દિવસ- 11 - પરિચય પરીક્ષા

 મુફુદાનંદ વર્ણી (મૂળજી બ્રહ્મચારી)

કોણ બોલે છે કોને કહે છે?

૧. “બહેન! અહીં કશી જ બીક નથી… તમે નિચિંત થઈને અંદર સૂઈ રહો.”

૨. “મારે તો અખંડ બ્રહ્મચર્ય પાળી ભગવાન ભજવા છે પણ ગૃહસ્થાશ્રમ કરવો નથી.”

૩. “તમને શું થયું હતું?”

૪. “મને ઊંઘ આવી ગઈ અને તેમાં સ્વપ્ન આવ્યું કે કોઈ ગામમાં થર લાગ્યું તેથી હું તમને ઉપાડીને બહાર આવતો રહ્યો.”

૫. “આ બ્રહ્મચારી ઊંઘતા દેખાય પણ ત્રણે અવસ્થામાં તેમને અમારું જ ચિંતવન થાય છે.”

૬. “તમે આના ઉપર તેલ ચોપડી ધો. કોઈ બીજાને આપશો નહિ.”

૭. “તમે તો મહારાજની સેવા રોજ કરો છો માટે આ સેવા મને આપો.”

૮. “મોજડી બીજાને આપવાની મેં તમને ના પાડી હતી છતાં આ વશરામ ભક્તને કેમ આપી?”

૯. “જાઓ, તમે વિમુખ છો… આજથી જોડા પહેરશો નહિ… ગળ્યું-ચીકણું ખાશો નહિ.”

૧૦. “મને આપો… હું લઈ જઈશ.”

૧૧. “બ્રહ્મચારી! હમણાં કેમ દેખાતા નહોતા?”

૧૨. “મને મહારાજ ક્યાં પાસે રહેવા દે છે? હું દોઢ મણ કેરીનો ટોપલો ઉપાડીને આવ્યો પણ મહારાજ તો ‘નારાયણ’ પણ કહ્યા નહિ.”

૧૩. “ઘી, ગોળ કેમ રહેવા દીધાં?”

૧૪. “મહારાજ છ માસથી બંધ કરાવ્યું છે.”

૧૫. “મહારાજ! આવા નમેરા કેમ થયા છો?”

૧૬. “આ બ્રહ્મચારી આવા તાપમાં ઉઘાડે પગે સાઠ ગાઉથી કેરીનો ટોપલો લાવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ પણ કહ્યા નહિ?”

૧૭. “અમારી ક્યાં ના છે… તેમને બોલાવો.”

૧૮. “અમને નિષ્કામી ભક્તના હાથની સેવા ગમે છે તેવી બીજાની ગમતી નથી…”

૧૯. “મહારાજ શું લેશો? ભજિયાં? પૂરી? શાક?”

૨૦. “સભામાં કાંઈક વાત કરો…”

૨૧. “સાંભળો, સાંભળો સર્વ અવતારો આ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરે છે…”

૨૨. “આવો અવતાર કોઈ વખતે થયો નથી ને થશે પણ નહિ…”

૨૩. “બ્રહ્મચારી બહુ ભણ્યા નથી પણ મુદાની વાત સમજ છે.”

૨૪. “આ મૂળજી બ્રહ્મચારીની જોડ કોણ છે?”

૨૫. “બ્રહ્મચારીની જોડ તો બાંધેલી જ છે ને મૂળાનંદ ને સહજાનંદ એમ જોડ બાંધેલી જ છે.”

૨૬. “હે મહારાજ! હવે મને ધામમાં તેડી જાઓ…”

૨૭. “અમ આ મંદિર કરાવ્યું છે તેને તમે છોવરાવો, તે પૂરું થયે ધામમાં તેડી જઈશું.”

૨૮. “મૂળજી બ્રહ્મચારીએ બહુ દખડો કરી આ મંદિર છોવરાવ્યું છે…”

૨૯. “આજે મારે ધામમાં જવું છે… માટે ચાલો અક્ષર ઓરડીએ છેલ્લાં દર્શન કરી લઈએ…”


ટૂંકનોંધ

૧. મૂળજી બ્રહ્મચારીની સેવા

૨. વૈરાગ્યનો પ્રસંગ

૩. ગૃહત્યાગ

૪. દીક્ષા અને બ્રહ્મચર્ય

૫. સ્વપ્નનો પ્રસંગ

૬. મૂળજી બ્રહ્મચારીનો મહિમા

૭. મોજડીનો પ્રસંગ

૮. સેવામાંથી છૂટા કરવાનો પ્રસંગ

૯. ડભાણનો સમય

૧૦. કેરીનો ટોપલો લાવવાનો પ્રસંગ

૧૧. સુથારણ બાઈનો પ્રસંગ

૧૨. મૂળજી બ્રહ્મચારીની નિષ્ઠા

૧૩. મૂળજી બ્રહ્મચારીની માનસી પૂજા

૧૪. ગોપીનાથજી મહારાજની સેવા

૧૫. સભામાં કરેલી વાત

૧૬. મૂળાનંદ ને સહજાનંદની જોડ

૧૭. મંદિર છોવરાવવાનો પ્રસંગ

૧૮. મૂળજી બ્રહ્મચારીનું સ્વધામગમન


એક વાક્યમાં જવાબ

૧. મૂળજી બ્રહ્મચારીનું પૂર્વાશ્રમનું નામ શું હતું?

૨. મૂળજીભાઈનો જન્મ ક્યાં થયો હતો?

૩. તેમના પિતા શું કરતા હતા?

૪. મૂળજીભાઈ કોને તેડી લાવવા ગયા?

૫. મૂળજીભાઈમાં વૈરાગ્ય કયા પ્રસંગથી જાગ્યું?

૬. મૂળજીભાઈએ શું પાળવાનો નિશ્ચય કર્યો?

૭. મૂળજીભાઈ ક્યાં આવ્યા?

૮. કોને તેમને દીક્ષા આપી?

૯. દીક્ષા પછી તેમનું નામ શું પડ્યું?

૧૦. મહારાજે મૂળજી બ્રહ્મચારી વિશે શું કહ્યું?

૧૧. મહારાજે મૂળજી બ્રહ્મચારીને શું આપ્યું?

૧૨. મોજડી કોને આપી દેવામાં આવી?

૧૩. મહારાજે મૂળજી બ્રહ્મચારીને કયા નિયમ આપ્યા?

૧૪. મૂળજી બ્રહ્મચારી ક્યાં રહ્યા?

૧૫. તેઓ કેટલો સમય ડભાણ રહ્યા?

૧૬. રામદાસભાઈએ શું મોકલ્યું?

૧૭. મૂળજી બ્રહ્મચારી કેટલો કેરીનો ટોપલો લાવ્યા?

૧૮. બ્રહ્મચારીને કોણ ઓળખી ગયું?

૧૯. બ્રહ્મચારીએ શું બનાવી જમ્યું?

૨૦. મહારાજે મૂળજી બ્રહ્મચારી વિશે શું કહ્યું?

૨૧. મૂળજી બ્રહ્મચારીની સેવા કોને ગમતી હતી?

૨૨. મૂળજી બ્રહ્મચારી માનસી પૂજામાં શું કરતા?

૨૩. તેઓ કઈ મૂર્તિનો શણગાર કરતા?

૨૪. મહારાજે બ્રહ્મચારીને શું કરવા કહ્યું?

૨૫. મહારાજે બ્રહ્મચારી વિશે શું કહ્યું?

૨૬. બ્રહ્માનંદ સ્વામીએ શું પૂછ્યું?

૨૭. મંદિર છોવરાવવાની આજ્ઞા કોને મળી?

૨૮. મંદિરનું કામ કોણે કરાવ્યું?

૨૯. જળઝીલણીના સમૈયે કોણ કોણ પધાર્યા હતા?

૩૦. મૂળજી બ્રહ્મચારીનો અગ્નિસંસ્કાર ક્યાં થયો?


કારણો

૧. મૂળજીભાઈમાં વૈરાગ્ય જાગ્યું.

૨. મૂળજીભાઈએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો નહિ.

૩. મૂળજીભાઈએ ઘરનો ત્યાગ કર્યો.

૪. મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં જોડાયા.

૫. મહારાજે મૂળજી બ્રહ્મચારીનો મહિમા કહ્યો.

૬. મૂળજી બ્રહ્મચારી સેવામાંથી છૂટા થયા.

૭. મૂળજી બ્રહ્મચારી ડભાણ ગયા.

૮. મૂળજી બ્રહ્મચારી કેરીનો ટોપલો લઈને આવ્યા.

૯. બ્રહ્મચારીએ ઘી-ગોળ લીધા નહિ.

૧૦. સુથારણ બાઈ મહારાજ પાસે ગઈ.

૧૧. મૂળજી બ્રહ્મચારી ફરી સેવામાં જોડાયા.

૧૨. મૂળજી બ્રહ્મચારીની સેવા મહારાજને ગમતી.

૧૩. મૂળજી બ્રહ્મચારી માનસી પૂજામાં ઓતપ્રોત થઈ જતા.

૧૪. મહારાજે મૂળજી બ્રહ્મચારીની પ્રશંસા કરી.

૧૫. મૂળજી બ્રહ્મચારીએ મંદિર છોવરાવ્યું.

૧૬. મૂળજી બ્રહ્મચારીએ છેલ્લાં દર્શન કર્યા.

૧૭. અનેક સંતોને દિવ્ય દર્શન થયાં.

૭. અડસઠ તીરથ સદ્ગુરુ ચરણમાં

કોણ બોલે છે કોને કહે છે?

૧. “આપના ભાગની મંદિરની ક્રિયા હું કરીશ પણ આપ સભામંડપમાં બેસી અખંડ કથા વાર્તા કરો.”
૨. “તારે માથે તો ત્રેવીસ કલાકની ક્રિયા છે. તે મારા ભાગની ક્રિયા કેવી રીતે કરીશ?”
૩. “બહારથી આ પથરા આવતા કેમ બંધ થઈ ગયા?”
૪. “જીવપ્રાણીમાત્ર ચામડાં જ ચૂંથે છે. પ્રાગજીએ તો મારી મરજી જાણીને મરેલા કૂતરાને ખસેડયું ને કામ ચાલતું કરાવ્યું, એમાં ખોટું શું કર્યું?”
૫. “પ્રાગજી! અડસઠ તીરથ ક્યાં હશે?”
૬. “પ્રાગજી! હવે બહાર નીકળ અને ચોખ્ખા પાણીથી નાહી લે.”
૭. “આ બીચારો પ્રાગજી સંસાર છોડીને ધ્યાન શીખવા આવ્યો છે. ત્યારે તમે તો તેની પાસે પથરા ઉપડાવી હદ ઉપરાંતની સેવા જ કરાવો છો.”
૮. “હું તો પથરા ઊંચકાવીશ ને ભગવાન આપીશ.”


એક વાક્યમાં જવાબ

૧. પ્રાગજી ભક્ત મંદિરની કઈ કઈ સેવાઓ કરતા હતા?
૨. સ્વામીની કથા-વાર્તા માટે પ્રાગજી ભક્તે શું પ્રાર્થના કરી?
૩. પથરાના ઢગલા ઉપર શું પડેલું હતું?
૪. મરેલું કૂતરું કોણે ખસેડ્યું?
૫. અડસઠ તીરથનો મહિમો પ્રાગજી ભક્તે કેવી રીતે સમજાવ્યો?
૬. અન્નકૂટ પછી સ્વામી ક્યાં પધાર્યા હતા?
૭. માના ભગતે સ્વામીને શું કહ્યું?
૮. સ્વામીએ પ્રાગજી ભક્ત વિશે શું વચન કહ્યું?


કારણો

૧. પ્રાગજી ભક્તે સ્વામીના ભાગની મંદિરની ક્રિયા કરવાની તૈયારી દર્શાવી.
૨. પ્રાગજી ભક્તે મરેલું કૂતરું ખસેડ્યું.
૩. કેટલાક લોકોએ પ્રાગજી ભક્તની ટીકા કરી.
૪. પ્રાગજી ભક્ત કૂંડીમાં કૂદી પડ્યા.
૫. માના ભગત મૌન બની ગયા.


ટૂંકનોંધ

૧. પ્રાગજી ભક્તની અખંડ સેવા
૨. મરેલા કૂતરાનો પ્રસંગ
૩. અડસઠ તીરથ સદ્ગુરુના ચરણમાં
૪. સ્વામીનો પ્રાગજી ભક્ત પ્રત્યેનો રાજીપો
૫. “હું તો પથરા ઊંચકાવીશ ને ભગવાન આપીશ” પ્રસંગ
૬. પ્રાગજી ભક્તની ભક્તિની પરાકાષ્ઠા

0 comments

કિશોર સત્સંગ પરિચય કોણ બોલે છે?

  ૩. ગલુજી ૧. “આ કાગળ વાંચીને તરત ધરની તમામ ધરવખરી ગાડામાં ભરીને, તમારા માતુશ્રીને ઘેર એકલાં રાખીને તમો વડથલ આવો.” ૨. “ગલુજી કયાં છે?” ૩. “સ...