પ્રાગજી ભક્ત ઓનલાઈન ટેસ્ટ

નીચે આપેલાં અવતરણો કોણ, કોને અતે ક્યારે કહે છે તે લખો. (કુલ ગુણ : ૯)

૧. “આ પ્રાગજી કહે છે તે ઠીક કહે 0.”

ર. “જીવપ્રાણીમાત્ર ચામડાં જ ચૂંથે 9.”

૩. “પ્રાગજી ભક્તને સત્સંગમાં લેવાના છીએ.'”

નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૫)

૧. ડુંગર ભક્તને આશીર્વાદ આપતાં ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું ? 

ર. ગઢડાના સંતોએ ભગતજી માટે કઈ સાક્ષી પૂરી ? 

૩. ગોપાળાનંદ સ્વામીમાં અસાધારણ પ્રેમને લીધે પ્રાગજી ભક્તને શાનો સંકલ્પ થવા લાગ્યો ? 

૪. યજ્ઞપુરુષદાસજીએ કઈ વાત ભગતજી મહારાજ પાસે સૌ પ્રથમવાર સાંભળી ? 

૫. વનવાસમાંથી મુક્તિબાદ આચાર્ય મહારાજે વિજ્ઞાનદાસ સ્વામીને ક્યાં મોકલ્યા ? 

નીચે આપેલાં વાક્યોનાં કારણો જણાવો. (બે થી ત્રણ લીટીમાં જ) (કુલ ગુણ : ૬)

૧. શૂરવીર હરિભક્તો મહોબતમાં ન લેવાયા.

ર. પ્રાગજી ભક્તને જૂનાગઢમાં રહેવાની તમન્ના જાગી.

૩. ભજનાનંદી થઈ પરમાનંદીને ઓળખવા.

આપેલા વિકલ્પોમાંથી ફક્ત સાચા વિકલ્પોની આગળ આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. (કુલ ગુણ : ૬ )

નોંધ : એક કે એકથી વધારે વિકલ્પ સાચા હોઈ શકે. તમામ સાચા વિકલ્પ આગળ જ ખરાની નિશાની કરી

હશે તો જ પૂણ ગુણ મળશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.

૧. ગઢડામાં જળઝીલણીનો સમૈયો

(૧)  સંવત ૧૯૫૨ 

(ર)  વાતો કરવાની આચાર્યની બંધી

(૩) આચાર્ય મહારાજનો પ્રશ્ન 

(૪) સંતનું સુખ કેવું હશે ?

ર. ભગતજી મહારાજે કરાવેલ એશ્ચર્ય દર્શન

(૧) આંધળાને દેખતો કર્યો 

(ર) ભૂતનો વળગાડ કાઢ્યો

(૩) નાગનું ઝેર ઉતાર્યું 

(૪)  કોલેરા મટાડ્યો

૩. અમદાવાદમાં ભગતજીએ કરેલી બ્રહ્મચર્યના મહિમાની વાતો

(૧) બ્રહ્મચર્યથી જ ભગવાન વશ થાય છે

(2) જેને વર્ણાશ્રમનો ધર્મ સિદ્ધ કરવો હોય તેણે બ્રહ્મચર્યત્રત દઢ પાળવું

(૩) ઇન્દ્રિયો નિયમમાં રાખવી અને બે વાર જમવું

(૪) જે ત્યાગી થઈને બ્રહ્મચર્યવ્રત ન પાળે તેને ધિક્કાર છે

નીચે આપેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉપર પંદર લીટીમાં ટૂંકનોંધ લખો. (વર્ણનાત્મક) (કુલ ગુણ : ૫)

૧. સાક્ષાત્કાર

 ૨. પ્રાગજી ભગત દ્વારા પ્રગટપણું

નીચેના મથાળાના સંદર્ભમાં દર્શાવેલ વાક્યમાંથી ખોટા શબ્દોને સુધારીને સાચું વાક્ય લખો. (કુલ ગુણ : ૬)

નોંધ : સંપૂર્ણ સાચું વાક્ય લખ્યું હશે તો જ ગુણ પ્રાપ્ત થશે, અન્યથા એક પણ ગુણ નહીં મળે.

૧. અંતિમ લીલા : ગઢડામાં વિજ્ઞાનદાસજીએ કથાનું પૂછયું. એટલે ભગતજીએ કહ્યું : “વ્યવહાર સંબંધી વિદ્યા ભણ્યા છો અને વેદવિદ્યા પણ મેં પૂરી ભણાવી લીધી છે.'

૨. મને સ્વામિનારાયણ વળગ્યા છે : ભગતજી વડોદરામાં કોઠારી મહારાજનાં દર્શન કરી ફરીથી આણંદ પધાર્યા અને હરિભક્તોને કહ્યું : “આ વખતે તમને ઘણું સુખ આવશે.'

૩. સત્સંગમાં સ્વીકૃતિ : જાગાભક્તે એમને આશીર્વાદ આપ્યા ને ઘનશ્યામના સખાનો મહિમા સમજાવ્યો, અને ભંડારીની માફી માગવા આજ્ઞા કરી.

૪. ઉપાધિની શરૂઆત : એક વાર ખેતરમાં સૌ ખેડૂતો સાથે પાષેદો કેળનાં પાનના પડિયા બનાવતા હતા. ત્યારે

જૂનાગઢના ગુલાબચંદ શેઠે સ્વામીને પૂછયું : “સ્વામી ! આ ટાણે અક્ષરધામ શું કરતું હશે ?”

૫. જન્મ અને બાળચરિત્રો : ભાભીએ આવીને જોયું તો લાડવા ન મળે. બધાંને ફાળ પડી. સગાંને પૂછ્યું કદાચ કોઈ બિલાડી તો નહીં ખાઈ ગઈ હોય !

૬. વાંસદાના દીવાનને સત્સંગ : હાલાર દેશથી મહાપુરુષદાસજીને પણ ફરવા માટે વલસાડ બોલાવ્યા. પોતાના દરજ્જા અનુસાર રાજાએ આચાર્યનું સારું સ્વાગત કર્યું.


0 comments

પ્રાજ્ઞ -1 / પેપર – 1 - 13 JULY -2025 PAPER AND SOLUTION

  વિભાગ – ૧ : વચનામૃત (કુલ ગુણ : ૨૫) પ્ર.૧ નીચે આપેલા પ્રશ્નોના એક (સંપૂર્ણ) વાક્યમાં જવાબ લખો. (કુલ ગુણ : ૪) કુશાગ્રબુદ્ધિવાળો કોને...