(તા. ૨૫-૧૨-૯૮, સારંગપુર)
સ્વામીશ્રી સવારે યોગીજી મહારાજની રૂમમાં દર્શને પધાર્યા. એક સંત યોગીજી મહારાજની પ્રસાદીભૂત વાત બોલતાં કહે, 'યોગીજી મહારાજે કહ્યું કે અમે ૫૦ વર્ષથી સત્સંગમાં છીએ. તે મોટા સદ્ગુરુ થકી એક જ વાત શીખ્યા છીએ કે ખટપટમાં ન પડવું. ગુણાતીત બાગના કાંટાનોય અવગુણ ન લેવો.'સ્વામીશ્રી યોગીજી મહારાજની મૂર્તિની પ્રદક્ષિણા ફરતા કહે, 'ખટ ને પટ.' પછી કહે, 'કાંટાનોય અવગુણ ન લેવો. કાંટો વાગે તો લેવો પડે ને !' થોડી ક્ષણો બાદ કહે, 'કાંટો એટલે કોઈ બોલ્યું-ચાલ્યું હોય તે. તે કાંટો ધીરે રહીને કાઢી લેવો. હું આત્મા છું, અક્ષર છું. એમ માને તો કાંટો ન વાગે. તું આવો, તું તેવો... એમ થોડું કહેવાય છે ? કાંટો (શબ્દનો, અપમાનનો) વાગે તો કોઈને કહેતા ન ફરવું. ધીરે રહીને કાઢી નાખવો. કોઈને ખબર ન પડે.'
ઉપરોક્ત પ્રસંગમાંથી સ્વામીશ્રીનો કયો ગુણ આપને જાણવા મળ્યો? કોમેન્ટ કરીને જણાવશો.
6 comments
KOINO PAN AVGUN NA LEVO EVU KAHE CHE BAPA
ReplyDeletebdhama divybhav rakhvo
ReplyDeleteકોઈ નો પણ અવગુણ ન લેવો....તેમાંથી સારો ગુણ લાઇ સકાય... મન ગમતું મૂકવું
ReplyDeleteJem apda guru mahantswami maharaj e pn kidhu che k abhav avgun par moti chokdi karvi etle kyarey koino abhav avgun levo nai.
ReplyDeleteઆપડે અંતર હ્રદય મા સદાય મહારાજ સ્વામી બિરાજે છે તો બીજા બધા માં પણ મહારાજ સ્વામી વિરાજમાન છે એ ભાવ આપડે રાખીએ તો કોઈ નો અભાવ અવગુણ આપડા મન માં આવે જ નઈ.સર્વે હરિભક્તો અક્ષર મૂકતો જ છે અને આપડે અક્ષર ધામ મા જવું છે તો લેશ માત્ર બી કસર ના રાખવી નહિ તો અક્ષર ધામ મા મહારાજ ના ચરણો મા આપડું સ્થાન ના મળે
ReplyDeleteSahanshilta
ReplyDelete