથી થોડે દૂર એક __________ વહેતી હતી.

૪. રાજાના બે નોકરો હાથમાં __________ લઈને આવ્યા.

૫. નીલકંઠે પક્ષીઓને __________ ગતિ આપી.

૬. નીલકંઠે તે દિવસે __________ કર્યો.

૭. શહેર બળવાની શરૂઆત __________ થી થઈ.

૮. નીલકંઠ __________ ના જળમાં કૂદી પડ્યા.


ટૂંકનોંધ

૧. બાંસી શહેરનો પ્રસંગ

૨. પક્ષીઓ પ્રત્યે નીલકંઠની દયા

૩. શહેર બળવાનો પ્રસંગ

૪. પોતાની વાણીને આપેલો શાપ


એક વાક્યમાં જવાબ

૧. નીલકંઠ બાંસી શહેર ક્યાંથી આવ્યા?

૨. નીલકંઠ રોજ સવારે ક્યાં જતા?

૩. પક્ષીઓને કોણે મારી નાખ્યાં?

૪. નીલકંઠે પક્ષીઓને શું આપ્યું?

૫. નીલકંઠ તે દિવસે શહેરમાં કેમ ગયા નહીં?

૬. શહેર બચાવવા નીલકંઠે શું કર્યું?

૭. બળી ગયેલા બે લોકો કોણ હતા?

૮. નીલકંઠે પોતાની વાણીને શું શાપ આપ્યો?


કારણો

૧. નીલકંઠ ઉદાસ થયા.

૨. નીલકંઠે ઉપવાસ કર્યો.

૩. શહેર બળવા લાગ્યું.

૪. નીલકંઠ નદીના જળમાં કૂદી પડ્યા.

૫. નીલકંઠે પોતાની વાણીને શાપ આપ્યો.

દેવાનંદ સ્વામી

કોણ બોલે છે કોને કહે છે?

૧. “સાક્ષાત્ ભગવાન પુરુષોત્તમ નારાયણ તારે ગામ પધારશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૨. “અલૌકિક આશ્ચર્ય બતાવશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૩. “તું એમને શરણે જજે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૪. “સરસ્વતી તારા કંઠમાં બિરાજશે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૫. “આ તો શ્રીજીમહારાજનો પ્રતાપ છે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૬. “હું કાલે ધામમાં જવાનો છું ને મારે માટે વિમાન તૈયાર રાખજે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?

૭. “તારા ઘરમાં ઊમરા પાસે કંકુનાં પાંચ પગલાં પડશે તો સાચું માનજે.”
→ કોણ બોલે છે? કોને કહે છે?


ઘટનાક્રમ ગોઠવો

૧. દેવીદાનજી શંકરદાદાની પૂજા કરવા મંદિરમાં ગયા.
૨. દેવીદાનજીને શંકરદાદાનાં દર્શન થયાં.
૩. શ્રીજીમહારાજ બરોળ પધાર્યા.
૪. દેવીદાનજી મહારાજનાં ચરણોમાં પડ્યા.
૫. દેવીદાનજીને ભાગવતી દીક્ષા મળી.
૬. દેવાનંદ સ્વામી અષ્ટ કવિઓની મંડળીમાં શોભવા લાગ્યા.


૧. દેવાનંદ સ્વામીએ મેરાઈ ભક્તને ધામમાં જવાની વાત કરી.
૨. મેરાઈ ભક્તે વાત માની નહીં.
૩. કંકુનાં પાંચ પગલાં દેખાયા.
૪. મેરાઈ ભક્ત મંદિરમાં ગયા.
૫. દેવાનંદ સ્વામીએ દેહ મૂકી દીધો.
૬. અંતિમ વિધિ કરવામાં આવ્યો.


એક વાક્યમાં જવાબ

૧. સાંકળેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું હતું?

૨. દેવીદાનજીના પિતાનું નામ શું હતું?

૩. દેવીદાનજીને કોના દર્શન થયાં?

૪. દેવીદાનજીનો જન્મ ક્યાં થયો હતો?

૫. દેવીદાનજીનું સાધુ નામ શું રાખવામાં આવ્યું?

૬. દેવાનંદ સ્વામીએ કોની પાસે ગાયકી શીખી?

૭. દેવાનંદ સ્વામી કઈ મંડળીમાં શોભતા હતા?

૮. દેવાનંદ સ્વામીના કીર્તનો કયા નામે પ્રસિદ્ધ છે?

૯. દેવાનંદ સ્વામીના શિષ્ય કોણ બન્યા?

૧૦. દલપતરામને કવિતાકળા કોણે શીખવાડી?

૧૧. બ્રહ્માનંદ સ્વામીના અક્ષરવાસ પછી દેવાનંદ સ્વામી ક્યાં નિમાયા?

૧૨. મૂળી મંદિરનું અધૂરું કાર્ય કોણે પૂરું કર્યું?

૧૩. દેવાનંદ સ્વામીએ કોને વિમાન તૈયાર રાખવા કહ્યું?

૧૪. મેરાઈ ભક્તે ઊમરા પાસે શું જોયું?

૧૫. દેવાનંદ સ્વામીનો અંતિમ વિધિ ક્યાં કરવામાં આવ્યો?


ટૂંકનોંધ

૧. દેવીદાનજીને થયેલા શંકરદાદાનાં દર્શન

૨. દેવીદાનજી અને શ્રીજીમહારાજનો મેળાપ

૩. દેવાનંદ સ્વામીની દીક્ષા

૪. અષ્ટ કવિઓની મંડળીમાં સ્થાન

૫. “દેવાનંદ સ્વામીના ચાબખા”

૬. દલપતરામ અને દેવાનંદ સ્વામી

૭. મૂળી મંદિરનું કાર્ય

૮. દેવાનંદ સ્વામીનો અક્ષરવાસ


કારણો

૧. દેવીદાનજી શંકરદાદાની પૂજા કરવા મંદિરમાં ગયા.

૨. દેવીદાનજીનું મન ભક્તિ તરફ ઢળવા લાગ્યું.

૩. દેવીદાનજી મહારાજ સાથે જવા ઇચ્છતા હતા.

૪. દેવાનંદ સ્વામી સત્સંગમાં સારી પ્રતિષ્ઠા પામ્યા.

૫. દેવાનંદ સ્વામીના કીર્તનો પ્રસિદ્ધ થયા.

૬. દલપતરામ દેવાનંદ સ્વામીના શિષ્ય બન્યા.

૭. દેવાનંદ સ્વામી દલપતરામથી પ્રસન્ન થતા.

૮. દેવાનંદ સ્વામી મૂળી મંદિરના મહંતપદે નિમાયા.

૯. મેરાઈ ભક્તને આશ્ચર્ય થયું.

૧૦. મેરાઈ ભક્તને ફાળ પડી.

0 comments

વચનામૃતનો જીવનમાં ઉપયોગ (Real Life Incidents)

 ગ.મ.૬૨ : ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે જે પ્રકારનાં દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયા એમાંથી કોઈ નથી; એ તો પર્ત ભગવાન જ પોતાના ...